શુક્રવાર, 19 એપ્રિલ, 2019


આજે વર્લ્ડ બાયસિકલ ડે: સાયકલ સાથે જોડાયેલો છે ભાવનગરનો રસુપ્રદ ઇતિહાસ

1943ની 19મી એપ્રિલે અંગ્રેજ ઘાયલ વૈજ્ઞાનિક હોક મેનને બ્રિટનમાં યુધ્ધના સમયે અન્ય વાહન પર પ્રતિબંધ હતો તે સમયે સાયકલ પર હોસ્પિટલ લવાયેલ અને તેનો જીવ બચી ગયો હતો. સાયકલ એમ્બ્યુલન્સ યાત્રાના આ દિવસને વિશ્વના દેશો 'બાયસીકલ ડે' તરીકે ઉજવે છે. સાયકલ સાથે ભાવનગરનો પણ રસપ્રદ ઇતિહાસ ધરોબાયેલ છે.

આજે બાયસીકલ ડે ભાવનગરનો બાયસીકલનો એક આગવો ઇતિહાસ છે. સાયકલ ઉપર લાઇટના કાયદા અંગે સત્યાગ્રહ થયો હોય અને તેમા સત્યાગ્રહીની કાયદાકીય રીતે જીત થઇ હોય તે ભારતભરની ઐતિહાસિક ઘટના છે. 1950થી 1970એ બે કાયદા સાયકલનો સુવર્ણ ઇતિહાસ રહ્યો છે.

ભાવનગરમાં સાયકલના લાયસન્સ અને સાયકલ પર બત્તી રાખવા અંગેનો એક ઐતિહાસિક બનાવ છે. મુંબઇ પોલીસ એક્ટ મુજબ આજે પણ સાયકલ ઉપર લાઇટ હોવાનો કાયદો છે પણ તેનું અમલીકરણ હવે હેલમેટના કાદા જેવું છે. 1950 થી 1970ના બે દાયકામાં સાયકલ પર લાઇટના કાયદાનું કડક રીતે પાલન કરવામાં આવતું હતુ. લાયસન્સ વગરના સાયકલ સવારને પોલીસ પકડી નામ લખતી અને બીજે દિવસે કોર્ટમાં દંડ થતો આ માટે ઘણા સાયકલ સવારો પાછલા વ્હીલ પર ફીટ કરેલો ડાયનામો ચલાવી આગળ લાઇટ રાખતા તો વળી કેટલાક લોકો કેરોસીનવાળુ ટમટમીયુ રાખતા.

આ કાયદા અંગે 1964માં એક રસપ્રદ ઘટના બની હતી. શહેરના ગાંધીવાદી સજ્જન જયંતીભાઇ કાપડીયા સાયકલ પર લાઇટના કડક કાયદાનું કડક અમલ કરતા. એક દિવસ રાત્રે દુકાન વધાવી ઘરે સાયકલ પર પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસે અટકાવી સાયકલ પર લાઇટ ન હોવાનું જણાવી નામ લખ્યું હતુ. જયંતીભાઇએ દલિલ કરી કે સાયકલ પર કેરોસીન પુરેલુ ટમટમીયુ નહીં પરંતુ ફાનસ લટકાવ્યું છે તેનો પ્રકાશ વધારે પડે. જો કે, પોલીસે દલિલ ન સાંભળી કેસ કરી નાખ્યો હતો.

બીજા દિવસે કોર્ટમાં જયંતીભાઇએ મેજીસ્ટ્રેટ સામે જાતે ઉભા રહી દલિલો કરી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જજ શૈલતએ તેમની દલિલ ગ્રાહ્ય રાખી કોઇપણ દંડ વગર જવા દીધા હતા. ત્યારપછી આ જયંતીભાઇ કાપડીયા સાયકલ ચલાવી ત્યાં સુધી ફાનસ લટકાવીને ચલાવતા રહ્યા.

બાયસીકલના કાયદાકાળ દરમિયાન બત્તીના કાયદા ભંગના સૌથી વધુ કેસ ભાવનગરના ડોન-ડાયમંડ ચોકમાં નોંધાયેલા કારણ કે તે સમયે ભાવનગર ગામતળમાં વસતા લોકો શનિ-રવિ અને રજાના દિવસોમાં ઉજાણી કરવા ઘોઘાસર્કલ આવતા અને પરત ફરતા અંધારૃ થઇ જતા બત્તીના કેસ નોંધાતા. આમ તે સમયે સાયકલ એટલે કે બાયસીકલ પ્રતિષ્ઠા અને ગૌરવનો મુદ્દો રહેતી.

કૃષ્ણકુમારસિંહજીએ પોતાના વૈદ્યને પીતળના હેન્ડલવાળી સાયકલ ભેટ આપી હતી

સાત દાયકા પહેલા પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમની તબીબી સેવા કરનાર કમ્પાઉન્ડર ડો.ભાણજીભાઇ વૈદ્યને શષ્ટકોણ પિતળના હેન્ડલવાળા સાયકલ ભેટ આપેલ. ડો.ભાણીજીભાઇ એ 36 વર્ષ સુધી પોતાના વિરભદ્ર અખાડા પાસેથી નિલમબાગ પેલેસ સુધી રોજ જવા આવવામાં આ સાયકલનો ઉપયોગ કરતા તેઓ માત્ર 15 મીનીટમાં નિલમબાગ પહોચતા આ ઉપરાંત ભાવનગરમાં સો વર્ષ કરતા પણ જુની સાયકલ વિરભદ્ર અખાડાવાળા મધુભાઇ શાહ પાસે છે. તેઓ નિવૃત થયા પછી પણ 14 વર્ષથી રોજ સાયકલ લઇને દરબારગઢ ખાતે એસબીઆઇના ફોરેન એક્સચેઇજ ડીપાર્ટમેન્ટમાં એકપણ રૂપિયાનું વેતન લીધા વગર સેવા આપવા જાય છે.

બળદગાડુ તૂટયા બાદ હનુમાનજીની મૂર્તિ ટસની મસ ન થતા અહીં જ સ્થાપના થઈ

 

- 100 વર્ષ પુરાણા પાઘડીવાળા સંકટમોચન

- ખેરગામ નજીકના રૂમલા ગામે મંદિરમાં દર શનિવારે રાતે ત્રણ કલાક નિયમિત ભજનો ગવાય છે


ખેરગામ સમીપના રૂમલા ગામે સો વર્ષથી વધુ પુરાણા પાઘડીવાળા સંકટ મોચન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થશે. લોકવાયકા મુજબ, બળદગાડામાં હનુમાનજીની અને અન્ય મૂર્તિઓ લઈ જતા હતા ત્યારે આ મંદિરની જગ્યાએ બળદગાડાનો આક તૂટી જતા મૂર્તિઓને ઉંચકીને બીજા બળદગાડામાં મુકવા માટે અનેક પ્રયત્નો થયા પણ આ સંકટ મોચન મૂર્તિ ટસની મસ ન થતા ભક્તોએ આ જ જગ્યાએ સવાસો એક વર્ષ પહેલા નાનકડુ મંદિર બનાવેલ અને તેની ભક્તિભાવથી પૂજા - અર્ચના કરતા આવ્યા છે.
રૂમલા ગામના ગ્રામજનોએ ભેગા થઈ આ મંદિરનો તા. ૨-૬-૧૯૯૨ ના દિને પુનર્નિર્માણ કરી ભગવાન શિવ-પાર્વતી અને રામ-લક્ષ્મણ-જાનકીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ મનાવ્યો. અગ્રણીઓની દેખરેખથી આ મંદિર સંકુલ સુંદર બનાવાયું છે, જેમાં શિવજીની તામ્રવર્ણી ઘણી ઉંચી પ્રતિમા પણ મુકાયેલી છે.
દર શનિવારે રાત્રે ત્રણ કલાકના નિયમિત ભજનો ગવાય છે. શ્રાવણમાં પહેલા સાત દિવસની ને હવે ત્રણ દિવસીય ભજન સપ્તાહ થાય છે. જેમાં ગામની ૧૯ થી વધુ ભજન મંડળીઓ ઉત્સાહથી ભજનો ગવાય છે.
ગુજરાતમાં અને કદાચ દેશમાં પણ પાઘડીવાળા હનુમાનજીનું એકમાત્ર સ્થાનક રૂમલા ગામમાં જ છે, જેનું સત્ હોય દક્ષિણ ગુજરાતમાંથી બજરંગ બલીના ભક્તો દર્શન કરવા પૂજા-અર્ચન માટે આવે છે અને દાન પ્રવાહ પણ વહાવડાવે છે. હનુમાન જયંતિ નિમિત્તે શુક્રવારે સવારે ૧૧ થી વધુ દંપતિઓ યજ્ઞામાં ભાગ લેશે. મહા આરતી થશે અને ત્યારબાદ સેંકડો હનુમાન ભક્તો મહાપ્રસાદ લેશે. સાંજે ભક્તિસંગીતની રંગત જામશે.

આજે હનુમાન જયંતિ : મંદિરોમાં મહાઆરતી, સુંદરકાંડના પાઠનું વિશિષ્ટ આયોજન


Image result for hanuman jayanti


મનુષ્ય જ્યારે ચોમેરથી વિપદાઓ વચ્ચે ઘેરાયેલો હોય ત્યારે જેમનું સ્મરણ માત્ર તમામ સંકટમાંથી ઉગારી શકે છે તેવા હનુમાનજીની જયંતિ આવતીકાલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં આસ્થાપૂર્વક ઉજવવામાં આવશે. પવનપુત્રની જયંતિ નિમિત્તે આવતીકાલે વહેલી સવારથી મોડી રાત સુધી હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. મંદિરોમાં હનુમાન ચાલિસા, સુંદરકાંડના પાઠ, મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે ચૈત્ર પૂર્ણિમા છે ત્યારે આ દિવસ હનુમાન જયંતિનો, પિતૃકૃપા મેળવવાનો છે. ચૈત્ર પૂર્ણિમા નિમિત્તે શક્તિપીઠ સહિતના માઇમંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટશે. બીજી તરફ બોટાદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના દર્શન માટે ગુરુવારે રાતથી જ મોટી સંખ્યામાં ભક્તોનું આગમન શરૃ થઇ ગયું છે. સાળંગપુરમાં દર વર્ષની જેમ આ વખતે પણ હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે હનુમાનજીની મૂર્તિનો અભિષેક, દાદાનું સમૂહયજ્ઞા પૂજન, દાદાના ભવ્ય અન્નકૂટ દર્શન, સુંદરકાંડના પાઠ યોજવામાં આવશે.

શાસ્ત્રવિદોના મતે હનુમાનજીની ઉપાસના અનેક રીતે ફળદાયી છે. હનુમાન ચાલિસા, સંકટમોનચન હનુમાનષ્ટક, હનુમાન બાહુક કે રામનામના જપથી પણ બજરંગબલીની કૃપા વરસે છે. હનુમાનજીને આંકડાનો હાર, સીંદુર, તેલ ચઢાવવાનો મહિમા છે.


ગુરુવાર, 18 એપ્રિલ, 2019


પુરુષોના 65 કિલોગ્રામ વેઈટ રેન્જમાં પ્રથમ નંબરે આવ્યા ભારતીય પહેલવાન બજરંગ પુનિયા

 
સ્ટાઈલ કુશ્તીમાં ફરીથી વિશ્વમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
ભારતીય પહેલવાન બજરંગ પુનિયાએ પુરુષોની 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં ફરી વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બજરંગ પુનિયાએ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગની બુધવારે જાહેર કરેલી તાજી યાદીમાં ફરી એક વાર 65 કિલોગ્રામ વેઈટ રેન્જમાં દુનિયા પ્રથમ નંબરના પહેલવાન બની ગયા છે. 25 વર્ષીય હરિયાણવી પહેલવાન પુનિયાએ ગયા વર્ષે એશિયાઈ અને રાષ્ટ્રમંડળ રમતોમાં ગોલ્ડ મેડલ જીતવા સિવાય વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો છે. જેનાથી તેમને 58 અંક મળ્યા છે.
 


જાણો ક્યારે થઈ વિશ્વ ધરોહર દિવસની શરૂઆત અને શું છે તેનું મહત્વ
 
વિશ્વની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોને સંરક્ષિત રાખવા માટે યૂનેસ્કો દ્વારા દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનું કારણ એ પણ છે કે તેના માધ્યમથી લોકોને ઐતિહાસિક સ્થળોના મહત્વ વિશે જાણકારી મળી શકે. આ દિવસની ઉજવણી સાથે લોકો સુધી સંદેશ પણ પહોંચે છે કે આપણી ઐતિહાસિક ધરોહરોની  સંભાળ રાખવાની પણ જરૂર છે. 
આ ઐતિહાસિક સ્થળોનું આંતરરાષ્ટ્રીય મહત્વ પણ હોય છે. આ યાદીમાં એવા સ્થળનો સમાવેશ કરવામાં આવે છે જેને યૂનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત હોય. કોઈ સ્થાન વિશે યૂનેસ્કો માને છે કે માનવ સંસ્કૃતિ માટે તે જરૂરી છે અને તે સ્થાનનું સાંસ્કૃતિક અને ભૌતિક મહત્વ છે તો તેને વિશ્વ ધરોહર તરીકે માન્યતા મળે છે. 
18 એપ્રિલને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવાની શરૂઆત 1982થી થઈ. આ પ્રસ્તાવને નવેમ્બર 1983માં યૂનેસ્કોએ માન્યતા આપી અને ત્યારબાદ દર વર્ષે 18 એપ્રિલના રોજ આ દિવસ ઉજવાય છે. યૂનેસ્કોની યાદીમાં ખાસ સ્થળ જેવા કે વન ક્ષેત્ર, પર્વત, તળાવ, સ્મારક, ભવન કે શહેરનો સમાવેશ થાય છે. વર્ષ 2013 સુધીમાં દુનિયાના લગભગ 981 સ્થળોને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા. જેમાં ઈટલીના 49, ચીનના 45, સ્પેનના 44, ફ્રાંસ અને જર્મનીની 38 ધરોહરનો સમાવેશ થાય છે. 

બુધવાર, 17 એપ્રિલ, 2019

વિશ્વ હિમોફિલિયા દિવસ


 Image result for haemophilia


હીમોફીલિયા લોહીનો વારસાગત રોગ છે. જેમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા ખામીયુક્ત હોય છે. જોકે આ રોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે 17મી એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

મંગળવાર, 16 એપ્રિલ, 2019


પેરીસનું પ્રાચીન અને દુનિયાભરમાં મશહુર નોટ્રાડમ કેથેડ્રલમાં ભીષણ આગ લાગી

પેરીસનું પ્રાચીન અને દુનિયાભરમાં મશહુર નોટ્રાડમ કેથેડ્રલમાં આજે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે, કેટલાંક સમયમાં સમગ્ર ઇમારતને પોતાની ચપેટમાં લીધું હતું. આ ઇમારતને યુનેસ્કો દ્વારા ધરોહરની યાદીમાં સામેલ કરાયું છે
પેરીસનું પ્રાચીન અને દુનિયાભરમાં મશહુર નોટ્રાડમ કેથેડ્રલમાં આજે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે, કેટલાંક સમયમાં સમગ્ર ઇમારતને પોતાની ચપેટમાં લીધું હતું. આ ઇમારતને યુનેસ્કો દ્વારા ધરોહરની યાદીમાં સામેલ કરાયું છે. આગ ક્યાં કારણોસર લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ફાયરબ્રિગેડ વિભાગનું કહેવું છે કે, ચર્ચમાં સમારકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ દુર્ઘટના બની હોઈ શકે છે. 850 વર્ષ જુના આ ચર્ચમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવા માટે વ્યાપક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ ભવનનો ઘુમ્મટ ઢળી પડ્યો છે. આ ચર્ચને જોવા દર વર્ષે લાખો લોકો આવે છે. નોટ્રાડમ 12મી સદીમાં બન્યું હતું અને આ પેરીસ શહેરથી પણ જૂનું ચર્ચ છે.