ગુરુવાર, 21 ફેબ્રુઆરી, 2019

આજે વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000 થી વધુ
આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે.ત્યારે ટ્વીટર પર હેશટેગ ઈન્ટરનેશનલ મધર લેન્ગ્વેઝ ડે ટ્રે્ન્ડ કરી રહ્યો છે.વિશ્વમાં ભાષા અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા તેમજ વિવિધ માતૃભાષાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી 21 ફેબ્રુઆરી 1999ના દિવસને યુનેસ્કોએ વિશ્વ માતૃભાષા દિવસ જાહેર કર્યો હતો.
યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે.જે પૈકી 90 ટકા ભાષાઓને બોલનારની સંખ્યા 1 લાખથી ઓછી છે. લગભગ 150 થી 200 ભાષાઓ એવી છે કે જેને 10 લાખથી વધુ લોકો બોલે છે.વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી , અરબી પંજાબી મેંડારિન , હિન્દી અને સ્પેનિશ છે. ભારતમાં વર્ષ 1961ની વસ્તી ગણતરી પ્રમાણે 1652 ભાષાઓ બોલાય છે.હાલમાં ભારતમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ અલગ છે.પીપલ્સ લૈંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા (પી.એલ.એસ.આઈ.) 2010 માં 780 ભારતીય ભાષાઓ ગણાવી હતી. 40% ભારતીયો દ્વારા બોલાતી ભારતની સૌથી વધુ વપરાતી ભાષા હિન્દી છે આ પછી બંગાળી (8.0%), તેલુગુ (7.1%), મરાઠી (6.9%), અને તમિલ (5.9%) છે. જ્યારે રાજ્ય સંચાલિત ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) 120 ભાષાઓમાં પ્રોગ્રામ્સનું પ્રસારણ કરે છે..ભારતની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.

લૉકહિડ માર્ટિને ભારત માટે જ ખાસ બનેલું ફાઈટર વિમાન એફ-21 રજૂ કર્યું

- ભારતમાંથી ૧૫ અબજ ડૉલરનો ઑર્ડર મેળવવા અમેરિકી કંપનીનો પ્રયાસ

- એક સમયે રફાલ સાથે લૉકહિડ માર્ટિન પણ વિમાન વેચવાની સ્પર્ધામાં હતી

ભારત તૈયાર થાય તો ભારતમાં જ ઉત્પાદન કરવા કંપનીની તૈયારી

અમેરિકી એરોસ્પેસ કંપની લૉકહિડ માર્ટિને આજે ભારત માટે ખાસ તૈયાર કરેલું ફાઈટર વિમાન એફ-૨૧ રજૂ કર્યું હતું. બેંગાલુરુ પાસે ચાલી રહેલા એરો ઈન્ડિયા શૉ દરમિયાન આ વિમાન રજૂ કરવામાં આવ્યુ હતુ. કંપનીએ આ વિમાન ભારતમાં જ ઉત્પાદિત થાય એ માટે તૈયારી પણ દર્શાવી છે.
ભારતે આમ તો ફ્રાન્સના રફાલ વિમાનો ખરીદવાનું મન બનાવી લીધું છે અને એ સોદો એક પછી એક સ્ટેજ વટાવતો આગળ વધી રહ્યો છે. પરંતુ કોઈ તબક્કે ભારતને પુન:વિચાર કરવાનું મન થાય તો આ અમેરિકી કંપનીએ વિકલ્પ આપ્યો છે.
હકીકત એવી છે કે વર્ષો પહેલા જ્યારે ભારતે સવાસો ફાઈટર વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૃ કરી ત્યારે કુલ પાંચ ફાઈટર વિમાન સ્પર્ધામાં હતા. આ પાંચ વિમાનમાં ફ્રાન્સની કંપની દસોલનું રફાલ વિમાન, અમેરિકી કંપની લૉકહિડ માર્ટિનનું એફ-૧૬, બોઈંગનું એફ-એ-૧૮, સ્વીડિશ કંપની સાબનનું ગ્રીપેન અને યુરોફાઈટર કંપનીનું ટાયફૂન ફાઈટર જેટનો સમાવેશ થાય છે. ટેન્ડરિંગની પ્રક્રિયા આગળ વધી એમાં છેવટે ઑર્ડર રફાલને મળ્યો છે.
રફાલનો સોદો અત્યારે થોડો વિવાદમાં છે. ભારતે અત્યારે અંદાજે ૧૫ અબજ ડૉલરના ફાઈટર વિમાનનો ઑર્ડર આપવાનો છે. જો રફાલનો સોદો છેલ્લી ઘડીએ કોઈ કારણોસર અટકે તો પછી ખરીદી શકાય એટલા માટે લૉકહિડે પોતાનું વિમાન એફ-૨૧ રજૂ કર્યું છે. લૉકહિડે આ વિમાન ભારતમાં જ તૈયાર કરી શકાય તેની તૈયારી પણ દર્શાવી છે. 
લૉકહિડ માર્ટિનના ભારત સ્થિત અધિકારી વિવેક લાલે જણાવ્યુ હતુ કે આ વિમાન આધુનિક છે અને તેમાં પાંચમી પેઢીની ટેકનોલોજીનો સંગમ થયો છે. અગાઉ પણ લૉકહિડે જો ભારત ઑર્ડર આપે તો વિમાનનું ઉત્પાદન ભારતમાં કરવાની તૈયારી દર્શાવી હતી પરંતુ સરકાર તરફથી સકારાત્મક જવાબ મળ્યો ન હતો.  કંપનીના કહેવા પ્રમાણે પાંચમી પેઢીના બે વિમાન એફ-૨૨ અને એફ-૩૫ની કેટલીક ટેકનોલોજી પણ આ વિમાનમાં વપરાઈ છે.
બલ્ગેરિયાની બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતના અમિત પંઘાલને ગોલ્ડ મેડલ
 
- 'મારો આ ગોલ્ડ મેડલ પુલવામાના શહીદોને અર્પણ કરું છું'
- ૨૩ વર્ષનો અમિત આર્મીમાં નાઈબ સુબેદાર છે

બલ્ગેરિયામાં યોજાયેલી પ્રતિષ્ઠિત સ્ટ્રાન્દ્જા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતના અમિત પંઘાલે ૪૯ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ૨૩ વર્ષના અમિતે તેનો આ મેડલ તાજેતરમાં પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અર્પણ કર્યો હતો. અમિત ખુદ આર્મીમાં નાઈબ સુબેદાર તરીકે ફરજ બજાવે છે. 
સુવર્ણ સફળતા મેળવ્યા બાદ ભાવુક બનેલા અમિત પંઘાલે કહ્યું કે, હું મારો આ ગોલ્ડ મેડલ પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અર્પણ કરું છું. હું પોતે પણ આર્મીથી આવું છું અને એટલે જ મને આ ઘટનાને કારણે વધુ દુઃખ થયું. હું અહીં ગોલ્ડ મેડલ જીતીને શહીદોને શ્રદ્ધાંજલી અર્પવા ઈચ્છતો હતો અને દરેક મુકાબલામાં મેં જાન રેડી દીધી હતી. 
એશિયન ગેમ્સમાં ચેમ્પિયન બનેલા અમિતે યુરોપીયન બોક્સિંગમાં પ્રતિષ્ઠિત મનાતી ટુર્નામેન્ટમાં સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બલ્ગેરિયાના સોફિયામાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ૪૯ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં અમિતનો મુકાબલો કઝાકિસ્તાનના તેમિર્તાસ ઝ્હુસુપ્પોવ સામે થયો હતો. જેમાં તેણે લડાયક દેખાવ કરતાં જીત હાંસલ કરી હતી.
અમિતે ઊમેર્યું કે, આ તેનો ૪૯ કિગ્રાની કેટેગરીનો અંતિમ મુકાબલો હતો. હવે તે ૫૨ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ભાગ લેવાની શરૃ કરવા જઈ રહ્યો છે.તેણે કહ્યુ કે, ઓલિમ્પિકમાં ૪૯ કિગ્રાની કેટેગરી નથી આ માટે માટે વજનવર્ગ બદલવું પડયું છે. 

બલ્ગેરિયન ટુર્નામેન્ટમાં ભારતની બે મહિલા બોક્સરોને ગોલ્ડ મેડલ

- મીના કુમારી દેવી અને નિખાત ઝરીનની સફળતા

- ભારતની મંજુરાની દેવીને સિલ્વર


બલ્ગેરિયાના સોફિયામાં યોજાયેલી સ્ટ્રાન્ડ્જા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતને મહિલાઓની કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ મળ્યા હતા. ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ જુનિયર ચેમ્પિયન નિખાત ઝરીન અને મીના કુમારી દેવીએ ફાઈનલમાં પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતની મહિલા બોક્સરોએ બે ગોલ્ડ ઉપરાંત એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. 
નિખાત ઝરીને ૫૧ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં ફિલિપ્પીનો આઇરીશ માગ્નોને ૫-૦થી પછડાટ આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મીના કુમારી દેવીએ ૫૧ કિગ્રાની કેટેગરીમાં ઐરા વિલેગસને ભારે રોમાંચક મુકાબલામાં ૩-૨થી હરાવી હતી. ભારતની બંને બોક્સર ફિલિપાઈન્સની હરિફોને હરાવીને સુવર્ણ ચંદ્રક જીતી હતી.
જોકે ૪૮ કિગ્રા વજન વર્ગમાં ભારતની મંજુ રાનીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. તેને ફિલિપાઈન્સની જોસીઈ ગેબુકોએ ૨-૩થી હરાવી હતી. ભારતની મહિલા બોક્સરોએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. અગાઉ ભારતની પ્વીલાઓ બાસુમતીએ ૬૪ કિગ્રા, નીરજે ૬૦ કિગ્રામાં અને લોવ્લીનાએ ૬૯ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 


બુધવાર, 20 ફેબ્રુઆરી, 2019


આજે એશિયાના સૌથી મોટા એર શો એરો ઈન્ડિયા 2019નો સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણના હસ્તે આરંભ


એશિયાના સૌથી મોટા એર શો એરો ઈન્ડિયા 2019નો બેગલુરુમાં આજે સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણના હસ્તે આરંભ થઈ ગયો છે. 20મી ફેબ્રુઆરી થી 24મી ફેબ્રુઆરી સુધી યોજાનારા આ પ્રદર્શનમાં રક્ષાક્ષેત્રે જોડાયેલા તમામ રક્ષા ઉપકરણોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેને નિહાળવા માટે દુનિયાભરના દર્શકો અને વિમાનના ક્ષેત્રે જોડાયેલા રોકાણકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દેશ વિદેશની અનેક થીંક ટેન્કે હાજરી આપી હતી. એરો ઈન્ડિયા 2019 શો વૈમાનિક ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ અને નવા વિચારોને દુનિયા સાથે વહેંચવા માટેનો એક મોટો મંચ છે. આ પ્રદર્શન દ્રારા ભારતનો ઉદેશ્ય મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાનો છે. એરો ઈન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતા રમણે જણાવ્યું કે રક્ષાક્ષેત્રે ભારતે જબરજસ્ત પ્રગતિ કરી છે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણ શક્ય છે. તેમણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રે જીડીપીને નવી ઉંચાઈએ લઈ જવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

સાઉદી પ્રિન્સ ભારત પ્રવાસે


 Image result for saudi-prince-india-liquid

સાઉદી અરેબિયાનાં ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાન બે દિવસની ભારત મુલાકાતે આવી પહોંચ્યા છે. બુધવારે મોડી રાત્રે તેઓ ભારત આવી પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદી પ્રોટોકોલ તોડીને તેમને આવકારવા માટે એરપોર્ટ પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી તેમની સમક્ષ પાક. પ્રેરિત ત્રાસવાદનો મુદ્દો ઉઠાવે તેવી સંભાવના છે. સાઉદી પ્રિન્સ બે દિવસની પાક. મુલાકાત પછી સીધા ભારત આવવાનાં હતા પણ ભારતે પાકિસ્તાનથી સીધા ભારત આવવાના તેમના નિર્ણયનો વિરોધ કર્યા પછી તેઓ સોમવારે રિયાધ પાછા ફર્યા હતા. હવે તેઓ રિયાધથી ભારત આવી ગયા છે. ભારત અને સાઉદી અરેબિયા બંને વર્ષોથી વ્યૂહાત્મક ભાગીદાર છે. સાઉદી અરેબિયા માટે વેપાર અને સુરક્ષાની દૃષ્ટિએ ભારત મહત્ત્વનું છે.

સાઉદી પ્રિન્સની મુલાકાત વખતે બંને દેશો વચ્ચે પાંચ ક્ષેત્રોમાં સહયોગ સાધવા કરાર કરવામાં આવે તેવો તખતો ઘડાયો છે. નાણાકીય બાબતોના સચિવ ટી. એસ. ત્રિમૂર્તિનાં જણાવ્યા મુજબ દ્વિપક્ષીય મૂડીરોકાણ, પર્યટન, હાઉસિંગ, માહિતી અને પ્રસારણ જેવા સેક્ટરમાં દ્વિપક્ષીય સહયોગ વધારવામાં આવશે. ખાતર, ફૂડ સિક્યોરિટી, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પુનઃ પ્રાપ્ય ઊર્જા,નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન ક્ષેત્રે બંને દેશો સહયોગ વધારી શકે છે. મોદી બુધવારે પ્રિન્સનાં સન્માનમાં ભોજન સમારંભ યોજવાના છે. સાઉદી પ્રિન્સ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત પણ લેશે.

સાઉદી અરેબિયા માટે ભારત સ્ટ્રેટેજિક પાર્ટનર
ત્રિમૂર્તિએ કહ્યું કે, સાઉદી અરેબિયાએ પુલવામા હુમલાની આકરી ટીકા કરી હતી. સાઉદી પ્રિન્સ ભારત અને પાક. વચ્ચે તંગદિલી ઘટાડવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. સુરક્ષા અને આતંકવાદ સામે લડવા સાઉદી આપેલા સહયોગની ભારત પ્રશંસા કરે છે. સાઉદી અરેબિયા દ્વારા આઠ દેશો પૈકી ભારત તેના સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે ઊભરી રહ્યું છે. ભારત સાથે રાજકીય ઉપરાંત સુરક્ષા, વેપાર, રોકાણ, સંસ્કૃતિ જેવા મુદ્દે ગાઢ સહયોગ સાધવા તે ઉત્સુક છે.
PM મોદીએ વારાણસીને આપી 2900 કરોડની યોજનાઓની ગિફ્ટ, જાણો શું કહ્યું

 PM Flags Off The World's First Diesel To Electric Locomotive In Varanasi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીને 2900 કરોડની યોજનાઓની ગિફ્ટ આપી છે.
આજે પીએમ મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન ડિઝલમાંથી ઈલેક્ટ્રિક એન્જિનમાં ફેરવાયેલા એન્જિનને લીલી ઝંડ઼ી આપી હતી.તેમજ સંત રવિદાસના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી.
પીએમ મોદીએ એક સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે વારાણસીને નવા ભારતની ઉર્જાનુ કેન્દ્ર બનાવવામાં સપળતા મળી છે.ડિઝલથી ચાલતા એન્જિનને ઈલેક્ટ્રિસિટીથી ચલાવવામાં સફળતા મેળવીને ભારતના વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સે ફરી પોતાની પ્રતિભા દુનિયા સમક્ષ સાબિત કરી છે.આ પ્રયોગ સફળત થવાથી બીજા એન્જિનને પણ કન્વર્ટ કરીને રેલવેને વધારે સક્ષમ બનાવી શકાશે.