શુક્રવાર, 19 એપ્રિલ, 2019


આજે વર્લ્ડ બાયસિકલ ડે: સાયકલ સાથે જોડાયેલો છે ભાવનગરનો રસુપ્રદ ઇતિહાસ

1943ની 19મી એપ્રિલે અંગ્રેજ ઘાયલ વૈજ્ઞાનિક હોક મેનને બ્રિટનમાં યુધ્ધના સમયે અન્ય વાહન પર પ્રતિબંધ હતો તે સમયે સાયકલ પર હોસ્પિટલ લવાયેલ અને તેનો જીવ બચી ગયો હતો. સાયકલ એમ્બ્યુલન્સ યાત્રાના આ દિવસને વિશ્વના દેશો 'બાયસીકલ ડે' તરીકે ઉજવે છે. સાયકલ સાથે ભાવનગરનો પણ રસપ્રદ ઇતિહાસ ધરોબાયેલ છે.

આજે બાયસીકલ ડે ભાવનગરનો બાયસીકલનો એક આગવો ઇતિહાસ છે. સાયકલ ઉપર લાઇટના કાયદા અંગે સત્યાગ્રહ થયો હોય અને તેમા સત્યાગ્રહીની કાયદાકીય રીતે જીત થઇ હોય તે ભારતભરની ઐતિહાસિક ઘટના છે. 1950થી 1970એ બે કાયદા સાયકલનો સુવર્ણ ઇતિહાસ રહ્યો છે.

ભાવનગરમાં સાયકલના લાયસન્સ અને સાયકલ પર બત્તી રાખવા અંગેનો એક ઐતિહાસિક બનાવ છે. મુંબઇ પોલીસ એક્ટ મુજબ આજે પણ સાયકલ ઉપર લાઇટ હોવાનો કાયદો છે પણ તેનું અમલીકરણ હવે હેલમેટના કાદા જેવું છે. 1950 થી 1970ના બે દાયકામાં સાયકલ પર લાઇટના કાયદાનું કડક રીતે પાલન કરવામાં આવતું હતુ. લાયસન્સ વગરના સાયકલ સવારને પોલીસ પકડી નામ લખતી અને બીજે દિવસે કોર્ટમાં દંડ થતો આ માટે ઘણા સાયકલ સવારો પાછલા વ્હીલ પર ફીટ કરેલો ડાયનામો ચલાવી આગળ લાઇટ રાખતા તો વળી કેટલાક લોકો કેરોસીનવાળુ ટમટમીયુ રાખતા.

આ કાયદા અંગે 1964માં એક રસપ્રદ ઘટના બની હતી. શહેરના ગાંધીવાદી સજ્જન જયંતીભાઇ કાપડીયા સાયકલ પર લાઇટના કડક કાયદાનું કડક અમલ કરતા. એક દિવસ રાત્રે દુકાન વધાવી ઘરે સાયકલ પર પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસે અટકાવી સાયકલ પર લાઇટ ન હોવાનું જણાવી નામ લખ્યું હતુ. જયંતીભાઇએ દલિલ કરી કે સાયકલ પર કેરોસીન પુરેલુ ટમટમીયુ નહીં પરંતુ ફાનસ લટકાવ્યું છે તેનો પ્રકાશ વધારે પડે. જો કે, પોલીસે દલિલ ન સાંભળી કેસ કરી નાખ્યો હતો.

બીજા દિવસે કોર્ટમાં જયંતીભાઇએ મેજીસ્ટ્રેટ સામે જાતે ઉભા રહી દલિલો કરી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જજ શૈલતએ તેમની દલિલ ગ્રાહ્ય રાખી કોઇપણ દંડ વગર જવા દીધા હતા. ત્યારપછી આ જયંતીભાઇ કાપડીયા સાયકલ ચલાવી ત્યાં સુધી ફાનસ લટકાવીને ચલાવતા રહ્યા.

બાયસીકલના કાયદાકાળ દરમિયાન બત્તીના કાયદા ભંગના સૌથી વધુ કેસ ભાવનગરના ડોન-ડાયમંડ ચોકમાં નોંધાયેલા કારણ કે તે સમયે ભાવનગર ગામતળમાં વસતા લોકો શનિ-રવિ અને રજાના દિવસોમાં ઉજાણી કરવા ઘોઘાસર્કલ આવતા અને પરત ફરતા અંધારૃ થઇ જતા બત્તીના કેસ નોંધાતા. આમ તે સમયે સાયકલ એટલે કે બાયસીકલ પ્રતિષ્ઠા અને ગૌરવનો મુદ્દો રહેતી.

કૃષ્ણકુમારસિંહજીએ પોતાના વૈદ્યને પીતળના હેન્ડલવાળી સાયકલ ભેટ આપી હતી

સાત દાયકા પહેલા પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમની તબીબી સેવા કરનાર કમ્પાઉન્ડર ડો.ભાણજીભાઇ વૈદ્યને શષ્ટકોણ પિતળના હેન્ડલવાળા સાયકલ ભેટ આપેલ. ડો.ભાણીજીભાઇ એ 36 વર્ષ સુધી પોતાના વિરભદ્ર અખાડા પાસેથી નિલમબાગ પેલેસ સુધી રોજ જવા આવવામાં આ સાયકલનો ઉપયોગ કરતા તેઓ માત્ર 15 મીનીટમાં નિલમબાગ પહોચતા આ ઉપરાંત ભાવનગરમાં સો વર્ષ કરતા પણ જુની સાયકલ વિરભદ્ર અખાડાવાળા મધુભાઇ શાહ પાસે છે. તેઓ નિવૃત થયા પછી પણ 14 વર્ષથી રોજ સાયકલ લઇને દરબારગઢ ખાતે એસબીઆઇના ફોરેન એક્સચેઇજ ડીપાર્ટમેન્ટમાં એકપણ રૂપિયાનું વેતન લીધા વગર સેવા આપવા જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો