બુધવાર, 15 ઑગસ્ટ, 2018


મોદી સરકારની મહત્વકાંક્ષી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ 25 સપ્ટેમ્બરે લોન્ચ થશે

 

- દેશના 10 કરોડ પરિવારોને મળશે 5 લાખ સુધીનુ હેલ્થ કવર

 

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં જાહેરાત કરી હતી કે 25 સપ્ટેમ્બરે હેલ્થકેર સ્કીમ આયુષ્માનભારતનુ પંડિત દિન દયાલ ઉપાધ્યાયના જન્મ દિવસે લોન્ચિંગ કરાશે.

 

તેમણે કહ્યું હતું કે આ સ્કીમના કારણે 50 કરોડ ભારતવાસીઓને ફાયદો થશે.ભારતના ગરીબોને ગરીબીમાંથી ઉપર ઉઠાવવા માટે તબીબી સારવાર રાહત દરે મળી રહે તે જરુરી છે.આયુષ્મભારત સ્કીમમાં ઓનલાઈન ટેકનોલોજી અગત્યનો ભાગ ભજવશે.જેનુ ટેસ્ટિંગ ચાર થી 6 વીકમાં પુરુ થશે.

ઉલ્લેખીય છે કે આયુષ્માનભારત સ્કીમ હેઠળ 5 લાખ રુપિયા સુધીનુ હેલ્થ ઈન્સ્યોરન્સ કવર સરકાર આપશે.આ સ્કીમનો લાભ 10 કરોડ પરિવારોને મળે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો