મંગળવાર, 16 એપ્રિલ, 2019

આજે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ગુજરાતભરમાં આસ્થાપૂર્વક ભવ્ય ઉજવણી

 

- જિનાલયોમાં પ્રભુ મહાવીરને સુંદર આંગી કરાશે : જૈન સંઘોમાં અનુષ્ઠાનનું આયોજન

- અમદાવાદમાં યોજાનારી જન્મ કલ્યાણકની રથયાત્રામાં સુવર્ણ શાહીથી લખાયેલું કલ્પસૂત્ર આકર્ષણનું કેન્દ્ર

 

ચૈત્ર સુદ-૧૩ આવતીકાલે છે ત્યારે વિશ્વભરમાં જીવમાત્રના કલ્યાણ માટે ઉપદેશ આપનારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકનો દિવસ છે. આ નિમિત્તે અમદાવાદ સહિત ગુજરાતભરમાં પ્રભુ મહાવીરની જયંતિ આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે. જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે વિવિધ જૈન સંઘો જિનાલયોમાં પ્રભુની સુંદર આંગી કરવામાં આવશે જ્યારે વિવિધ જૈન સંઘોમાં અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. 
પ્રભુ મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી ૨૯ માઇલ દૂર આવેલા 'બેસધા પટ્ટી' નજીક આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ-૧૩ના થયો હતો. આ દિવસ ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો) દ્વારા રાજનગરના સમસ્ત જૈન સંઘોના સહયોગથી છેલ્લા આઠ વર્ષ માફક આ વખતે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 
આ રથયાત્રામાં ઇન્દ્રધજા, ગજરાજ, શરણાઇ મંડળીઓ, ઘોડા પર સવાર ધજા સાથેના પહેરેગીરો, ધજા-પતાકા, કચ્છી ઘોડી, પ્રભુજીના રથ, સુવર્ણ શાહી વડે લખાયેલા કલ્પસૂત્રની ડોલી આકર્ષણના કેન્દ્ર રહેશે. સવારે ૯ કલાકે શાંતિનગર જૈન સંઘ-ઉસ્માનપુરાથી આ રથયાત્રાનો પ્રારંભ થશે. આ પછી નારણપુરા ક્રોસિંગ-લાડલી-સંઘવી હાઇસ્કૂલ-પ્રિન્સ કોર્નર-મિરામ્બિકા જૈન દેરાસર-અંકુર ચાર રસ્તા થઇ અંકુર દેરાસરના મેદાનમાં સમાપન થશે.
રથયાત્રાના સમાપન બાદ સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે.  બીજી તરફ પરિમલ જૈન સંઘ ખાતે આચાર્ય હંસકીર્તિસૂરીશ્વરજી મ.સા., મુનિ હંસબોધીવિજયજી મ.સા.ની નિશ્રામાં સવારે ૫:૩૦ કલાકે શક્રસ્તવ મહાઅભિષેક, સવારે ૯ વાગ્યે ભવ્ય મેરુ મહોત્સવ, સાંજે મહાપૂજનનું આયોજન કરાયું છે.

રવિવાર, 14 એપ્રિલ, 2019


ભારતના સંવિધાન નિર્માતા ડોક્ટર ભીમરાવ આબંડેકરની આજે જયંતિ

ડોક્ટર આંબેડકરને સંવિધાનના પિતા માનવામાં આવે છે. બાબા સાહેબે તેમના જીવનમાં નિમ્ન વર્ગના લોકોને સમાજમાં સમાનતા અપાવવા પર ભાર આપ્યો હતો. બાબાસાહેબનું ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન રહેલ છે.
ભારતના સંવિધાન નિર્માતા અને મહાન સમાજ સુધારક  ડોક્ટર ભીમરાવ આબંડેકરની આજે જયંતિ છે. ડોક્ટર આંબેડકરને સંવિધાનના પિતા માનવામાં આવે છે. બાબા સાહેબે તેમના જીવનમાં નિમ્ન વર્ગના લોકોને સમાજમાં સમાનતા અપાવવા પર ભાર આપ્યો હતો. બાબાસાહેબનું ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન રહેલ છે. એક અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, શિક્ષાવિદ અને કાયદાના નિષ્ણાત તરીકે તેમણે આધુનિક ભારતનો પાયો મૂક્યો હતો. જેથી બાબાસાહેબની જયંતિ દરેક વર્ષે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. બાબા સાહેબના સન્માનમાં આજે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. 



રામના મંદિર સર્વત્ર પરંતુ લક્ષ્મણજીના મંદિર બે જ: જેમાનું એક ભાવનગરમાં
 
મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામચન્દ્રના દેશભરમાં અસંખ્ય મંદિરો આવેલા છે જયારે તેમના લઘુબંધુ લક્ષ્મણજીના મંદિર ભારત દેશમાં ફકત બે જ સ્થળોએ આવેલા છે. જેમાં એક મંદિર તામીલનાડુમાં તેમજ બીજુ મંદિર ભાવનગર શહેરના વડવા દેવજી ભગતની ધર્મશાળા ખાતે આવેલ છે. જયાં તા. 14.04ને રવિવારે રામનવમીના પર્વે જન્મોત્સવના હરખભેર વધામણા કરવામાં આવશે.

ભગવાન શ્રીરામચન્દ્રજીના જન્મોત્સવની તા. 14.04ને રવિવારે પરંપરાગત રીતે ભાવનગર સહિત દેશભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ચોતરફ મોટી સંખ્યામાં ભગવાન શ્રીરામચન્દ્રના મંદિરો આવેલા છે. ભારત દેશમાં બીજા ક્રમના ગણાતા આ લક્ષ્મણજીના મંદિરના ગૌરવવંતા ઈતિહાસની પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરની સ્થાપનાના થોડા વર્ષ બાદ 247 વર્ષ પૂર્વે શહેરના ભગાતળાવ નજીક ભગતની શેરી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા દશાશ્રીમાળી વણિક લખુભાઈના ઘેર એક પુત્ર દેવજીનો જન્મ થયો હતો.

પૂર્વ જન્મના સંસ્કારે નાનપણથી જ તેમનું મન સાધુ સંતોની સંગતમાં રંગાઈ ગયુ હતુ દરમિયાન નાળિયેરના એક વેપારીના દરિયામાં અટવાયેલા વહાણો ભગતની દયાથી પાછા મળતા તેઓએ યાત્રાળુઓનો મોટો સંઘ અને ભાવનગરનો ગામધુમાડો બંધ રાખેલ ત્યારે પાણી માટે  વાવ ખોદાવતા જમીનમાંથી માતા અન્નપુર્ણા અને લક્ષ્મણજી સહિત અન્ય દેવતાઓની મૂર્તિઓ મળી આવતા તેનું સ્થાપન કરાયુ હતુ. ત્યારથી મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામચન્દ્રજીના લઘુબંધુ લક્ષ્મણજી તેમના આરાધ્યદેવ બની ગયા હતા અને ભગવાનની આરાધના અને સેવા તેમનો જીવનમંત્ર બની ગયો હતો.  દરમિયાન ૧૮૫૮માં રામનવમીના પર્વે ધર્મપ્રેમી રાજવી વખતસિંહજીએ આ મંદિર અને ધર્મશાળાના મકાનનું સ્વહસ્તે લોકાર્પણ કરેલ. તેવો દસ્તાવેજ સચવાયો છે. દેવજી ભગતના પરમ કૃપાપાત્ર શિષ્ય સાધુ રઘુનાથજીના કાર્યકાળમાં આ સ્થળે અનેકવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ ધમધમતી હતી.

આ દેવજી ભગતની જગ્યા (ધર્મશાળા)માં ગુરૃ પરંપરાના આઠમાં સંત રૃગનાથદાસજીબાપુ એ પરંપરાના આગ્રહી છતાં નવુ કરવામાં પણ સદાય અગ્રેસર હોય આબાલવૃધ્ધ સેવક સમુદાયમાં જ નહિ પણ સંતો અને મહંતોના સમુદાયમાં પણ સર્વપ્રિય હતા. તેઓએ આજથી 225 વર્ષ પૂર્વે ઉગમણી બાજુએ બનાવેલા માટીના જીર્ણ થયેલા મંદિરના સ્થાને અત્યારનું ઉત્તરાદાબાનું સર્વાંગ સુંદર મંદિર બનાવી તમામ દેવી દેવતાઓની પુન પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. આ માટે જે તે વખતે નગરના શ્રેષ્ઠીઓના સહકાર અને સહયોગથી સંત મોરારીબાપુએ 108 પોથીઓ સાથેની રામકથા કરાવી જુના મંદિરના સ્થાને આજથી બરાબર ૨૨૫ વર્ષ પુર્વે નવુ મંદિર બનાવાયુ હતુ.હાલ જયા પ્રાચીન મૂર્તિઓની પણ નીત્ય સેવાપૂજા થાય છે આ ધર્મસ્થાનકમાં તમામ ધાર્મિક તહેવારો ઉજવાય છે.

ધરમપુરના કાળારામજી મંદિરના રામલાલાની સહજાનંદ સ્વામીએ 21 દિવસ પૂજા કરી હતી


 


- અહીં 'ગોરારામજી' અને 'કાળારામજી' એમ બે રાજવી મંદિરો છે

- ધરમપુરના મહારાણી કુશળ કુંવરબા સહજાનંદ સ્વામીના પરમ ભક્ત હતા
- તેમના નિમંત્રણને માન આપી તેઓ અહીં પધાર્યા હતાઃઆજે શોભાયાત્રા

રાજવીનગરી ધરમપુરમાં ભગવાન રામલાલાના બે રાજવી મંદિરો છે. એક ગોરારામજી અને બીજા કાળારામજી. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદસ્વામી (ભગવાન)એ  ધરમપુરના કાળારામજી મંદિરના રામલાલાની ૨૧ દિવસો સુધી પૂજા-અર્ચના કરી હતી. જોકે વિધિની વક્રતા વચ્ચે મામલતદારના તાબા હેઠળ આવતા આ બંને મંદિરોના પૂજારીઓનો પગાર વર્ષોથી ચૂકવતો નથી. ગોરારામજી અને કાળારામજી ભગવાન થોડા થોડા અંતરે બિરાજમાન છે.
રાજવી સમયે સને ૧૮૦૭માં ધરમપુરના રાજા માત્ર ૨૪ વર્ષની આયુએ મૃત્યુ પામ્યા હતા ત્યારે તેમના પુત્ર વિજયદેવજી પહેલા ગાદી ઉપર આવ્યા હતા, તેમની સગીર અવસ્થાને લઇ મહારાણી કુશળ કુંવરબાએ રાજ્ય સાંભળ્યું. આમ જો જોઈએ તો મહારાણી કુશળ કુંવરબા સ્વામી નારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદસ્વામી(ભગવાન)ના પરમ ભક્ત હતા. તેમણે સહજાનંદસ્વામીને ધરમપુર આવવા નિમંત્રણ પાઠવ્યું, અને તેમનો સ્વીકાર કરી ભગવાન સ્વયંમ ૨૧ દિવસ સુધી ધરમપુર પધાર્યા હતા. સ્વામી નારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદસ્વામીનાં માનમાં મહેલમાં વસંતોત્સવ ઉજવાયો અને ભગવાન સ્વયંમ ૨૧ દિવસોના રોકાણ દરમિયાન હનુમાનફળિયા ખાતે આવેલી વાવ ખાતે સ્નાન કરી, હનુમાન મંદિરે દર્શન કરી બાકીનો સમય અહીંના કાળારામજી મંદિરમાં ગાળતા, ગ્રામજનોને પણ રોજ સત્સંગનો લાભ આપતા અને અચાનક રાજવીના મૃત્યુથી વલોપાત કરતા મહારાણી કુશળ કુંવરબાને રાજશાશન કરવાનું માર્ગદર્શન પણ પૂરું પડતા અને હંમેશા પ્રજાવત્સલ કામો કરવા પ્રેરણા આપતા હતા. ધરમપુરમાં  રવિવારે રામનવમીના દિને રવિવારે બપોરે ૩.૦૦ કલાકે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જે સમગ્ર નગરમાં ફરશે અને સાંજે કાળારામજી મંદિરમાં ભજન ધૂન બાદ ભવ્ય ભંડારાનું આયોજન સમસ્ત હિંદુ યુવા સંઘે કર્યું છે. 
શ્રીમદ રાજચંદ્રજી પણ અહીં રોકાયા હતા
શ્રીમદ્ રાજચંદ્રજી ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને જ્ઞાાની હતા. તેઓ મહાત્મા ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા. તેઓ પણ આ કાળારામજી મંદિરમાં થોડા દિવસો રોકાયા હતા અને મંદિરની બાજુમાં બનેવાયેલા ગાળામાં ધ્યાન-ચિંતન-સત્સંગ કરતા હતા. આજે ગુરુદેવ રાકેશભાઈજીની પ્રેરણાથી હજ્જારો જૈન ભાઈ-બહેનો રાજચંદ્ર મિશનમાં સેવાભાવથી જોડાયા છે સાથે સાથે રાજચંદ્ર મિશન ધરમપુરના અધ્યાત્મિક ભક્તો ધરમપુરના આ રાજવી કાળારામજી મંદિરે અચૂક આવી શ્રીમદ રાજચંદ્રજીના આધ્યાત્મિક સ્પંદનોની અનુભૂતિ કરતા નજરે પડે છે.
ગોરારામજી મંદિર પણ અનોખું
ધરમપુરના મોટાબજાર સ્થિત ગોરારામજી મંદિરનો ઈતિહાસ પણ રસપ્રદ છે, ધરમપુરમાં રાજવીઓ શૈક્ષણિક દ્રષ્ટીએ દીર્ઘદ્રષ્ટિ રાખતા. મોટાબજાર સ્થિત રાજવી સમયમાં બનેલી કન્યાશાળાની મુલાકારે અવારનવાર રાજવીના રાણીઓ આવતા ત્યારે કન્યાશાળાની સામે એક ઝુપડામાં કેટલાક સાધુ-બાવાઓ કાયમ પડયા-પાથર્યા જોતા. અંદર ઝુપડામાં ગોરારામજી ભગવાનની પૂજા-અર્ચના થતી હતી. જેથી રાણીએ આદેશ આપી અહિયાં એક ભાગમાં ગોરારામજીનું મંદિર અને બીજા ભાગમાં પુજારી અને આવા પડયા-પાથર્યા રહેતા સાધુ-બાવાઓ માટે રહેવા માટેની વ્યવ્થાના ભાગરૂપે બે ગાળાના મકાન બનાવવા આદેશ કર્યો હતો. 

આજે રામનવમી

 Image result for ram navmi


રામનવમીની ઉજવણી સાથે આદ્ય શક્તિના પર્વ ચૈત્રી નવરાત્રિની પણ પૂર્ણાહૂતિ

રામનવમીની ઉજવણી નિમિત્તે મંદિરોમાં ૫૬ ભોગ ધરાવાશે : રામ કથાના પઠનનું પણ આયોજન


જેમનું નામ માત્ર અદ્ભૂત સંજીવની છે, જેના હૃદયપૂર્વક સ્મરણમાત્રથી વ્યક્તિનો ઉદ્ધાર થઇ જાય છે અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન રામની આવતીકાલે જન્મજયંતિ 'રામનવમી' આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવાશે. મંદિરોમાં ભગવાન રામના જન્મોત્સવનું વિશિષ્ટ આયોજન પણ કરવામાં આવ્યું છે. આવતીકાલે રામનવમીની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રિની પણ પૂર્ણાહૂતિ થશે.

રામ નવમી નિમિત્તે અનેક સ્થાનોએ રામકથાના પઠનનું પણ આયોજન કરવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન રામની મૂર્તિની સેવા-પૂજા કરવામાં આવે છે તેમજ  વ્રત-ઉપવાસ પણ કરે છે. રામ નવમી નિમિત્તે શોભા યાત્રા પણ યોજવામાં આવતી હોય છે. અમદાવાદના કાળા રામજી મંદિર ખાતે ભગવાન રામની જન્મપત્રિકાનું વાચન થશે. કેલિકો ડેમ વિસ્તારમાં આવેલા ૬૦૦ વર્ષ પુરાણા કાળા રામજી મંદિરમાં વર્ષોથી રામ નવમીમાં ભગવાન રામચંદ્રજીની જન્મ પત્રિકાનું વાચન થાય છે. સામાન્ય રીતે રામ ભગવાનની પ્રતિમા શ્વેત રંગની હોય છે. પરંતુ અહીંની પ્રતિમા શ્યામ રંગની હોવાથી તે કાળા રામજી મંદિર તરીકે ઓળખાય છે.

આજે ભગવાન સ્વામિનારાયણની ૨૩૮મી જયંતિની ઉજવણી
આજે રામનવમી ઉપરાંત ભગવાન સ્વામિનારાયણની ૨૩૮મી જયંતિની પણ ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન સ્વામિનારાયણની જયંતિની ભક્તિપૂર્વક ઉજવણી થશે. આ દિવસે ધૂન-ભજન-કીર્તન, શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ખાતે વિક્રમ સંવત ૧૮૩૭માં થયો હતો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની નિશ્રામાં તીર્થધામ સાળંગપુર ખાતે સાંજે સ્વામિનારાયણ જયંતિની ભવ્ય ઉજવણી કરાશે. 

આજે સાંઇ બાબાનો પ્રાગટય દિન
Image result for sai baba
અમદાવાદ સહિત ગુજરાતભરમાં આવતીકાલે શિરડી સાંઇ બાબાના પ્રાગટય દિનની પણ ઉજવણી કરાશે. ગુજરાતથી અનેક ભક્તો આ નિમિત્તે સાંઇ બાબાના દર્શન માટે શિરડી પણ પહોંચ્યા છે. 



દુનિયાના સૌથી મોટા કદના વિમાને ભરી પહેલી ઉડાન, પાંખોનો વ્યાપ ફૂટબોલ મેદાન જેટલો

 Image result for national/worlds-largest-aircraft-flew-the-test-in-california
દુનિયાના સૌથી મોટા કદના વિમાને પહેલી વખત ટ્રાયલ માટે સફળતાપૂર્વક ઉડાન ભરી છે.
અમેરિકાના કેલિફોર્નિયાના મોજાવે ડેઝર્ટ પરથી આ વિમાન ઉડ્યુ હતુ.બોઈંગ 747 પ્રકારનુ પેસેન્જર વિમાનમાં જે એન્જિન લગાડાય છે તેવા છ એન્જિન સાથે આ વિમાને ટેક ઓફ કર્યુ હતુ.
અમેરિકાએ આ વિમાનનુ નિર્માણ અંતરીક્ષામાં ઉપગ્રહો પહોંચાડવા માટે કર્યુ છે.હાલના સમયમાં ટેકઓફ રોકેટની મદદથી ઉપગ્રહને અંતરીક્ષમાં મોકલવામાં આવે છે.તેની સરખામણીમાં પહેલા આ વિમાનમાં રોકેટને લઈ જઈને તેના થકી ઉપગ્રહને અંતરીક્ષમાં મોકલવુ વધારે સહેલુ અને ફાયદાકારક રહેશે તેવી ગણતરી છે.
વિમાનની પાંખોનો વ્યાપ જ એક ફૂટબોલ મેદાન જેટલો છે.તેના પરથી અંદાજ આવી શકે છે કે આ વિમાન કેટલુ મોટુ હશે.વિમાને લગભગ અઢી કલાક સુધી હવામાં ઉડ્ડયન કર્યુ હતુ.


શનિવાર, 13 એપ્રિલ, 2019


જલિયાવાલા હત્યાકાંડને 100 વર્ષ થયા પૂરાં

Image result for jaliyawala hatya kand
13 એપ્રિલ 1919માં થયેલા જલિયાવાલા હત્યાકાંડને આજે 100 વર્ષ પૂર્ણ થયા. અમૃતસરમાં જલિયાવાલા બાગમાં બ્રિટન સેનાએ લોકો પર ગોળીબાર કર્યો હતો
આ હત્યાકાંડમાં 1000થી વધુ લોકો શહીદ થયા હતા તો 1500થી વધુ ઘાયલ થયા હતા. 

અંગ્રેજોના શાસનમાં થયેલા જલિયાવાલા બાગ હત્યાકાંડને ૧૦૦ વર્ષ પુરા થયા, જેને પગલે આ ગોઝારી ઘટનાને દેશભરમાં યાદ કરવામાં આવી હતી અને જે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તેમને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. આ એ જ હત્યાકાંડ હતો કે જેણે ભગતસિંહને હચમચાવી દીધા હતા અને તેઓ અંગ્રેજો સામે લડવા માટે નિકળી પડયા હતા. 
આ ઘટનાની ગાંધીજી, નેહરુ, પટેલ સહીતના સ્વાતંત્ર સેનાનીઓએ ટીકા કરી હતી અને જવાબદાર જનરલ ડાયર વિરુદ્ધ પગલા લેવા બ્રિટિશ શાસન પર દબાણ કર્યું હતું. આજે આ ઘટનાને જ્યારે ૧૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે દેશ ભાવૂક થયો છે અને અંગ્રેજોએ આચરેલા હત્યાકાંડને લઇને દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. 
૧૩મી એપ્રીલ ૧૯૧૯માં પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં બૈસાખીના તહેવાર નિમિત્તે બાળકો, મહિલાઓ સહીત અનેક લોકો એકઠા થયા હતા, સ્વતંત્રતાની લડાઇને સમર્થન આપવા માટે અનેક લોકો આ સભામા ચર્ચા રહ્યા હતા ત્યારે અચાનક જનરલ ડાયર બ્રિટિશ સૈનિકોને લઇને આવ્યો હતો અને અંધાધુંધ ગોળીબાર કરી દીધો હતો.
જેમાં મહિલાઓ બાળકો સહિત અનેક લોકો માર્યા ગયા હતા. આ ગોઝારા હત્યાકાંડને ૧૩મી એપ્રીલ ૨૦૧૯ના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ થયા હતા. પરીણામે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહીતના નેતાઓ અને દેશના નાગરીકોને શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. 
જ્યારે પંજાબમાં અને અનેક સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બે મિનિટનું મૌન પળાયુ હતું. જ્યારે ભારત સ્થિત બ્રિટિશ હાઇ કમિશનર ડોમિનિક એસકુથે જલિયાવાલા બાગની મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
તેમણે સાથે જણાવ્યું હતું કે મારા પરદાદા એચએચ અસકીથ ૧૯૦૮થી ૧૯૧૬ દરમિયાન બ્રિટનના વડા પ્રધાન હતા. તેમણે  આ હત્યાકાંડને અતી નિમ્ન કક્ષાની ઘટના ગણાવી હતી. જલિયાવાલા બાગની વિઝિટર બૂકમા પણ બ્રિટિશ હાઇ કમિશનરે પણ આ હત્યાકાંડને અતી નિમ્ન કક્ષાનો ગણાવ્યો હતો.