મંગળવાર, 16 ઑક્ટોબર, 2018

ગૂગલ ડૂડલ: ભારતના મહાન તબલા વાદ્ક લચ્છુ મહારાજને શ્રદ્ધાંજલિ

 Image result for lachhu maharaj
ગુગલે આજે 16 ઑક્ટોબરે ભારતના મહાન તબલાવાદક લચ્છુ મહારાજને ડૂડલને સમર્પિત કરી દીધી છે. આજે તેની 74 મી જન્મજયંતિ છે. લચ્છુ મહારાજનું  સાચું નામ લક્ષ્મી નારાયણ સિંહ હતું. લચ્છુ મહારાજ ઉત્તર પ્રદેશના બનારસમાં 16 ઓક્ટોબર, 1944 ના રોજ થયો હતો. લચ્છુ મહારાજે દેશ અને વિદેશમાં તેમના ટેબ્લા રમતા માટે નામ મેળવ્યું. તેમણે અનેક બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

તેમના પિતાનું નામ વાસુદેવ મહારાજ હતું. લચુજી કુલ 12 ભાઈઓ અને બહેનો હતા. બધા ભાઈબહેનો ચોથા નંબર હતા. લખુ મહારાજ ગોવિંદા સાથે પણ સંબંધ ધરાવે છે. ખરેખર, લચ્છુ ની બહેન નિર્મલા અભિનેતા ગોવિંદાની માતા છે. લચ્છુ ની ફ્રેન્ચ મહિલા ટીના સાથે લગ્ન થઈ હતી, જેની પાસે તેની પુત્રી છે, તેનું નામ નારાયણી છે. આજના ગૂગલ ડૂડલમાં , ગૂગલે તેમના હોમ પેજ પર લચ્છુજી મહારાજની પેઇન્ટિંગ કરી છે. લચ્છુજી ગાવાનું અને તબ્લા તેમાં રમી રહ્યું છે.

 27 જૂન, 2016 ના રોજ 72 વર્ષની વયે હૃદયરોગનો હુમલો થયો. તેનું અંતિમવિધિ ફક્ત બનારસના માનકર્ણિકા ઘાટ પર કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં ટેબ્લા રમતા સાથે, તેમણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સરકારે પદ્મ શ્રી સન્માન માટે લચ્છુ મહારાજને નામાંકિત કર્યા હતા, પરંતુ મહારાજે એમ કહીને નકારી કાઢ્યું કે લોકો સાથેનો પ્રેમ તેમના માટે સૌથી મોટો સન્માન છે. 

યુથ ઓલિમ્પિક્સમાં ભારત માટે સુવર્ણ દિવસ: જેરેમી, મનુને ઐતિહાસિક ગોલ્ડ મેડલ

 Image result for youth olympic games 2018

- ભારત 2 ગોલ્ડ, 3 સિલ્વર સાથે મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને

- મિઝોરમનો 15 વર્ષીય જેરેમી યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનારો સૌપ્રથમ ભારતીય બન્યો


યુથ સમર ઓલિમ્પિક્સ ૨૦૧૦ના વર્ષથી યોજાઇ રહી છે. જેમાંથી ૨૦૧૦ અને ૨૦૧૪ એમ બંને ઓલિમ્પિક્સમાં ભારતના એથ્લિટ્સ એકપણ ગોલ્ડ મેડલ જીતી શક્યા નહોતા. અલબત્ત, ૨૦૧૮ની યુથ સમર ઓલિમ્પિક્સનો પ્રારંભ થયાને હજુ ત્રણ દિવસ થયા છે ત્યાં તે ભારત માટે યાદગાર પુરવાર થઇ રહી છે.
યુથ સમર ઓલિમ્પિક્સમાં રવિવારે  જેરેમી લાલરિનનુગાએ વેઇટલિફ્ટિંગમાં જ્યારે સોમવારે મનુ ભાકેરે શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આમ, ભારત ૨ ગોલ્ડ-૩ સિલ્વર સાથે મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગયું છે.
૧૬ વર્ષીય મનુ ભાકેરે એર પિસ્તોલ ઇવેન્ટમાં ૨૩૬.૫ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હરિયાણાની મનુ અગાઉ વર્લ્ડકપ, કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
ભારતના વેઇટલિફ્ટર જેરેમી લાલરિનનુગાએ યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ સર્જી દીધો છે. આ સાથે જ જેરેમી યુથ ઓલિમ્પિક્સમાં  ગોલ્ડ મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય બની ગયો છે. મિઝોરમના આઇજોલના આ ૧૫ વર્ષીય વેઇટલિફ્ટરે ૬૨ કિગ્રા વજનજૂથમાં ૧૨૪ કિલોગ્રામ અને ૧૫૦ કિલોગ્રામ એમ કુલ ૨૭૪ કિલોગ્રામ ઉંચકીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. અગાઉ જેરેમી વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ પણ અપાવી ચૂક્યો છે.

સોમવાર, 15 ઑક્ટોબર, 2018


કુંભમેળા પહેલા યાત્રાધામ અલ્હાબાદનુ નામ બદલાશે, જાણો કયુ નામ સૂચવાયુ

 Related image
દેશના સૌથી મોટી રાજ્ય ઉત્તરપ્રદેશના સૌથી મોટા યાત્રાધામ પૈકીના એક અલ્હાબાદનુ નામ બદલવાનુ સરકારે નક્કી કર્યુ છે.
અલ્હાબાદનુ નામ બદલીને પ્રયાગરાજ કરવાનુ સુચન સંત સમુદાયે કર્યુ છે. જેને યોગી સરકારે સ્વીકાર્યુ છે. અલ્હાબાદમાં કુંભમેળો યોજાવાનો છે ત્યારે તેના માટે સંતો સાથે યોજાયેલી બેઠકમાં આ સૂચન થયુ હતુ.રાજ્યપાલે પણ આ સૂચન સાથે સંમતિ દર્શાવી છે.
યોગીએ કહ્યુ હતુ કે અહીંયા ગંગા અને યમુના એમ બે પવિત્ર નદીઓનો સંગમ થાય છે.માટે અલ્હાબાદના પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવશે.
યુપી કેબિનેટની આગામી બેઠકમાં આ નિર્ણય પર મંજુરીની મહોર મારવામાં આવે તેવી શક્યતા છે.
હાલમાં અલ્હાબાદમાં કુંભમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.



શરમજનક સ્થિતિ, ગ્લોબર હંગર ઈન્ડેક્સમાં 119 દેશોમાં ભારત 103મા સ્થાને


ભારતમાં એક તરફ શહેરોની ચકાચૌંધ છે તો બીજી તરફ કારમી ગરીબી છે. લાખો લોકોને પેટ પુરતુ ખાવાનુ પણ મળતુ નથી.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત પાછળ સરક્યુ છે.જે દેશ માટે શરમજનક કહી શકાય. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ એટલે કે ભૂખમરાની સ્થિતિની રીતે જોવામાં આવે તો દુનિયાના 119 દેશોમાં ભારત 103મા સ્થાને છે. ગયા વર્ષે આ યાદીમાં ભારત 100મા સ્થાને હતુ.
ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટુ અર્થતંત્ર બન્યુ હોવાનુ ગૌરવ ભલે લેવાતુ હોય પણ વાસ્તિવકતા જુદી જ છે. હંગર ઈન્ડેક્સમાં ખાસ કરીને એ બાબત પર ભાર મુકવામાં આવતો હોય છે કે જે તે દેશમાં લોકોને પુરતા પ્રમાણમાં ભોજન મળે છે કે કેમ અને કેટલા લોકો કુપોષણનો શિકાર છે.
આ મામલામાં તો ભારતની સ્થિતિ નેપાળ અને બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે. ઈન્ડેક્સમાં બાંગ્લાદેશ 86, નેપાળ 72 અને શ્રીંલકા 67મા સ્થાને છે. પાડોશી દેશોમાં એક માત્ર પાકિસ્તાન ભારત કરતા પાછળ 106મા ક્રમે છે.


શનિવાર, 13 ઑક્ટોબર, 2018

અજોડ સૂરબહાર વાદક અન્નપૂર્ણાદેવીનું નિધન

Image result for Annapurna-devi Classical-Instrumentalist

-પંડિત રવિશંકરના પહેલાં પત્ની હતાં

-ઘણાં વાદ્યોનાં અજોડ વાદક હતાં


ભારતીય શાસ્ત્રીય સંગીતના અજોડ ઉપાસક અને સિતાર, સરોદ, સૂરબહાર, બિન ઇત્યાદિ વાજિંત્રોના અદ્વિતીય પ્રસ્તુતકર્તા શ્રીમતી અન્નપૂર્ણાદેવીનું આજે સવારે નિધન થયું હતું.
ટોચના બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસિયા, ડૉક્ટર સુનીલ શાસ્ત્રી, નિત્યાનંદ હલદીપુરકર વગેરે કલાકારોના ગુરુ એવા અન્નપૂર્ણા દેવી આવરદાના નવમા દાયકામાં હતાં અને છેલ્લાં થોડા સમયથી પથારીવશ હતાં. શિષ્યોમાં પૂજ્ય મા તરીકે તેઓ ળખાતા્ં હતાં.
મૈહર ઘરાનાના એક અને અપ્રતીમ સ્વર સાધક ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન સાહેબનાં પુત્રી એવાં અન્નપૂર્ણા દેવીનાં લગ્ન ઉસ્તાદજીના પ્રથમણ હરોળના  શિષ્ય અને પાછળથી જગવિખ્યાત 
સિતારવાદક બનેલા પંડિત રવિશંકર સાથે થયાં હતાં. આરંભે બંને સાથે સ્ટેજ પર સંગીત રજૂ કરતાં હતાં. કેટલાક લોકોને એમ લાગતું હતું કે પંડિતજી કરતાં પૂજ્ય મા વધુ સરસ રીતે સિતાર વગાડે છે. પરિણામે પંડિત રવિશંકરનો અહંક્લેશ થયો હતો અને એમણે પોતાના ગુરુ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનને ફરિયાદ કરી હતી. પતિનો અસંતોષ જોઇને ખુદ માએ જાહેરમાં સિતાર સરોદ વાદન કરવાનું બંધ કર્યું હતું અને એ રીતે કળિયુગનાં સતી બની રહ્યાં હતાં. પંડિત રવિશંકરથી એમને એક પુત્ર થયો હતો જે કિશોર વયે પિતાની પાસે ગયો હતો અને અમેરિકામાં જ એનું અકાળ અવસાન થયું હતું.

શુક્રવાર, 12 ઑક્ટોબર, 2018

જખૌના સમુદ્રમાંથી પ્રગટેલા મા આશાપુરા, વિશાળ કદની પ્રતિમા છતાં પુષ્પતુલ્ય વજન!

 

- નલિયાના નગરશેઠને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા

- નગરશેઠ અને તિલાટ ઠાકોર સહિતના મહાજનોએ જૂની કાપડ બજાર વિસ્તારમાં દાવડા પરિવારની બેઠકમાં સ્થાપના કરી હતી


મા આશાપુરાના પ્રાગટય સાથે નલિયાના મંદીરની કાથા વણાયેલી છે. નગરશેઠને સ્વપ્નમાં આવેલા માતાજીએ આદેશ કર્યો હતો કે જખૌના દરિયાકિનારેાથી તેમને લાવવામાં આવે અને નલિયામાં વિધિવત સૃથાપિત કરાય.

અબડાસાના મુખ્ય માથક નલિયાના આશાપુરા માતાજીના મંદીરનો રોચક ઈતિહાસ જાણવા જેવો છે. આ જ ગામના નગરશેઠ સાંયામાલ ફતનમલ દાવડા ઠક્કર ધર્માભિમુખ અને દાનવીર હતા. વિક્રમ સંવત ૧૭૨૦ના આષાઢ સુદ૨ ના માતાજી સપનામાં આવ્યા હતા. જેમાં એવો આદેશ આપ્યો હતો કે, નલિયાથી ૧૦ ગાઉ એટલે કે અંદાજે ૨૮ કિલોમીટર જખૌના દરિયાકિનારા પાસેથી નગરશેઠ તેના મસ્તક પર પાધરાવીને તેના ઘરની બેઠકમાં વિિધવત સૃથાપિત કરે. 

સાંયામાલે એવો પ્રશ્ન કર્યો કે આવી વિશાળ પ્રતિમા હું કેમ ઉંચકી શકીશ ? ત્યારે મા આશાપુરાએ એવું આશ્વાસન આપ્યું હતું કે, મૂર્તિનો ભાર પુષ્પતુલ્ય લાગશે.  આમ સાંભળીને નગરશેઠે ત્યાંના તિલાટ ઠાકોર હોથીજી પેટવારા, હમીરજી, હાલાજી અને ગામના મહાજનો અને લોકોની સહમતિ સાધીને મોટી સંખ્યામાં લોકો જખૌના સમુદ્ર સુાધી પહોંચ્યા હતા. 

અહીં પાધારેલા માતાજીને વાજતે ગાજતે લાવ્યા અને નગરશેઠની બેઠકમાં પાધરાવીને તે સમયે સારસ્વત બ્રાહ્મણ પંડિત ગંગારામ મેઘરાજ ગાવડિયાના આચાર્યપદે વિધિપૂર્વક સૃથાપના કરી હતી. આ મંદિરનુ મહત્વ પણ વિશેષ જળવાઈ રહ્યું છે. 

છોટાઉદેપુરનુ ટીમલી નૃત્ય અને કચ્છનું ગજિયો ગીત આકર્ષણનું કેન્દ્ર રહ્યું

 
-     ડાયરામાં મેઘાણી અને દુલા ભાયા કાગના છંદ તેમજ દુહાએ રંગ જમાવ્યો

રાષ્ટ્રીય એક્તા શિબિરના આઠ દિવસીય કાર્યક્રમમાં ૧૧ રાજ્યોના વિદ્યાર્થીઓ દરરોજ પોતાના રાજ્યનું પ્રખ્યાત નૃત્ય અને સંગીત રજૂ કરી રહ્યા છે.આજે ગુજરાતનું ટીમલી અને ગજિયો નૃત્ય વિદ્યાર્થીઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
એમ.એસ.યુનિ.માં સોશિયલ વર્ક ફેકલ્ટીમાં યોજાયેલી રાષ્ટ્રીય એક્તા શિબિરમાં ગુજરાત,ઉત્તરપ્રદેશ, ઓડિશા અને કર્ણાટકના વિદ્યાર્થીઓ પોતાના લોકનૃત્ય તેમજ શાસ્ત્રીય નૃત્યની પ્રસ્તુતિ કરી હતી.જેમાં ઓડિશાના વિદ્યાર્થીઓએ પાટ્ટસાળી પહેરીને સાંતાલી, સંગીતના પાંચ સાધનો સાથે કરાતું સંબલપુરી નૃત્ય અને સંકીર્તનની પ્રસ્તુતિ કરી તો બીજી તરફ યુપી અને કર્ણાટકના વિદ્યાર્થીઓએ કથક,ભરતનાટયમ અને કવાલી રજૂ કરી હતી. 
ગુજરાત વિદ્યાપીઠ અને ભક્ત કવિ નરસિંહ મહેતાના વિદ્યાર્થીઓએ છોટાઉદેપુર અને કવાંટનું પ્રખ્યાત ટીમલી નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.વિદ્યાર્થીઓએ કહ્યું કે, ટીમલી નૃત્ય આદિવાસીઓનું સાંસ્કૃતિક નૃત્ય છે જે કોઈ ગીતના બોલ વગર ફક્ત ઢોલના થાપ પર જ કરવામાં આવે છે.પરંતુ આધુનિક સમયમાં હવે ઢોલના સ્થાને બીજા સંગીતના સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સિવાય તેમણે ડાયરામાં મેઘાણી અને દુલા ભાયા કાગના છંદ અને દુહા ગાયા હતા.
નવરાત્રિ અને લગ્નમાં ગવાતા ગજિયા વિશે વાત કરતા વિદ્યાર્થીએ કહ્યું કે ગજિયો ઢોલ,શહેનાઈ,બેંજો અને કેસિયો સાથે ગાવામાં આવે છે અને લાકડી સાથે કલાકારો નૃત્ય કરે છે.ગજિયાનો અર્થ પથ્થર અને પહેલાના સમયમાં માપ લેવા માટે મીટરના સ્થાને ગજ શબ્દનો પ્રયોગ થતો હતો.
આજે પણ કચ્છના દરેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગજિયાની પ્રસ્તુતિ કરવામાં આવે જ છે.