શુક્રવાર, 17 મે, 2019

ટચૂકડા વિમાનમાં એટલાન્ટિક પાર કરનારી વિશ્વની પહેલી યુવતીનો વિક્રમ આરોહિ પંડીતે નોંધાવ્યો
 
- 23 વર્ષની આરોહિએ લંડનથી કેનેડા સુધીની 3 હજાર કિલોમીટરની સફર કરી
- અગાઉ કોઈ મહિલા લાઈટ સ્પોર્ટ્સ વિમાન દ્વારા એકલી એટલાન્ટિક પાર કરી શકી નથી

મુંબઈની કેપ્ટન આરોહી પંડિતે (૨૩) લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ (એલએસએ)ની મદદથી એટલાંટિક મહાસાગર પાર કરી ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ કોઈ મહિલાએ એકલા એલએસએ દ્વારા એટલાન્ટિક મહાસાગર પાર કર્યો નથી. એટલાન્ટિક મહાસાગર યુરોપ અને અમેરિકાને અલગ પાડે છે. આ મહાસાગર પાર કરવો એ સાહસિકોમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એ માટે આરોહિએ નાનકડું માત્ર ૪ હજાર કિલોગ્રામ ધરાવતું ટુ સિટર વિમાન વાપર્યું હતું. આ વિમાનને માહિ 'માહી' નામ આપવામાં આવ્યું હતું.

બોમ્બે ફ્લાયિંગ ક્લબમાં પાઈલોટનું પ્રશિક્ષણ મેળવનારી આરોહી પંડિતે લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટની મદદથી યુકેના સ્ટોકલેેેન્ડ સ્થિત વિક એરપોર્ટથી ઉડાન ભરી હતી. આ હવાઈયાત્રા દરમ્યાન તેણે આઈસલેન્ડ અને ગ્રીનલેન્ડ આ બે સ્થળે વિરામ લીધો હતો. ગ્રીનલેન્ડના બર્ફિલા પ્રાંતને એકલા પાર કરનારી પણ આરોહિ પ્રથમ યુવતી બની છે. બે વિરામ લીધા પછી તેણે કેનેડાના ઈકાલુઈટ હવાઈમથક પર લેંડિંગ કર્યું હતું. અહીં પહોંચીને તેણે ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો. કેનેડા સ્થિત ભારતના એમ્બેસેડર વિકાસ સ્વરૂપે આરોહિનું સ્વાગત કર્યું હતું.

આ સફળતા બાદ આરોહીએ કહ્યું કે આ તક આપવા બદલ હું દેશની આભારી છું એટલાંટિક મહાસાગર પાર કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભૂત હતો. નીચે બરફ સમાન ભાસતો સમુદ્ર, ઉપર નીલુ ગગન અને વચ્ચે નાની અમથી હું અને નાનું વિમાન. આરોહીએ કહ્યું જો મહિલા દ્દઢ નિશ્ચયથી એટલાંટિક મહાસાગર પાર કરવાનો નિશ્ચય કરે તો કોઈપણ મહિલા આ કાર્ય કરી જ શકશે.
તેણે જે વિમાન વાપર્યું એ સિંગલ એન્જિન અને બે બેઠક ધરાવતું હતું. આ પહેલા ભારતથી આરોહિએ સફર શરૂ કરી હતી. જુલાઈ ૨૦૧૮માં પ્રવાસના આરંભે આરોહિ સાથે તેની ખાસ બહેનપણી કૈથીર મિસકટ્ટા પણ હતી. બન્ને મિત્રોએ મળીને પંજાબ-રાજસ્થાન-ગુજરાત પાર કરતાં પાકિસ્તાનમાં પહેલો વિરામ લીધો હતો.

એ વખતે પાકિસ્તાનની ધરતી પર એલએસએ વિમાન દ્વારા ઉતરાણ કરનાર એ પહેલી ભારતીય મહિલા બની હતી. પાકિસ્તાનથઈ આગળ વધીને તેઓએ ઈરાન, તૂર્કિ, સર્બિયા, સ્લોવેનિયા, જર્મની, ફ્રાન્સ અને યુ.કે.માં વિરામ લીધો હતો. યુ.કે.થી આગળની સફર આરોહિએ એકલા પૂર્ણ કરી હતી.
ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહકાર્યથી ચાલતી મહિલા સશક્તિકરણ ઝુંબેશ હેઠળ ત્રણ તબક્કામાં એરક્રાફ્ટની મદદથી વિશ્વભરનો પ્રવાસ કરી 'બેટી બચાવો બેટી પઢાઓ' આ સંદેશ અપાશે. આરોહીએ તેનો વિશ્વવિક્રમ આ જ ઝુંબેશ અંતર્ગત બનાવ્યો છે. તેના આ વિશ્વવિક્રમ બાદ હાલ તો તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આરોહિની સફર પૂરી થઈ નથી. હજુએ આગળ વધશે અને લગભગ ૩૭૦૦૦ કિલોમીટરની સફર તથા ૧૮ દેશ ફરીને જુલાઈમાં ભારત પરત આવશે.
આરોહિએ આ પરાક્રમ કરતાં પહેલા સાત મહિનાની આકરી તાલિમ લીધી હતી. એ તાલિમ દરિયાન વિષમ વાતાવરણ, તેજ પવન ફૂંકાતા પ્રદેશમાં કેમ ટકી રહેવું તે શીખવાયું હતુ. સાથે સાથે એકલી સફર વખતે એ માનસિક રીતે નબળી ન પડે એટલા માટે તેનું મનોબળ મજબૂત થાય એ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. એટલાન્ટિક જગતનો બીજો મોટો મહાસાગર છે. આરોહિએ સફર માટે પસંદ કરેલો માર્ગ ઉત્તર એટલાન્ટિકનો હતો. એ વિસ્તાર તેના વિષમ વાતાવરણ માટે કુખ્યાત છે. તેમાંથી આરોહિ હેમખેમ પાર ઉતરી એ તેની મોટી સિદ્ધિ છે.

બુધવાર, 8 મે, 2019


પ્રતિ વર્ષ 8 મેના રોજ વિશ્વભરમાં આંતર રાષ્ટીય રેડ ક્રોસ દિનની ઊજવણી

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા અને તેની 33 જિલ્લા તથા 61 તાલુકા શાખાઓ દ્વારા રાજ્યના મોટી સંખ્યામાં લોકોને માનવીય સેવાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે
રાજ્યપાલ ઓ.પી.કોહલીએ વિશ્વ રેડ ક્રોસ દિન નિમિત્તે , રાજ્યના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું , કે પ્રતિ વર્ષ , 8 મેના રોજ વિશ્વભરમાં આંતર રાષ્ટીય રેડ ક્રોસ દિનની ઊજવણી કરવામાં આવે છે. રેડ ક્રોસ વિશે આપને શું પ્રિય લાગે છે તે આ વર્ષે આ દિવસની થીમ છે. આ થીમની પસંદગીનું કારણ દુનિયાના લોકો સમક્ષ રેડ ક્રોસ આંદોલનની વિવિધતા અને સાર્વભૌમિકતાવાળી કાર્યશૈલી પ્રકાશિત કરવાનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું  કે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા અને તેની 33 જિલ્લા તથા 61 તાલુકા શાખાઓ દ્વારા રાજ્યના મોટી સંખ્યામાં લોકોને માનવીય સેવાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે


જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં મોકલવામાં આવશે

 
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી જેમાં 8 સિંહોમાં બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. 
સૌરાષ્ટ્રની શાન ગણાતા જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં મોકલવામાં આવશે. જે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. 8 સિંહોમાં બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં આ સિંહોને વિમાન મારફતે ગોરખપુર લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ થઇ રહ્યું છે. તો ગોરખપુર ઝુ તરફથી ભરતીય ગેંડાની જોડી તેમજ વિવિધ પ્રકારના પીજન્ટની જોડીઓ સક્કર બાગ ઝૂને આપવામાં આવશે 
મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દીના ઉપલક્ષ્યમાં ભારત અને બાંગ્લાદેશ મળીને  એક ફિલ્મ બનાવશે.

સૂચના અને પ્રસારણ સચિવ અમિત ખરે અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના સલાહકાર ગોહર રિઝવીની ઉપસ્થિતિમાં બંન્ને પક્ષના અધિકારીઓની બેઠક દિલ્હીમાં મળી હતી
આ ફિલ્મ બંગ બંધુના જીવન પર આધારિત રહેશે. સૂચના અને પ્રસારણ સચિવ અમિત ખરે અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના સલાહકાર  ગોહર રિઝવીની ઉપસ્થિતિમાં  બંન્ને પક્ષના અધિકારીઓની એક બેઠક દિલ્હીમાં મળી હતી. ભારતના જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ આ ફિલ્મનું નિર્માણ કરશે.
વર્ષ 2020માં બંગ બંધુનું શતાબ્દી વર્ષ મનાવવામાં આવશે. આ પ્રસંગે અમિત ખરેએ જણાવ્યું હતું , કે બંન્ને દેશના પ્રધાનમંત્રીઓ વચ્ચે ફિલ્મ નિર્માણ માટે સંમતિ સધાયેલી છે. આને પગલે દૂરદર્શન  અને આકાશવાણી જેવા માધ્યમો વચ્ચે સંબંધ વધુ ગાઢ બનશે.



ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર યાત્રાળુઓ માટે ખૂલ્લા કરવામાં આવ્યા

શ્રી કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર યાત્રાળુઓ માટે અનુક્રમે ખૂલ્લા મુકાશે
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનુ ખુબ મહત્વ હોય છે. શિયાળો પુર્ણ થતા શ્રદ્ધાળુઓ માટે ચારધામ યાત્રાની શરુઆત કરવામાં આવી છે. ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર યાત્રાળુઓ માટે ખૂલ્લા કરવામાં આવ્યા. ત્યાર બાદ શ્રી કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર યાત્રાળુઓ માટે અનુક્રમે ખૂલ્લા મુકાશે.
 


World Thalassemia Day - 8th May




જીવલેણ રોગ તરીકે જાણિતા થેલેસીમિયાના ગુજરાતમાં હજારો દર્દીઓ 
આજે વર્લ્ડ થેલેસેમિયા દિવસ છે. વિશ્વભરમાં 8 મે ના રોજ , વર્લ્ડ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ આવે , અને નિવારણની માહિતી ફેલાવી શકાય. ભારતમાં આશરે 3થી 4 કરોડ થેલેસેમિયાના દર્દી છે. આ આંકડો ગુજરાતમાં 17 ટકા જેટલો ઊંચો છે. આ બીમારીમાં સૌથી ગંભીર. બીટા થેલેસેમિયા મેજર છે. 
થેલેસેમિયા ગ્રસ્તના શરીરમાં હિમોગ્લોબીનનું ઉત્પાદન ઘટી જાય છે, અને તેને એનીમિયા થવાનું જોખમ વધી જાય છે. થેલેસેમિયા માઇનોર ધરાવતા માતા - પિતામાંથી આ રોગ તેમના બાળકોને થાય છે. ભૂખ ન લાગવી, નબળો શારીરિક બાંધો, વિકાસમાં વિલંબ, માથાના કદમાં અસાધારણ વધારો વિગેરે જેના લક્ષણ છે. આવા દર્દીને દર 15 દિવસે લોહી ચડાવીને હિમોગ્લોબીનની માત્રા જાળવવી પડે છે.


મંગળવાર, 7 મે, 2019


પવિત્ર રમઝાન માસની શરૂઆત

એક મહિનો મુસ્લિમ સમાજના લોકો અલ્લાહની ઇબાદત માટે રાખશે રોઝા
આજથી મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમઝાન માસની શરૂઆત થઇ ગઇ છે. ગઈકાલે સાંજે રમઝાન માટે નમાઝ પઢવામાં આવ હતી , ગઈકાલે સાંજે ચાંદ દેખાયા  બાદ રમઝાન મહિનો ,શરૂ થયાની જાહેરાત કરવામાં આવી હતી. ઈસ્લામી કેલેન્ડરનો  આ નવમો મહિનો છે  અને મુસ્લીમ સમુદાયના લોકો, સવારથી સૂર્યાસ્ત સુધી ભોજન અને પાણી બંને ત્યજે છે. રમઝાનના અંતિમ દિવસને ઈદુર ફીતર ઉજવાય છે. રમઝાનના મહિનાને  ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ દસ દિવસ રહેમત, બીજો હિસ્સો માફી જ્યારે ત્રીજો ભાગ જન્નતથી આઝાદીનો છે. એટલે કે મુક્તિ પામવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને રમઝાન મહિનાની શુભેચ્છા પાઠવી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ પવિત્ર મહિનો સમાજમાં સોહાર્દ, ખુશી અને ભાઈચારાની ભાવનાને આગળ વધારશે