શુક્રવાર, 19 એપ્રિલ, 2019

આજે હનુમાન જયંતિ : મંદિરોમાં મહાઆરતી, સુંદરકાંડના પાઠનું વિશિષ્ટ આયોજન


Image result for hanuman jayanti


મનુષ્ય જ્યારે ચોમેરથી વિપદાઓ વચ્ચે ઘેરાયેલો હોય ત્યારે જેમનું સ્મરણ માત્ર તમામ સંકટમાંથી ઉગારી શકે છે તેવા હનુમાનજીની જયંતિ આવતીકાલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં આસ્થાપૂર્વક ઉજવવામાં આવશે. પવનપુત્રની જયંતિ નિમિત્તે આવતીકાલે વહેલી સવારથી મોડી રાત સુધી હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. મંદિરોમાં હનુમાન ચાલિસા, સુંદરકાંડના પાઠ, મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે ચૈત્ર પૂર્ણિમા છે ત્યારે આ દિવસ હનુમાન જયંતિનો, પિતૃકૃપા મેળવવાનો છે. ચૈત્ર પૂર્ણિમા નિમિત્તે શક્તિપીઠ સહિતના માઇમંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટશે. બીજી તરફ બોટાદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના દર્શન માટે ગુરુવારે રાતથી જ મોટી સંખ્યામાં ભક્તોનું આગમન શરૃ થઇ ગયું છે. સાળંગપુરમાં દર વર્ષની જેમ આ વખતે પણ હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે હનુમાનજીની મૂર્તિનો અભિષેક, દાદાનું સમૂહયજ્ઞા પૂજન, દાદાના ભવ્ય અન્નકૂટ દર્શન, સુંદરકાંડના પાઠ યોજવામાં આવશે.

શાસ્ત્રવિદોના મતે હનુમાનજીની ઉપાસના અનેક રીતે ફળદાયી છે. હનુમાન ચાલિસા, સંકટમોનચન હનુમાનષ્ટક, હનુમાન બાહુક કે રામનામના જપથી પણ બજરંગબલીની કૃપા વરસે છે. હનુમાનજીને આંકડાનો હાર, સીંદુર, તેલ ચઢાવવાનો મહિમા છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો