મંગળવાર, 16 એપ્રિલ, 2019


પેરીસનું પ્રાચીન અને દુનિયાભરમાં મશહુર નોટ્રાડમ કેથેડ્રલમાં ભીષણ આગ લાગી

પેરીસનું પ્રાચીન અને દુનિયાભરમાં મશહુર નોટ્રાડમ કેથેડ્રલમાં આજે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે, કેટલાંક સમયમાં સમગ્ર ઇમારતને પોતાની ચપેટમાં લીધું હતું. આ ઇમારતને યુનેસ્કો દ્વારા ધરોહરની યાદીમાં સામેલ કરાયું છે
પેરીસનું પ્રાચીન અને દુનિયાભરમાં મશહુર નોટ્રાડમ કેથેડ્રલમાં આજે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે, કેટલાંક સમયમાં સમગ્ર ઇમારતને પોતાની ચપેટમાં લીધું હતું. આ ઇમારતને યુનેસ્કો દ્વારા ધરોહરની યાદીમાં સામેલ કરાયું છે. આગ ક્યાં કારણોસર લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ફાયરબ્રિગેડ વિભાગનું કહેવું છે કે, ચર્ચમાં સમારકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ દુર્ઘટના બની હોઈ શકે છે. 850 વર્ષ જુના આ ચર્ચમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવા માટે વ્યાપક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ ભવનનો ઘુમ્મટ ઢળી પડ્યો છે. આ ચર્ચને જોવા દર વર્ષે લાખો લોકો આવે છે. નોટ્રાડમ 12મી સદીમાં બન્યું હતું અને આ પેરીસ શહેરથી પણ જૂનું ચર્ચ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો