બુધવાર, 8 મે, 2019

World Thalassemia Day - 8th May




જીવલેણ રોગ તરીકે જાણિતા થેલેસીમિયાના ગુજરાતમાં હજારો દર્દીઓ 
આજે વર્લ્ડ થેલેસેમિયા દિવસ છે. વિશ્વભરમાં 8 મે ના રોજ , વર્લ્ડ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ આવે , અને નિવારણની માહિતી ફેલાવી શકાય. ભારતમાં આશરે 3થી 4 કરોડ થેલેસેમિયાના દર્દી છે. આ આંકડો ગુજરાતમાં 17 ટકા જેટલો ઊંચો છે. આ બીમારીમાં સૌથી ગંભીર. બીટા થેલેસેમિયા મેજર છે. 
થેલેસેમિયા ગ્રસ્તના શરીરમાં હિમોગ્લોબીનનું ઉત્પાદન ઘટી જાય છે, અને તેને એનીમિયા થવાનું જોખમ વધી જાય છે. થેલેસેમિયા માઇનોર ધરાવતા માતા - પિતામાંથી આ રોગ તેમના બાળકોને થાય છે. ભૂખ ન લાગવી, નબળો શારીરિક બાંધો, વિકાસમાં વિલંબ, માથાના કદમાં અસાધારણ વધારો વિગેરે જેના લક્ષણ છે. આવા દર્દીને દર 15 દિવસે લોહી ચડાવીને હિમોગ્લોબીનની માત્રા જાળવવી પડે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો