રવિવાર, 14 એપ્રિલ, 2019


ભારતના સંવિધાન નિર્માતા ડોક્ટર ભીમરાવ આબંડેકરની આજે જયંતિ

ડોક્ટર આંબેડકરને સંવિધાનના પિતા માનવામાં આવે છે. બાબા સાહેબે તેમના જીવનમાં નિમ્ન વર્ગના લોકોને સમાજમાં સમાનતા અપાવવા પર ભાર આપ્યો હતો. બાબાસાહેબનું ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન રહેલ છે.
ભારતના સંવિધાન નિર્માતા અને મહાન સમાજ સુધારક  ડોક્ટર ભીમરાવ આબંડેકરની આજે જયંતિ છે. ડોક્ટર આંબેડકરને સંવિધાનના પિતા માનવામાં આવે છે. બાબા સાહેબે તેમના જીવનમાં નિમ્ન વર્ગના લોકોને સમાજમાં સમાનતા અપાવવા પર ભાર આપ્યો હતો. બાબાસાહેબનું ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન રહેલ છે. એક અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, શિક્ષાવિદ અને કાયદાના નિષ્ણાત તરીકે તેમણે આધુનિક ભારતનો પાયો મૂક્યો હતો. જેથી બાબાસાહેબની જયંતિ દરેક વર્ષે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. બાબા સાહેબના સન્માનમાં આજે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો