શુક્રવાર, 12 ઑક્ટોબર, 2018

જખૌના સમુદ્રમાંથી પ્રગટેલા મા આશાપુરા, વિશાળ કદની પ્રતિમા છતાં પુષ્પતુલ્ય વજન!

 

- નલિયાના નગરશેઠને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા

- નગરશેઠ અને તિલાટ ઠાકોર સહિતના મહાજનોએ જૂની કાપડ બજાર વિસ્તારમાં દાવડા પરિવારની બેઠકમાં સ્થાપના કરી હતી


મા આશાપુરાના પ્રાગટય સાથે નલિયાના મંદીરની કાથા વણાયેલી છે. નગરશેઠને સ્વપ્નમાં આવેલા માતાજીએ આદેશ કર્યો હતો કે જખૌના દરિયાકિનારેાથી તેમને લાવવામાં આવે અને નલિયામાં વિધિવત સૃથાપિત કરાય.

અબડાસાના મુખ્ય માથક નલિયાના આશાપુરા માતાજીના મંદીરનો રોચક ઈતિહાસ જાણવા જેવો છે. આ જ ગામના નગરશેઠ સાંયામાલ ફતનમલ દાવડા ઠક્કર ધર્માભિમુખ અને દાનવીર હતા. વિક્રમ સંવત ૧૭૨૦ના આષાઢ સુદ૨ ના માતાજી સપનામાં આવ્યા હતા. જેમાં એવો આદેશ આપ્યો હતો કે, નલિયાથી ૧૦ ગાઉ એટલે કે અંદાજે ૨૮ કિલોમીટર જખૌના દરિયાકિનારા પાસેથી નગરશેઠ તેના મસ્તક પર પાધરાવીને તેના ઘરની બેઠકમાં વિિધવત સૃથાપિત કરે. 

સાંયામાલે એવો પ્રશ્ન કર્યો કે આવી વિશાળ પ્રતિમા હું કેમ ઉંચકી શકીશ ? ત્યારે મા આશાપુરાએ એવું આશ્વાસન આપ્યું હતું કે, મૂર્તિનો ભાર પુષ્પતુલ્ય લાગશે.  આમ સાંભળીને નગરશેઠે ત્યાંના તિલાટ ઠાકોર હોથીજી પેટવારા, હમીરજી, હાલાજી અને ગામના મહાજનો અને લોકોની સહમતિ સાધીને મોટી સંખ્યામાં લોકો જખૌના સમુદ્ર સુાધી પહોંચ્યા હતા. 

અહીં પાધારેલા માતાજીને વાજતે ગાજતે લાવ્યા અને નગરશેઠની બેઠકમાં પાધરાવીને તે સમયે સારસ્વત બ્રાહ્મણ પંડિત ગંગારામ મેઘરાજ ગાવડિયાના આચાર્યપદે વિધિપૂર્વક સૃથાપના કરી હતી. આ મંદિરનુ મહત્વ પણ વિશેષ જળવાઈ રહ્યું છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો