ગુરુવાર, 9 ઑગસ્ટ, 2018


થાઇલેન્ડના અયુથ્થયામાં ભવ્ય રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ચાલુ




- હિન્દુ ધર્મની આણ અન્યત્ર પણ પ્રવર્તે છે

- 18મા સૈકામાં થયેલા એક રાજવી બૌદ્ધ હોવા છતાં પોતાને 'રામ' કહેવડાવતા


- આ ભવ્ય મંદિરના નિર્માણથી અમે રામના ઉપદેશને વૈશ્વિક સ્તરે ફેલાવીશું : ન્યાસના વડા જન્મેજય શરણ

થાઇલેન્ડના અયુથ્થયામાં ભવ્ય રીતે 'ભૂમિ પૂજન' સમારોહ બાદ વિશાળ રામજન્મભૂમિ મંદિરના નિર્માણનું કાર્ય ચાલુ થઈ ગયાનું રામ જન્મભૂમિ નિર્માણ ન્યાસના વડાએ પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું હતું.


થાઇલેન્ડના અયુથ્થયામાં આ મંદિર આઓફાચ્ચા નદીને કિનારે બંધાઈ રહ્યું છે. આ નદી બેંકોકની મધ્યમાંથી વહે છે. ૧૫મા સૈકામાં થાઇલેન્ડનું પાટનગર અયુથ્થયા કહેવાતું હતું જે સ્થાનિક ભાષા મુજબ 'અયોધ્યા' ગણાય છે. આપણે ત્યાં પણ તેના અયોધ્યા ઉપરાંત અવધ, અવધપુરી, અવધપુર જેવા અનેક નામો પ્રચલિત છે પણ ૧૮મા સૈકામાં ત્યાં એક રાજા થયા હતા જે પોતાને રામ (પહેલા) તરીકે ઓળખાવતા હતા. અને હાલ બેંકોક તરીકે ઓળખાતા શહેરની સ્થાપના તેમણે કરી હતી. તેમમે રામાકૈન નામનો ગ્રંથ પણ લખાવડાવ્યો હતો જે સ્થાનિક ભાષામાં રામાયણ ગણાય છે તેને રાષ્ટ્રીય ગ્રંથ ગણાવાયો હતો અને તેની ચોપાઈઓ, ઉપદેશ, રાજવી પરિવારે બંધાવેલા ઇમરલ્ડ બૌદ્ધ મંદિરમાં પણ કોતરવામાં આયા હતા. તે રાજા બૌદ્ધ હોવા છતાં પણ અગ્નિ એશિયામાં હિન્દુ હોવાના કારણે રામ તરીકે પોતાનો ઓળખાવવાનું પસંદ કરતા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો