બુધવાર, 15 ઑગસ્ટ, 2018


મોદી સરકારની મહત્વકાંક્ષી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ 25 સપ્ટેમ્બરે લોન્ચ થશે

 

- દેશના 10 કરોડ પરિવારોને મળશે 5 લાખ સુધીનુ હેલ્થ કવર

 

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં જાહેરાત કરી હતી કે 25 સપ્ટેમ્બરે હેલ્થકેર સ્કીમ આયુષ્માનભારતનુ પંડિત દિન દયાલ ઉપાધ્યાયના જન્મ દિવસે લોન્ચિંગ કરાશે.

 

તેમણે કહ્યું હતું કે આ સ્કીમના કારણે 50 કરોડ ભારતવાસીઓને ફાયદો થશે.ભારતના ગરીબોને ગરીબીમાંથી ઉપર ઉઠાવવા માટે તબીબી સારવાર રાહત દરે મળી રહે તે જરુરી છે.આયુષ્મભારત સ્કીમમાં ઓનલાઈન ટેકનોલોજી અગત્યનો ભાગ ભજવશે.જેનુ ટેસ્ટિંગ ચાર થી 6 વીકમાં પુરુ થશે.

ઉલ્લેખીય છે કે આયુષ્માનભારત સ્કીમ હેઠળ 5 લાખ રુપિયા સુધીનુ હેલ્થ ઈન્સ્યોરન્સ કવર સરકાર આપશે.આ સ્કીમનો લાભ 10 કરોડ પરિવારોને મળે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે.

 
ગાંધીનગરમાં 551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજને લઈને નીકળી શૌર્યયાત્રા


ગાંધીનગરમાં 72માં સ્વતંત્રતા દિવસ પર શૌર્યયાત્રાનું આયોજન કરાયું હતું. ગાંધીનગરમાં 551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પોહળા રાષ્ટ્રધ્વજને લઈને આ શૌર્ય યાત્રા નીકળી હતી. આ યાત્રામાં 1500થી વધુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ લઈને શૌર્ય યાત્રામાં જોડાયા હતા. ગાંધીનગરના સમગ્ર માર્ગપર તિરંગાથી અનેરો રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો. મુસ્લિમ સમાજના યુવાનોએ આ શૌર્યયાત્રાનું ફૂલોથી સ્વાગત કરી ચોકલેટ વિતરણ કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ આપ્યો હતો.

ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમ વાર આટલા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ પ્રથમ રેલી હતી. આ શૌર્યયાત્રા ગાંધીનગરમાં 8 કિલોમીટર ફરી હતી. ગાંધીનગરની એક સામાજિક સંસ્થા અને સ્કૂલ સંચાલકોને સહયોગથી આ શૌર્યયાત્રાનું કરાયું હતું આયોજન કરાયું હતું.

 
સુરેન્દ્રનગર ખાતે CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન, નવી એગ્રીકલ્ચર કોલેજની જાહેરાત



- આજે ભારતનો 72મો સ્વાતંત્રતા દિવસ છે.

- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે સુરેન્દ્રનગર ખાતેથી ધ્વજવંદન કરીને 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. 

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ જવાહર ગ્રાઉન્ડ ખાતેથી ધ્વજ ફરકાવીને 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલી સહીત રાજ્યના વિવિધ પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.

સમારંભમાં વિજય રૂપાણીએ વિવિધ જાહેરાતો  કરતા જણાવ્યું કે,

  • ચેન સ્નેચિંગ કેસ માં 10 વર્ષ ની સજા નો કાયદો બનાવવામાં આવશે.
  • 31 ઓક્ટોબરે સરદાર પટેલ નું દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ નું લોકાર્પણ કરાશે.
  • ધોલેરાની સિંગાપુર કરતા મોટું સિટી બનાવી ડેવલોપ કરવાનો પ્રયાસ છે.
  • સેવા સેતુ નો 4 તબક્કો 24 ઓગસ્ટ થી રાજ્ય માં શરૂ કરાશે.
  • સુરેન્દ્રનગરમાં નવી એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરાશે.
  • પાટડી તાલુકા ના નવી gidc શરૂ કરાશે.
  • ઓટોહબ નો લાભ આખા રાજ્યને મળશે.
  • સાથડીની નવી જમીન 30000 rs હેકટર દીઠ આપવામાં આવશે, પહેલા 15000 rs હેકટર દીઠ આપવામાં આવતા હતા.

ધ્વજવંદન કાર્યક્રમમાં હેલિકોપ્ટર મારફતે  પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. ધ્વજવંદન કર્યા બાદ મુખ્યપ્રધાને ગુજરાતની જનતા જોગ ઉદબોધન કર્યુ હતુ. CM રૂપાણીએ પોતાના ઉદબોધનની શરૂઆત સુરેન્દ્રનગરના વીર પુરુષને યાદ કર્યા હતા. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

 

મંગળવાર, 14 ઑગસ્ટ, 2018


નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય મૂળના લેખક વી એસ નાયપોલનું 85 વર્ષની વયે નિધન
 Image result for vs naipaul
૧૯૭૧માં બૂકર પ્રાઇઝ અને ૨૦૦૧માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરાયા હતાં

ટ્રિનિદાદમાં જન્મેલા ભારતીય મૂળના નોબેલ પારિતોષિક વિજેતા લેખક વી એસ નાયપોલનું ૮૫ વર્ષની વયે નિધન થયું છે. નાયપોલે લંડનસ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતાં. 

વી એસ નાયપોલનું પૂરું નામ વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ હતું. તેમનો જન્મ ૧૭ ઓગસ્ટ, ૧૯૩૨માં ત્રિનિદાદના ચગવાનસમાં થયો હતો. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું હતું. તેમની પ્રથમ નવલકથા 'ધ મિસ્ટિક મેસર' ૧૯૫૧માં પ્રકાશિત થઇ હતી. 

'
ઇન અ ફ્રી સ્ટેટ' નામના પુસ્તક માટે નાયપોલને ૧૯૭૧માં બુકર પ્રાઇઝ મળ્યું હતું.
૧૯૯૦માં ક્વિન એલિઝાબેથે નાઇટહૂડથી સન્માનિત કર્યા હતાં.
૨૦૦૧માં સાહિત્યનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. 

તેમણે ઇસ્લામિક ફન્ડામેન્ટાલિઝમ અંગે ૧૯૮૧માં 'એમોન્ગ ધ બિલિવર્સ' અને ૧૯૯૮માં 'બિયોન્ડ બિલિફ' નામના પુસ્તકો લખ્યા હતાં. 

સોમવાર, 13 ઑગસ્ટ, 2018

Organ Donation Day




એક અહેવાલ મુજબ, ઓછામાં ઓછા 5 લાખ ભારતીયો દર વર્ષે મૃત્યુ પામે છે કારણ કે કોઈ પણ સમયે વ્યક્તિના ક્રિયાશીલ અંગ ખરાબ થઇ શકે છે. તેઓ હજી પણ જીવે છે કારણ કે તેઓ તેમના જીવનથી સંતુષ્ટ નથી પણ કુદરતી આપત્તિને કારણે તેઓ તે કરી શકતા નથી. આશા કરતાં વધુ જીવવાનો સમય વધારીને અંગ પ્રત્યારોપણ તેના સુંદર જીવનમાં એક મોટી ભૂમિકા ભજવી શકે છે. ટ્રાન્સપ્લાન્ટ વ્યક્તિના જીવનમાં અંગ દાતા ભગવાનની ભૂમિકા ભજવે છે. તમારા સારા અંગોને  દાન કરીને, એક અંગ દાતા 8 કરતાં વધુ જીવન બચાવી શકે છે. 

અંગ દાન એ તબીબી સંશોધકોની ઉત્કટ અને સખત મહેનત છે, જેમણે માનવ જીવનમાં અંગ ટ્રાન્સપ્લાન્ટ સાથે સફળ પરિણામો પ્રાપ્ત કરવા માટે ઘણા નિષ્ફળતાઓ સાથે પ્રયોગ કર્યો છે. આખરે, તેમણે અંગ પ્રત્યારોપણની મહત્વપૂર્ણ પ્રક્રિયા પર સફળ થયા.
કયા અંગ દાન કરી શકાય?
  • કિડની
  • ફેફસા
  • હૃદય
  • આંખ
  • યકૃત
  • પાચન ગ્રંથી
  • આંતરડા
  • ત્વચા પેશી
  • નસ
  • કોર્નિયા


રવિવાર, 12 ઑગસ્ટ, 2018

શુક્રવાર, 10 ઑગસ્ટ, 2018


ભુજમાં ત્રિરંગાયાત્રા



- હમીરસર કાંઠે સર્જાશે દેશભક્તિનો માહોલ

- સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમનું આયોજન

- પોલીસ બેન્ડ તેમજ 72 બાઇક ઉપર 144 યુવાનો ત્રિરંગાયાત્રામાં જોડાશે

દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે આગામી ૭૨માં સ્વાતંર્ત્ય પર્વની પૂર્વ સંધ્યાને ૧૪મી ઓગષ્ટે ભુજમાં ત્રિરંગાયાત્રા સાથે ભુજની શાનસમા હમીરસર તળાવના કાંઠે સમાપન સ્થળે દેશભક્તિનો માહોલ સર્જનારા સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિના ગીતોનો 'યાદ કરો કુરબાનીદ કાર્યક્રમ યોજાશે.