સોમવાર, 15 ઑક્ટોબર, 2018


કુંભમેળા પહેલા યાત્રાધામ અલ્હાબાદનુ નામ બદલાશે, જાણો કયુ નામ સૂચવાયુ

 Related image
દેશના સૌથી મોટી રાજ્ય ઉત્તરપ્રદેશના સૌથી મોટા યાત્રાધામ પૈકીના એક અલ્હાબાદનુ નામ બદલવાનુ સરકારે નક્કી કર્યુ છે.
અલ્હાબાદનુ નામ બદલીને પ્રયાગરાજ કરવાનુ સુચન સંત સમુદાયે કર્યુ છે. જેને યોગી સરકારે સ્વીકાર્યુ છે. અલ્હાબાદમાં કુંભમેળો યોજાવાનો છે ત્યારે તેના માટે સંતો સાથે યોજાયેલી બેઠકમાં આ સૂચન થયુ હતુ.રાજ્યપાલે પણ આ સૂચન સાથે સંમતિ દર્શાવી છે.
યોગીએ કહ્યુ હતુ કે અહીંયા ગંગા અને યમુના એમ બે પવિત્ર નદીઓનો સંગમ થાય છે.માટે અલ્હાબાદના પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવશે.
યુપી કેબિનેટની આગામી બેઠકમાં આ નિર્ણય પર મંજુરીની મહોર મારવામાં આવે તેવી શક્યતા છે.
હાલમાં અલ્હાબાદમાં કુંભમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો