મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2019


વૃદ્ધો અને વિધવા મહિલાઓ માટે સરકાર બની તારણહાર, કરી આ મોટી જાહેરાત


Image result for pension-of-widows-and-elderly-people-the-announcement
વિધાનસભામાં લેખાનુદાન રજૂ કરતા નાણામંત્રીએ વિધવા અને વૃધ્ધ પેન્શનમાં મહિને રૂ.250નો વધારો કરવાનું જાહેર કર્યુ છે. હાલમાં વિધવા બહેનના પુત્રની ઉંમર 21 વર્ષ થાય એટલે પેન્શન સહાય બંધ કરી દેવાય છે. નીતિન પટેલે આ શરત રદ્દ કરવાની જાહેરાત કરી છે. જેથી 2.25 લાખ વિધવા અને 7.50 લાખ વૃધ્ધોને અનુક્રમે દર મહિને રૂ.1250 અને રૂ.150 પેન્શન મળશે.

વિધવા અને વૃધ્ધોના પેન્શન ઉપરાંત નાણામંત્રી નીતિન પટેલે 3751 આશા ફેસીલિટેટર બહેનોને અપાતા મહેનતાણામાં રૂ.2000નો વધારો કરવાનું જાહેર કર્યુ હતુ. તદ્ઉપરાંત 53,000 આંગણવાડીઓમાં કાર્યરત 1.06 લાખથી વધારે બહેનોના વેતનમાં પણ વધારો જાહેર કર્યો છે. જેમાં કાર્યકરોને મહિને રૂ.3600માં રૂ.900 વધારી રૂ.7200 કરવામાં આવ્યા છે. જ્યારે તેડાગર બહેનોને મળતા રૂ.3200માં રૂ.450 વધારી રૂ.3650 આપવાનું જાહેર કરાયુ છે. ગ્રામ્ય સ્તરે છેવડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓના સીધા વાહકની ભૂમિકા અદા કરતા આશા અને આંગણવાડીના 1.10 લાખ મહિલા કર્મચારીઓના મહેનતાણા વધારીને એક રીતે ભાજપ સરકારે ચૂંટણીમાં તેમને આકર્ષવા પ્રયત્ન કર્યો છે. 1લી એપ્રિલથી અમલમાં આવનારો આ વધારો કેટલો ફળશે તે તો ચૂંટણી પરિણામો જ નક્કી કરશે.

હાલમાં દોઢ લાખ વિધવા બહેનોને મહિને રૂ.1000 પેન્શન પેટે મળે છે. પરંતુ, આવા બહેના પુત્રની ઉંમર 21 વર્ષની થાય ત્યારે પેન્શન બંધ કરવામાં આવે છે. એટલુ જ નહી હાલના નિયમ મુજબ પુખ્ત વયના સંતાન હોય તેવા વિધવા બહેન પણ પેન્શનને પાત્ર રહેતા નથી. આ શરતને સરકારે રદ્દ કરી છે. જેથી રાજ્યમાં સવા બે લાખ વિધાવા બહેનોને તેનો લાભ મળશે. પેન્શનમાં રૂ.250ના વધારાથી વિધવા બહેનોને વર્ષે રૂ.66 કરોડના વધારા સાથે રૂ.349 કરોડની સહાય ઉપલબ્ધ થશે.

સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ રાજ્યના 7.50 લાખ વૃધ્ધોને મહિને મળતા રૂ.500માં 50 ટકાનો વધારાની જાહેરાત કરતા 1લી એપ્રિલથી તેમના બેંક એકાઉન્ટમાં સીધા જ રૂ.750 જમા થશે. વર્ષે રૂ.222 કરોડના વધારા સાથે પેન્શનરૂપે 7.50 લાખ વૃધ્ધોને રૂ.669 કરોડનો ફાયદો થશે.


દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટાગોર સાંસ્કૃતિક સદભાવના પુરસ્કાર એનાયત કર્યા

- ગઇકાલે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટાગોર સાંસ્કૃતિક સદભાવના પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પુરસ્કાર વર્ષ 2014, 2015 અને 2016 માટે આપવામાં આવ્યો.
ગઇકાલે તા. 18 ના રોજનવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટાગોર સાંસ્કૃતિક સદભાવના પુરસ્કાર એનાયત કર્યા હતા.
આ પુરસ્કાર વર્ષ 2014, 2015 અને 2016 માટે આપવામાં આવ્યો હતો. જેમાં
  • મણિપુરી નૃત્યમાં નિપૂણ જાણીતા લેખક અને વિદ્વાન રાજકુમાર  સિંહજીત સિંહને મણિપુરની સંસ્કૃતિને સુરક્ષીત રાખવા  અને તેની કલાનો વ્યાપ વધારવા બદલ 2014 માટેનો એવોર્ડ એનાયત થયો હતો.
  • મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના પ્રસિધ્ધ મૂર્તિકાર રામ મંજી સુતારને 2016 માટેનો પુરસ્કાર અપાયો હતો.  તેમણે 80 વર્ષમાં 600થી વધુ વિશાળ મૂર્તિઓ બનાવી છે. જેમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી  મહાત્મા ગાંધીની પ્રતિષ્ઠિત અવક્ષ મૂર્તિનો પણ સમાવેશ થાય છે.
  • બાંગ્લાદેશના સાંસ્કૃતિક જૂથ છાયા નટને ટાગોરની કલા, સંગીત, શિક્ષણ અને સંસ્કૃતિના પ્રસારમાં યોગદાન બદલ આ પુરસ્કાર અપાયો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સાંસ્કૃતિક વારસો કોઇપણ દેશની અમૂલ્ય પૂંજી છે. ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરથી માંડીને સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલ સહિતના અનેક મહાનુભાવોએ દેશની એકતા અને સાંસ્કૃતિક વારસા માટે યોગદાન આપ્યું હતું.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર સરહદોથી પર હતા. અને રવિન્દ્ર સંગીતમાં સમગ્ર ભારતના રંગ છે. વર્તમાન સમયની સમસ્યાઓના નિરાકરણ માટે રવિન્દ્રનાથ ટાગોરના વિચારો  ઉપયોગી હોવાની વાત પણ પ્રધાનમંત્રીએ કરી હતી. ઉલ્લેખનીય છે કે પુરસ્કાર તરીકે રૂપિયા એક કરોડ  સન્માન પત્ર અને હસ્ત શિલ્પની કલાકૃતિ એનાયત થાય છે. 
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી કોઈ પણ ઈમરજન્સી સેવા માટે ૧૧૨ નંબર હેલ્પલાઈન
Image result for gujarat helpline 112
-     વિવિધ સેવાઓના હેલ્પ લાઈન નંબરો હવે એક જ નંબર સાથે જોડી દેવાશે
-     દિલ્હીથી રાજનાથસિંહ અને ગાંધીનગરથી મુખ્યમંત્રી આ હેલ્પલાઈનનો આજે શુભારંભ કરશેઃ પ્રથમ તબક્કે ગુજરાતના નવા ૭ જિલ્લા માટે આ હેલ્પલાઈન કાર્યરત થશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોઈ પણ આકસ્મિક-તાત્કાલીન સેવાઓ માટે હવે એક જ રાષ્ટ્રીય ઈમરજન્સી હેલ્પલાઈન નંબર લાગુ થનાર છે.આજે ૧૯મીથી સમગ્ર દેશમાં ઈમરજન્સી સેવા માટે ૧૧૨ નંબરની હેલ્પલાઈન સેવા ઈમરજન્સી સર્વિસ માટે લાગુ થશે.જો કે ગુજરાતમાં પ્રાથમિક તબક્કે સોમનાથ-ગીર સહિતના ૭ જિલ્લા માટે આ હેલ્પલાઈન કાર્યરત થશે અને ત્યારબાદ થોડા સમયમાં સમગ્ર રાજ્યમાં કાર્યરત થશે.
ઈમરજન્સી સર્વિસ માટેની આ નવી હેલ્પલાઈનનો આજે દિલ્હી ખાતે કેન્દ્રીયગૃહમંત્રી રાજનાથસિંહ શુભારંભ કરશે.જ્યારે ગુજરાતમાં ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી આ હેલ્પ લાઈનો રાજ્યના ૭ જિલ્લા માટે શુભારંભ કરાવશે.ગુજરાતમાં હાલ સમગ્ર રાજ્ય માટે આ હેલ્પલાઈન કાર્યરત નહી થાય.હાલ ગીર સોમનાથ, બોટાદ,અરવલ્લી, દેવભૂમિ દ્વારકા,મોરબી, છોટા ઉદેપુર અને મહિસાગર સહિતના નવરચિત સાત જિલ્લામાં આ હેલ્પલાઈન કાર્યરત થશે.હેલ્પલાઈનના સુચારુ અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને રૃપિયા ૧૧.૮૭  કરોડની ફાળવણી કરવામા આવી છે.
રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યુ કે રાજ્યની તમામ ઈમરજન્સી સેવાઓને એક જ નંબર આધારિત સેવાઓ સાથે સાંકળી લેવા માટે 
  • રાજ્યની ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલ આરોગ્ય વિભાગની ૧૦૮
  • પોલીસ વિભાગની ૧૦૦, આગની ઘટનાઓ માટેની ફાયર હેલ્પ લાઈન ૧૦૧
  • મહિલા અને બાળ વિકાસન વિભાગની ૧૮૧
  • મહેસુલ વિભાગની કુદરતી આફતો માટેની ૧૦૭૭ તથા 
  • પશુ હેલ્પલાઈન ૧૯૬ 
જેવી તમામ ઈમરજ્સની સેવાઓ  નવી હેલ્પ લાઈન ૧૧૨ નંબર સાથે જોડી દેવામા આવશે. લોકોમાં ૧૧૨ નંબરની હેલ્પ લાઈન અંગે જાગૃતિ આવે તે દરમિયાન હાલ પ્રવર્તમાન હેલ્પલાઈ નબર ઉપર આવતા ફોન કોલ્સ ૧૨ મહિના સુધી આપોઆપ ૧૧૨ નંબર પર ટ્રાન્સફર થઈ જશે.
જીવીકે-ઈએમઆરઆી કઠવાડા દ્વારા હાલમા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કઠવાડા ખાતે ઈમરજન્સી સેવાઓનું ઈન્ફ્રાસ્ટ્રકચર પહલેથી જ સ્થાપિત છે અને ૧૦૮,૧૮૧ અને ૧૦૦ જેવી ઈમરજન્સી સેવાઓ પુરી પાડતી હોવાથી નવીન હેલ્પલાઈન  પણ આ સંસ્થા દ્વારા કાર્યરત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે. પ્રથમ તબક્કામાં જીવીકે-ઈએમઆરઆઈના હાલના ઈન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરીને સાત જિલ્લાઓમાં હાલ આ હેલ્પલાઈન કાર્યરત થશે.

સોમવાર, 18 ફેબ્રુઆરી, 2019

પ્રધાનમંત્રીએ હઝારીબાગ, દુમકા અને પલામુમાં મેડિકલ કોલેજના ભવનોનું ઉદ્દઘાટન કર્યું

Image result for pm inaugurates palamu,hazaribagh,dumka
-     બિહારથી  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડની મુલાકાતે પહોંચ્યા હતા.  તેમણે  હજારીબાગમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, જલાપૂર્તિ, સ્વચ્છતા સંલગ્ન અનેક પરિયોજનાઓનું લોકાર્પણ કહ્યું હતું.
બિહારથી  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડની મુલાકાતે પહોંચ્યા હતા.  તેમણે  હજારીબાગમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, જલાપૂર્તિ, સ્વચ્છતા સંલગ્ન અનેક પરિયોજનાઓનું લોકાર્પણ કહ્યું હતું. તેમાંની ઘણી યોજનાઓથી , રાજ્યની જનજાતિય જનસંખ્યાને, સુવિધાઓ મળવાની આશા છે. પ્રધાનમંત્રીએ હઝારીબાગ , દુમકા અને પલામુમાં ,મેડિકલ કોલેજના ભવનોનું ઉદ્દઘાટન કર્યું હતું.  હજારીબાગમાં તેમણે આચાર્ય વિનોબા ભાવે ,જનજાતિ અધ્યયન કેન્દ્રનું ,ખાતમૂર્હુત કર્યું હતું.  
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઝારખંડ, દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ આયુષ્યમાન ભારત પીએમ જયના પ્રારંભનું ,સાક્ષી બન્યું છે. સાહિબગંજમાં પણ તેમણે ,પરિયોજનાનું ઉદ્દઘાટન કર્યું હતું. 



આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માક્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

- આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માક્રીની દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને દેશોના હિતો સાથે જોડાયેલ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માક્રી ભારતની મુલાકાતે છે. આજે તેમણે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને દેશોના હિતો સાથે જોડાયેલ  તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માક્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાર્તા થઈ હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ સમજૂતિઓ પર હસ્તાક્ષર થયા છે. 
ભારત અને આર્જેન્ટિના વચ્ચેનાં રાજનાયિક સંબંધોને 70 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. બંને નેતાઓ વચ્ચે  દ્વિપક્ષીય હીતોને લઈને અનેક ક્ષેત્રોમાં સમજૂતિ થઈ છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે. આ પહેલાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ માક્રીનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ યાત્રા દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધો વધારે મજબૂત થશે. મહત્વનું છે કે આર્જેન્ટિના આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા ફ્રેમ વર્ક સમજૂતી પર હસ્તાક્ષર કરનાર બોત્તેરમો દેશ બન્યો છે. આર્જેન્ટિનાના વિદેશમંત્રી જ્યોર્જ ફોરીએ આ ફ્રેમવર્ક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. 

શનિવાર, 16 ફેબ્રુઆરી, 2019

'વાયુ શક્તિ' યુદ્ધ અભ્યાસમાં 140 યુદ્ધ વિમાનો, મિસાઇલો, હેલિકોપ્ટરોનો સમાવેશ


- પાકિસ્તાનની નાપાક હરકતોની વચ્ચે ભારતીય એરફોર્સનું શક્તિ પ્રદર્શન

- રાજસ્થાનના જૈસલમેરની ચાંધણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ચાલી રહેલો યુદ્ધ અભ્યાસ


પાકિસ્તાનની નાપાક હરકતોની વચ્ચે ભારતીય એરફોર્સે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યુ છે. એરફોર્સે સૌથી મોટા યુદ્ધ અભ્યાસ 'વાયુ શક્તિ'માં પાકિસ્તાની સરહદની પાસે આવેલ પોખરણ રેન્જ પર પોતાની શક્તિનું પ્રદર્શન કર્યુ હતું. 
આ યુદ્ધ અભ્યાસમાં એરફોર્સના પાયલોટોએ યુદ્ધ વિમાનથી શત્રુઓના સ્થળોનો નાશ કરવાની પ્રેક્ટિસ કરી હતી. આ યુદ્ધ અભ્યાસ રાજસ્થાનના જૈસલમેરની ચાંધણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ચાલી રહ્યું છે.
એરફોર્સના ૧૪૦ યુદ્ધ વિમાન નિર્ધારિત લક્ષ્યાંકને વિંધતા જોવા મળ્યા હતાં. યુદ્ધ અભ્યાસમાં મિસાઇલોની સાથે જીપીએસ અને લેઝર ગાઇડેડ બોંબ, રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 
યુદ્ધ અભ્યાસમાં મિગ-૨૧ બાઇસન, મિગ-૨૭, મિગ-૨૯, મિરાજ-૨૦૦૦, સુખોઇ-૩૦ એમકેઆઇ, જગુઆર જેવા વિમાન સામેલ હતાં. આ દરમિયાન ભારતીય એરફોર્સના પ્રમુખ બીએસ ધનોઆ પણ હાજર હતાં. 
દર ત્રણ વર્ષે થતા યુદ્ધ અભ્યાસ 'વાયુ શક્તિ'નો આ વખતનો થીમ 'સિક્યોરિંગ ધ નેશન અન પીસ એન્ડ વોર' હતો. આ યુદ્ધ અભ્યાસમાં મિગ-૨૧ બાઇસન, મિગ-૨૭ યુપીજી, મિગ-૨૯ જગુઆર, એલસીએ તેજસ, મિરાજ-૨૦૦૦, સુ-૩૦ એમકેઆઇ, હોક, સી-૧૩૦ જેવા સુપર હરક્યૂલિસ, એન-૩૨, એમઆઇ-૧૭ વી ૫, એમઆઇ-૩૫ હુમલાના હેલિકોપ્ટરો, સ્વદેશમાં વિકસિત એઇડબ્લ્યુ એન્ડ સી અને ઉન્નત લાઇટ હેલિકોપ્ટર(એએલએચ એમકે-૪)માં પોતાની ક્ષમતા અને શક્તિનું પ્રદર્શન કરી રહ્યાં છે. 
પિતા ભૂપેન હજારિકા વતી ભારત રત્ન સ્વીકારવું મારા માટે સન્માનની વાત: તેજ

 
પ્રખ્યાત આસામી ગાયક-સંગીતકાર ભૂપેન હજારિકાના દીકરા તેજ હજારિકાએ દિવંગત પિતા વતી ભારત રત્ન પુરસ્કાર સ્વીકારવા ભારત સરકારનું આમંત્રણ મળ્યું હોવાનું જાહેર કર્યું છે. આ સાથે જ તેમણે દેશના સર્વોચ્ય નાગરિક સન્માન પુરસ્કારને સ્વીકારવા પોતાને મળેલા આમંત્રણને ખૂબ જ સન્માનજનક ઘટના ગણાવી છે. 
એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારત સરકારે મને મારા પિતા માટે ભારત રત્ન સ્વીકારવા આમંત્રણ આપ્યું છે. મારા પિતાએ દેશની એકતા અને પ્રગતિશીલતાને જાળવી રાખીનેે નિસ્વાર્થપણે બલિદાન આપ્યું છે અને ભારત સરકારે તેમના આ બલિદાનની કદર કરીને તેમને આ સર્વોચ્ય સન્માન માટે યોગ્ય ગણ્યા છે.
ભારત સરકારે મારા સ્વર્ગસ્થ પિતા વતી ભારત રત્ન પુરસ્કાર સ્વીકારવા આમંત્રણ આપ્યું તે મારા અને મારા પરિવાર માટે ખૂબ જ ગર્વની બાબત છે. પિતા વતી સન્માન મેળવવું તે મારા પિતાના ચાહકો, અનુયાયીઓ અને મારા માટે એક સ્વપ્ન સમાન ઘટના હશે. હું મારા પિતાના પગલે ચાલીને જ્યાં અંધકારનું સામ્રાજ્ય હશે ત્યાં રોશની પ્રકાશવા પ્રયત્નશીલ રહીશ. 
ફેસબુક પર ૧૧ ફેબુ્રઆરીના રોજ તેમણે કરેલી ટિપ્પણી બાદ થયેલા વિવાદને તેમણે પોતાના મંતવ્યનું કેટલાક લોકો દ્વારા થયેલું ખોટું અર્થઘટન ગણાવ્યું હતું. 
ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યુ હતું કે પૂર્વોત્તરનો એક મોટો હિસ્સો મારા પિતાનો પ્રશંસક છે. મારા પિતાએ કદી પણ ભારતની મહાન વિવિધતાને વિખંડિત કરવા પ્રયાસ નહોતો કર્યો. પરંતુ સરકાર જે બિલ લાગુ કરવા જઇ રહી છે તેના સાથે મારા પિતા કદી સહમત ન થતા. આ બિલ એક રીતે ગેર-બંધારણીય અને બિનલોકતાંત્રિક છે. 
પૂર્વોત્તરમાં ભાજપની એનડીએ સરકારે રજૂ કરેલા આ બિલમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા ધાર્મિક લઘુમતી ધરાવતા લોકોને ભારતીય નાગરિકત્વ આપવાનો મુદ્દો છે. ઉત્તર પૂર્વના મોટા ભાગના સંગઠનો અને પક્ષોએ આ બિલ તે પ્રદેશની ગરિમા અને સંસ્કૃતિ માટે હાનિકારક હોવાનું જણાવીને ત્યાંની મૂળ વસતી માટે ચિંતા વ્યક્ત કરી છે અને તેનો વિરોધ કર્યો છે.
તેજ હજારિકાએ જણાવ્યું કે, મારુ મોટા ભાગનું જીવન વિદેશમાં વીત્યું છે પરંતુ મારા ભારતીય મૂળ તમામ રીતે ખૂબ જ મજબૂત છે. મારા ઉછેરને કારણે મને હંમેશા ભારતની વિશાળતા, વિવિધતામાં એકતા અને લોકતાંત્રિકતા માટે માન રહ્યું છે અને દેશનું સર્વોચ્ય સન્માન મારા દિવગંત પિતા ડૉ. ભૂપેન હજારિકાને મળવા જઇ રહ્યું છે તે ખૂબ જ સન્માનની ઘટના છે.