ગુરુવાર, 18 ઑક્ટોબર, 2018

ઝરીયું ગાનારા, સાંભળનારા અને રમનારાની આંખમાંથી આંસુ સરી પડે છે

 

- વલસાડ ઉમરસાડી ગામના મંડળે ઝરિયું ગરબા કથાને જીવંત રાખી છે

- સાત ભાઇઓની એકની એક બહેન સોનબાઇને સાસરીયામાં દુઃખની કથા ઝરિયુંમાં વર્ણવેલી છે જેને ગરબા તરીકે ગવાય છે
 
ગુજરાતમાં માતાજીની આરાધના રુપે નવરાત્રીની ઉજવણી વર્ષોથી થઇ રહી છે. સામાન્ય રીતે ગરબા માતાજીની આરાધનાના હોય છે. આ સિવાય રાસ (દાંડીયા) કૃષ્ણ ભગવાનના ગવાય અને રમાય છે, પરંતુ ગુજરાતમાં લોક સાહિત્યના પ્રાચિન ગરબા ગવાય અને રમાય તેની જાણકારી ભાગ્યે જ કોઇને હશે. આવા જ લોક સાહિત્યના ગરબાની પ્રથા વલસાડના ઉમરસાડી ગામમાં હજુ સચવાઇ છે. અહીં હજું પણ લોક સાહિત્યના ગરબા થકી યુવા પેઢીને પારંપરિક વારસાની પ્રતિતિ કરાવાઇ રહી છે. 
ઉમરસાડી ગામમાં સાત વીરાની એક સોનબાઇ બહેનુંનું ઝરિયું ખુબ પ્રખ્યાત છે. આ ઝરિયામાં ૭ ભાઇઓની એક બહેનની વાર્તા કહેવાઇ રહી છે. જેમાં જણાવે છે કે, સાત ભાઇઓની બહેનના લગ્ન દૂરના ગામમાં થયા હતા. આ લગ્ન બાદ ૧૦ થી ૧૨ વર્ષ સુધી કોઇ પત્ર વ્યવહાર કે સમાચાર આવ્યા નહોતા. ત્યારે અચાનક એક દિવસ બહેનનો લાંબો પત્ર આવે છે. જેમાં બહેન પોતાના સાસરામાં પડેલા દુખની વાત કહે છે. આ પત્ર વાંચતા વાંચતા રાત્રી દરમિયાન અડધો મણ દિવેલ દિવામાં પૂરું થઇ જાય છે.
બહેનને પહેલી રાત્રે(રાતના પહોરમાં) ખાંડણીયા ખંડાવે છે. બીજી રાત્રે(મધરાતથી પરોઢિયા સુધી) પાણી ભરાવે છે. પછી સવારથી ખેતીમાં મદદ કરાવે છે. ૧૦ વર્ષ સુધી બહેનને પુરતી ઉંઘ પણ નસીબ થઇ નથી. ત્યારે બહેનનો પત્ર વાંચી ભાઇ સફેદ ઘોડા પર બહેનને મળવા ઉપડે છે. બીજી તરફ બહેન પોતાના ભાઇની રાહ જોતી ગામની શેરીઓ વાળવા નિકળે છે અને તેના સ્વાગતની તૈયારી કરે છે, પરંતુ બહેનના નસીબમાં ભાઇનું મિલન ન હોય સફાઇ કરતી વેળા બહેનને પગમાં નાગ ડંખે છે અને તેનું મૃત્યુ નિપજે છે. ત્યારે ભાઇ નિરાશ અને ભારે હૈયે દુઃખ સાથે બહેનને મળ્યા વિના ઘરે પરત આવે છે. એ વાર્તા આખા ઝરિયામાં ગવાય છે. 
આ સિવાય અન્ય નાના નાના ઝરિયું પણ કેટલાક ગામોમાં ગવાય છે. જેમાં મહિનાની ૧૫ તીથીની જાણકારી આપતું ઝરિયું ગવાય છે. આ સિવાય કૃષ્ણની લીલાના પ્રસંગનું 'કુંજર ગલીમાં વાગે વાંસળી રે જો ની વ્હાલા' નું ઝરિયું પણ ગવાય છે. 
સોનબાઇનું ઝરિયું ક્યાંય લખાયું નથી, મોઢે ચઢી ગયું છે તેથી ગવાય છે
વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામે રહેતા ૬૮ વર્ષિય નાગરભાઇ પટેલે જણાવ્યું કે, તેઓ ૧૮ વર્ષના હતા ત્યારથી તેઓ ગરબા, ઝરિયું અને પવાડા(ઘેરૈયા) ગવડાવે છે. સાત વીરાની સોનબાઇનું ઝરિયું કશે લખ્યું નથી. વર્ષોથી સાંભળેલું અને મોઢે ચઢી ગયું હોય ગવાઇ રહ્યું છે. આ સિવાય પવાડા પણ કશે લખ્યા નથી. અનેક લોકો મોઢે જ પવાડા ગાય છે. આજની નવી પેઢીને પણ તેમની સાથે ઝરિયું ગાતા ગાતા શીખીને તૈયાર થઇ ગઇ છે. 
સાત વીરાની એક સોનબાઇ બહેનું નું ઝરિયું  
ઝરિયું ગામ તે સાંભળો સરવે લોકો જો, 
ભાઇને બેનનાં કેવા હેત જો વ્હાલાં જો, 
સુતા હોય તો જાગો ગામના લોકો જો, 
ભાઇને બહેનનાં કહું ઇતિહાસ જો, 
મેડીએ બેસી મોવર વગાડે જો, 
ઢોરો તો ચારે છે રાજા રામ વ્હાલા, 
ઢોર ચારીને બેહનું ને પરણાવી જો, 
બહેનુંને પરણાવી લંકા દૂર જો, 
સાત ને પાંચ બાર વરસ થયા જો, 
તો યે ના દીઠી, મૈયરની વાટ જો, 
બાર ને બાર ચોવીસ વર્ષ થયા જો, 
ચોવીમે વર્ષે કાગળિયા આવ્યા જો, 
ઉઠો ને દાસી, દિવડો સળગાવો જો, 
કાગળિયા આઇવા બહેનીના દેશના જો, 
અડધા વાંઇચા ચાંદોને ચાંદરણી જો, 
અડધા તે વાંચ્યા દિવાની જ્યોત જો, 
વાંચતા વાંચતા અધમણ દિવેલ બળ્યું જો, 
તોયે ના વંચાયા બહેનીના દુખ જો,
આગલી રાતે ખંડણીયા ખંડાવે જો, 
પાછલી રાતે ભરાવે પાણી જો,  
ઉઠોને દાસો, ગોઢલ સણગારો જો, 
મારેને જાવું બહેનીના દેશ જો, 
કયાને શોધી કયાને સણગારું જો, 
કયો તે જાશે બહેનીના દેશ જો, 
કાળાને છોડી ધોળાને સણગારું જો, 
ધોળો તો જશે બહેનીના દેશ જો, 
ડુંગર કિનારે ધૂળેટીઓ ઉડે જો, 
મે હો નો જાણી વીરાની વેલ જો, 
ડુંગર કિનારે બગલડીઓ ભમે જો, 
મે હો નો જાણી વીરાની વાવટી જો, 
ઘોડો બાંધ્યો સરોવરની પાળે જો, 
ચાબુક ભેરી વડલાની ડાળે જો, 
કઇ છોડીને કઇને ઓ વાળું જો, 
કઇ તે શેરી ને વીરો આવશે વાલા, 
ડાબી છોડી જમણીઓ વાળું જો, 
જમણી શેરીએ વીરો આવશે જો, 
મામા તમે મોડા કેમ આવ્યા જો, 
પુછ્યા તો સંદેશા ભાણજા એ કીધા જો, 
માતા મારી રાહ જોઇ સીધાવ્યા જો, 
એને તો ડંખ્યા કાળિયા નાગે જો, 
ભાઇ તો નિરાશ થઇ ઘરે આવ્યા જો, 
હવે હું બહેનીને ક્યાંથી જોઇશ... 
સાત વીરાની એક સોનબાઇ બહેની જો... 
 

બુધવાર, 17 ઑક્ટોબર, 2018

પલ્લીમાં આજે લાખો ભક્તો ઉમટશે


- રૂપાલ જગપ્રસિધ્ધ વરદાયીની માતાજીની





ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૂપાલ વરદાયીની માતા મંદિરથી છેલ્લા પાંચ હજાર વર્ષથી દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ પલ્લી નિકાળવામાં આવે છે.

શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા રૂપાલ વરદાયીની માતાજી મંદિરમાં દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો ભરાય છે

 
કચ્છના મહારાવે જે ભાલાથી સિંહનો શિકાર કરેલો તેની આજે પણ થતી પૂજા


- પાંચ સૈકા પહેલા અમદાવાદના મહમદ બેગડાને બચાવવા




નવલા નોરતાના પર્વના અંતિમ દિવસ વિજ્યાદશમીની આવતીકાલે ધામધુમાથી ઉજવણી થશે. ત્યારે કચ્છની ધરતી સાથે જોડાયેલી દશેરાની રસપ્રદ ઐતિહાસિક વાયકા અનુસાર આશરે પાંચ સૈકા જેટલા સમય પૂર્વે કચ્છની સૃથાપના કરનાર મહારાવ ખેંગારજીએ અમદાવાદના બાદશાહ મદમદ બેગડાને બચાવવા જે ભાલાથી સિંહનો શિકાર કરેલો તે ભાલો એટલે કે સાંગનું પૂજન કરવામાં આવશે. બીજી તરફ સમી વૃક્ષના થતા પૂજનની ધાર્મિક માન્યતા કંઈક એવી છે કે, પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન અર્જૂને વાગડ વિસ્તારમાં આવેલી વિરાટનગરીમાં પોતાના દિવ્ય શસ્ત્રો સમીના વૃક્ષ પર છૂપાવ્યા હોવાથી ત્યારાથી સમી એટલે કે ખિજડાના વૃક્ષના પૂજનની પરંપરા ચાલી આવે છે.



કચ્છના જિલ્લા મથક ભુજમાં આવતીકાલે વિજ્યાદશમીના દિવસે સ્વામીનારાયણ મંદિર સામે વર્તમાન રાજવી દ્વારા પરંપરાગત રીતે સમીવૃક્ષનું પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે પોશળ જાગીરના અધ્યક્ષ પણ ઐતિહાસિક ભાલો લઈને પૂજામાં જોડાશે. રાજાશાહી વખતના શસ્ત્રોની સાથે જે ભાલાની પૂજા થવાની છે તેના ઈતિહાસ વિશે વિગતો આપતા કચ્છના ઈતિહાસકાર પ્રમોદ જેઠી જણાવે છે કે, અમદાવાદના બાદશાહ મહમદ બેગડા એક વખત સિંહનો શિકાર કરવા નિકળ્યા હતા. આ સમયે સિંહે તેના પર હુમલો કર્યો હતો. દરમિયાનમાં અહી હાજર કચ્છના પ્રથમ મહારાવ ખેંગારજીએ ભાલાથી સિંહનો શિકાર કરીને મહમદ બેગડાનો જીવ બચાવ્યો હતો. સોળમી સદીની શરૃઆતમાં આ ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઘટના બાદ વર્ષ ૧પ૧૦માં ખેંગારજીએ કચ્છ રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને આજ સુધી આ ભાલો(સાંગ)ની પૂજા કરવાની પરંપરા ચાલી આવે છે.

બીજી તરફ સમી વૃક્ષના પૂજન અંગેની ધાર્મિક માન્યતા એવી છે કે, અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો કચ્છની ધરતી પર આવ્યા હતા. અહી વાગડના હાલના રાપર તાલુકાના ગેડી વિસ્તારમાં જે તે સમયે આવેલી વિરાટનગરીમાં પાંડવો રહેતા હતા. પાંડવોએ રાજવી ઓળખ છતી ન થાય તે માટે સામાન્ય પહેરવેશ ધારણ કરવાની સાથે શસ્ત્રો પણ સાથે રાખવાના નહોતાં. પાંડવો પૈકી અર્જૂન પાસે ગાંડીવ સહિતના દિવ્યશસ્ત્રો હતા. આ શસ્ત્રો જમીન પર છૂપાવી શકાય તેમ ન હોય તેણે સમીના વૃક્ષ પર છૂપાવ્યા હતા. ત્યારથી રાજવી પરિવારો વિજ્યાદશમીના દિવસે શસ્ત્રોની સાથે સમીના વૃક્ષનું પણ પૂજન કરે છે.

મંગળવાર, 16 ઑક્ટોબર, 2018

ગૂગલ ડૂડલ: ભારતના મહાન તબલા વાદ્ક લચ્છુ મહારાજને શ્રદ્ધાંજલિ

 Image result for lachhu maharaj
ગુગલે આજે 16 ઑક્ટોબરે ભારતના મહાન તબલાવાદક લચ્છુ મહારાજને ડૂડલને સમર્પિત કરી દીધી છે. આજે તેની 74 મી જન્મજયંતિ છે. લચ્છુ મહારાજનું  સાચું નામ લક્ષ્મી નારાયણ સિંહ હતું. લચ્છુ મહારાજ ઉત્તર પ્રદેશના બનારસમાં 16 ઓક્ટોબર, 1944 ના રોજ થયો હતો. લચ્છુ મહારાજે દેશ અને વિદેશમાં તેમના ટેબ્લા રમતા માટે નામ મેળવ્યું. તેમણે અનેક બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

તેમના પિતાનું નામ વાસુદેવ મહારાજ હતું. લચુજી કુલ 12 ભાઈઓ અને બહેનો હતા. બધા ભાઈબહેનો ચોથા નંબર હતા. લખુ મહારાજ ગોવિંદા સાથે પણ સંબંધ ધરાવે છે. ખરેખર, લચ્છુ ની બહેન નિર્મલા અભિનેતા ગોવિંદાની માતા છે. લચ્છુ ની ફ્રેન્ચ મહિલા ટીના સાથે લગ્ન થઈ હતી, જેની પાસે તેની પુત્રી છે, તેનું નામ નારાયણી છે. આજના ગૂગલ ડૂડલમાં , ગૂગલે તેમના હોમ પેજ પર લચ્છુજી મહારાજની પેઇન્ટિંગ કરી છે. લચ્છુજી ગાવાનું અને તબ્લા તેમાં રમી રહ્યું છે.

 27 જૂન, 2016 ના રોજ 72 વર્ષની વયે હૃદયરોગનો હુમલો થયો. તેનું અંતિમવિધિ ફક્ત બનારસના માનકર્ણિકા ઘાટ પર કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં ટેબ્લા રમતા સાથે, તેમણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સરકારે પદ્મ શ્રી સન્માન માટે લચ્છુ મહારાજને નામાંકિત કર્યા હતા, પરંતુ મહારાજે એમ કહીને નકારી કાઢ્યું કે લોકો સાથેનો પ્રેમ તેમના માટે સૌથી મોટો સન્માન છે. 

યુથ ઓલિમ્પિક્સમાં ભારત માટે સુવર્ણ દિવસ: જેરેમી, મનુને ઐતિહાસિક ગોલ્ડ મેડલ

 Image result for youth olympic games 2018

- ભારત 2 ગોલ્ડ, 3 સિલ્વર સાથે મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને

- મિઝોરમનો 15 વર્ષીય જેરેમી યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનારો સૌપ્રથમ ભારતીય બન્યો


યુથ સમર ઓલિમ્પિક્સ ૨૦૧૦ના વર્ષથી યોજાઇ રહી છે. જેમાંથી ૨૦૧૦ અને ૨૦૧૪ એમ બંને ઓલિમ્પિક્સમાં ભારતના એથ્લિટ્સ એકપણ ગોલ્ડ મેડલ જીતી શક્યા નહોતા. અલબત્ત, ૨૦૧૮ની યુથ સમર ઓલિમ્પિક્સનો પ્રારંભ થયાને હજુ ત્રણ દિવસ થયા છે ત્યાં તે ભારત માટે યાદગાર પુરવાર થઇ રહી છે.
યુથ સમર ઓલિમ્પિક્સમાં રવિવારે  જેરેમી લાલરિનનુગાએ વેઇટલિફ્ટિંગમાં જ્યારે સોમવારે મનુ ભાકેરે શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આમ, ભારત ૨ ગોલ્ડ-૩ સિલ્વર સાથે મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગયું છે.
૧૬ વર્ષીય મનુ ભાકેરે એર પિસ્તોલ ઇવેન્ટમાં ૨૩૬.૫ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હરિયાણાની મનુ અગાઉ વર્લ્ડકપ, કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
ભારતના વેઇટલિફ્ટર જેરેમી લાલરિનનુગાએ યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ સર્જી દીધો છે. આ સાથે જ જેરેમી યુથ ઓલિમ્પિક્સમાં  ગોલ્ડ મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય બની ગયો છે. મિઝોરમના આઇજોલના આ ૧૫ વર્ષીય વેઇટલિફ્ટરે ૬૨ કિગ્રા વજનજૂથમાં ૧૨૪ કિલોગ્રામ અને ૧૫૦ કિલોગ્રામ એમ કુલ ૨૭૪ કિલોગ્રામ ઉંચકીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. અગાઉ જેરેમી વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ પણ અપાવી ચૂક્યો છે.

સોમવાર, 15 ઑક્ટોબર, 2018


કુંભમેળા પહેલા યાત્રાધામ અલ્હાબાદનુ નામ બદલાશે, જાણો કયુ નામ સૂચવાયુ

 Related image
દેશના સૌથી મોટી રાજ્ય ઉત્તરપ્રદેશના સૌથી મોટા યાત્રાધામ પૈકીના એક અલ્હાબાદનુ નામ બદલવાનુ સરકારે નક્કી કર્યુ છે.
અલ્હાબાદનુ નામ બદલીને પ્રયાગરાજ કરવાનુ સુચન સંત સમુદાયે કર્યુ છે. જેને યોગી સરકારે સ્વીકાર્યુ છે. અલ્હાબાદમાં કુંભમેળો યોજાવાનો છે ત્યારે તેના માટે સંતો સાથે યોજાયેલી બેઠકમાં આ સૂચન થયુ હતુ.રાજ્યપાલે પણ આ સૂચન સાથે સંમતિ દર્શાવી છે.
યોગીએ કહ્યુ હતુ કે અહીંયા ગંગા અને યમુના એમ બે પવિત્ર નદીઓનો સંગમ થાય છે.માટે અલ્હાબાદના પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવશે.
યુપી કેબિનેટની આગામી બેઠકમાં આ નિર્ણય પર મંજુરીની મહોર મારવામાં આવે તેવી શક્યતા છે.
હાલમાં અલ્હાબાદમાં કુંભમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.



શરમજનક સ્થિતિ, ગ્લોબર હંગર ઈન્ડેક્સમાં 119 દેશોમાં ભારત 103મા સ્થાને


ભારતમાં એક તરફ શહેરોની ચકાચૌંધ છે તો બીજી તરફ કારમી ગરીબી છે. લાખો લોકોને પેટ પુરતુ ખાવાનુ પણ મળતુ નથી.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત પાછળ સરક્યુ છે.જે દેશ માટે શરમજનક કહી શકાય. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ એટલે કે ભૂખમરાની સ્થિતિની રીતે જોવામાં આવે તો દુનિયાના 119 દેશોમાં ભારત 103મા સ્થાને છે. ગયા વર્ષે આ યાદીમાં ભારત 100મા સ્થાને હતુ.
ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટુ અર્થતંત્ર બન્યુ હોવાનુ ગૌરવ ભલે લેવાતુ હોય પણ વાસ્તિવકતા જુદી જ છે. હંગર ઈન્ડેક્સમાં ખાસ કરીને એ બાબત પર ભાર મુકવામાં આવતો હોય છે કે જે તે દેશમાં લોકોને પુરતા પ્રમાણમાં ભોજન મળે છે કે કેમ અને કેટલા લોકો કુપોષણનો શિકાર છે.
આ મામલામાં તો ભારતની સ્થિતિ નેપાળ અને બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે. ઈન્ડેક્સમાં બાંગ્લાદેશ 86, નેપાળ 72 અને શ્રીંલકા 67મા સ્થાને છે. પાડોશી દેશોમાં એક માત્ર પાકિસ્તાન ભારત કરતા પાછળ 106મા ક્રમે છે.