સોમવાર, 22 જાન્યુઆરી, 2018

વાયરા વાયા વસંતના...: આજે વસંત પંચમી સાથે ત્રણ પર્વોની એકસાથે ઉજવણી કરાશે

-બાગ-બગીચાઓમાં વાસંતી છવાશે: સરસ્વતી માતાના પૂજન માટે સર્વશ્રેષ્ઠ દિવસ

-વસંત પંચમી ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષપત્રી જયંતિ, શ્રી પંચમી પણ ઉજવાશે

'વાયરા વાયા વસંતના, હું ના જાણું કેમ હૈયાને ગમતા કે વાયરા વસંતના...' ભારતીય સંસ્કૃતિમાં આવતતી છ ઋતુઓમાં જેને રાજા ગણવામાં આવે છે વસંત પંચમીનું પર્વ આજે ઉજવાશે. કહેવામાં આવે છે કે વસંત પંચમીથી પ્રકૃતિનું રમણીય રૃપે સોળે કલાએ ખીલી ઉઠે છે.

આજે વસંત પંચમી ઉપરાંત શ્રી પંચમી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીની જયંતી તેમજ ગાયત્રી પરિવારના સંસ્થાપક પં.રામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મદિન પણ ઉજવાશે.

સરસ્વતી માતાની ઉપાસના માટે વસંત પંચમી સર્વશ્રેષ્ઠ દિવસ છે. જ્યોતિષીઓના મતે આ દિવસે દેવી સરસ્વતીની કૃપા મેળવવા માટે 'ઓમ્ સરસ્વત્યૈ નમઃ' મંત્રનો જાપ કરવો જોઇએ. સરસ્વતી પૂજા કરવા માટે સવારે ૭:૨૧થી બપોરે ૧૨:૩૬નું શુભ મુહૂર્ત છે.

આ દિવસે પુસ્તકોનું પણ પૂજન કરવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલા ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીની ૧૯૨મી જયંતિ પણ વસંત પંચમીના છે. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરોમાં વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, 'આજથી ૧૯૨ વર્ષ અગાઉ કુરિવાજો, અંધશ્રદ્ધા, વ્યસનના સામેના રણસંગ્રામમાં નિસ્તેજ થઇ ગયેલા માનવીઓના જીવનમાં પ્રાણ ફૂંકવા સ્વામિનારાયણ ભગવાને વડતાલ ખાતે સંવત ૧૮૮૨ના વંસત પંચમીના ૨૧૧ શ્લોકમાં માર્ગદર્શન આપવા જે માર્ગદર્શિકા આપી તેનું નામ શિક્ષાપત્રી.

આ અનમોલ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને રાજકોટ ખાતે મુંબઇના ગવર્નર સર જ્હોન માલ્કમને ૨૬ ફેબુ્રઆરી ૧૮૩૦ના ભેટમાં અર્પણ કરી હતી. હાલ તે  ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડ્લીયન લાયબ્રેરીમાં સંગ્રહિત કરવામાં આવી છે. '


ઓ.પી.રાવત નવા મુખ્ય ચૂંટણી કમિશનર, લવાસા ચૂંટણી કમિશનર


- હાલના સીઇસી અચલકુમાર જોતી આજે હોદ્દો છોડશે: પંચમાં ત્રણ સભ્યો હોય છે



આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિમણુંક કરવામાં આવી છે. હાલના સીઇસી અચલકુમાર જોતી આવતી કાલે નિવૃત્તિ થશે. જોતીની નિવૃત્તિ પછી નાણા મંત્રાલયના પૂર્વ સચિવ અશોક લવાસાને પણ  ત્રણ સભ્યોના પંચમાં ચૂંટણી કમિશનર તરીકે નિમવામાં આવ્યા હતા.પંચમાં સુનીલ અરોરા પણ સભ્ય છે. રાવત ૨૩ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ચાર્જ સંભાળશે.

"વર્લ્ડ ઈકોનોમિક ફોરમ"માં ભાગ લેવા વડાપ્રધાન સ્વિત્ઝરલેન્ડ પહોંચશે

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે ઓપનિંગ સ્પીચ

- પહેલીવાર ભાગ લઈ રહ્યા છે નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વિત્ઝરલેન્ડ પહોંચ્યા છે. આજથી સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં  "વર્લ્ડ ઈકોનોમિક ફોરમ" (WEF)ની શરૂઆત થઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ભાગ લઈ રહ્યા છે.

નરેન્દ્ર મોદી સોમવારે ગ્લોબલ CEOs માટે ડિનરનું આયોજન કરશે મંગળવારે તેઓ ઓપનિંગ સેશનમાં ભાષણ આપશે અને ગ્લોબલ બિઝનેસ કોમ્યુનિટી સાથે મુલાકાત પણ કરશે. WEF પાંચ દિવસ ચાલશે. આ સમિટ સ્વિતઝરલેન્ડના સ્કીઈંગ રિસોર્ટમાં રાખવામાં આવી છે. WEFમાં આ વખતે 130થી વધારે દેશ ભાગ લઈ રહ્યા છે.

WEF
ના ચેરમેન ક્લોસ શ્વોબના જણાવ્યા પ્રમાણે સમિટ સોમવાર સાંજથી શરૂ થશે. મીટિંગમાં થીમ 'ક્રિએટિંગ અ શેર ફ્યૂચર ઈન એ ફ્રેક્ચર્ડ વર્લ્ડ' રાખવામાં આવી છે. આ ફોરમમાં શાહરૂખ ખાન, ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ કેટ બ્લેંચેટ, લેજન્ડરી બ્રિટિશ સિંગર એલ્ટન જોનનું સન્માન પણ કરવામાં આવશે.


રાષ્ટ્રપતિએ ઐશ્વર્યા સહિત ૯૦ મહિલાને 'ફર્સ્ટ લેડીઝ' એવોર્ડ આપી સન્માનિત કરી

Click here for online exam


- કુલ ૧૧૨ ક્ષેત્રની 'ફર્સ્ટ વિમેન'નું રાષ્ટ્રપતિ ભવનમાં પહેલીવાર સન્માન
- પર્વતારોહક બચેન્દ્રી પાલ, ફિક્કીના વડા નૈના લાલ કિડવાઇ, પેરાલિમ્પિક ખેલાડી દીપા મલિકને પણ ફર્સ્ટ લ
પહેલી મહિલા કુલી, ટ્રેન ડ્રાઈવર, ફાયર ફાઇટર, ડિટેક્ટિવ તેમજ એન્ટાર્કટિકા પહોંચનારી પહેલી મહિલાઓનું પણ સન્માન



રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઐશ્વર્યા રાય બચ્ચન સહિત દેશની ૯૦ મહિલાને ફર્સ્ટ લેડીઝ એવોર્ડ આપીને સન્માન કર્યું હતું. આ મહિલાઓમાં રાજસ્થાનના જયપુરમાં કુલી તરીકે કામ કરતી મંજુ, પર્વતારોહક બચેન્દ્રી પાલ, મિસાઇલ વુમન ટેસી થોમસ, પ્રાઈવેટ ડિટેક્ટિવ રાજાની પંડિત અને પેરાલિમ્પિક ખેલાડી દીપા મલિક, બિઝનેસ વુમન નૈના લાલ કિડવાઇ સહિત ૧૧૨ ક્ષેત્રમાં કાઠુ કાઢનારી મહિલાઓનો સમાવેશ થાય છે.

કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચન ૨૦૦૨થી જ્યૂરી તરીકે સેવા આપે છે. આ સન્માન મેળવનારા તેઓ ભારતના પહેલા અભિનેત્રી છે. આ સિદ્ધિ બદલ તેમને ફર્સ્ટ લેડીઝ એવોર્ડ અપાયો હતો. આ પ્રસંગે રાજસ્થાનના જયપુર રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરીને ગુજરાન ચલાવતી મંજુને પણ સન્માનિત કરાઈ હતી. તેઓ ફક્ત ૩૦ કિલો વજન ધરાવતા હોવા છતાં મુસાફરોનો ૩૦ કિલો સામાન ઊંચકે છે. શરૃઆતમાં તેમને કુલી તરીકે કામગીરી કરવા બેજ નહોતો અપાયો, પરંતુ આ રોજગારી તેમણે લડાઈ કરીને મેળવી હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સુંદર પ્રસંગે કુલ ૯૦ મહિલા હાજર રહી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યં હતું કે, સ્ત્રી સશક્તિકરણ અંગે સરકારે કરેલા પ્રયાસોનું પરિણામ દેખાઈ રહ્યું છે, જે આનંદની વાત છે. આ દરમિયાન ફિક્કીના પહેલા મહિલા વડા બનવા બદલ નૈના લાલ કિડવાઈ તેમજ પહેલી મહિલા મર્ચન્ટ નેવી કેપ્ટન, પહેલી પેસેન્જર ટ્રેન ડ્રાઇવર, પહેલી બસ ડ્રાઇવર, પહેલી ફાયર ફાઇટર અને એન્ટાર્કટિકા પહોંચનારી પહેલી મહિલાને પણ ફર્સ્ટ લેડીઝ એવોર્ડ આપીને સન્માનિત કરાઈ હતી.

એમબીએ કરીને રાજસ્થાનમાં પોતાના ગામ સોડામાં સરપંચ બનનારી છાવી રાજાવતને પણ રાષ્ટ્રપતિએ સન્માનિત કરી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું હતું કે, એમબીએ કરીને યુવતી ગામ વિશે વિચારે છે. આ પ્રકારના વિચારો આખા દેશને બદલી શકે છે. આ ઉપરાંત દેશની પહેલી પ્રાઈવેટ ડિટેક્ટિવ રાજાણી પંડિતને પણ એવોર્ડ અપાયો હતો. તેમણે ૨૫ વર્ષની કારકિર્દીમાં ૭૫ હજારથી વધુ કેસનો ઉકેલ લાવી દીધો છે. રાષ્ટ્રપતિએ સ્પેશિયલી ચેલેન્જ્ડ યુવતી દીપા સિંઘલને પણ બિરદાવી હતી, જેણે પડકારોનો સામનો કરીને આઈએએસ અધિકારી બની છે.


શુક્રવાર, 19 જાન્યુઆરી, 2018

રાષ્ટ્રપતિએ 2016 નો સંગીત નાટક અકાદમી એવોર્ડ્સ રજૂ કર્યો



રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલી સમારોહમાં વર્ષ 2016 માટે સંગીત નાટક અકાદમીની ફેલોશીપ્સ (એકેડેમી રત્ન) અને સંગીત નાટક એકેડેમી પુરસ્કાર (એકેડેમી પુરસ્કાર) નું પ્રસ્તુત કરવામાં આવ્યુ હતુ.

 

સંગીત નાટક એકેડેમી પુરસ્કારો

સંગીત નાટક એકેડેમીની ફેલોશીપ્સ અને સંગીત નાટક એકેડેમી એવોર્ડને દેશના પર્ફોર્મિંગ આર્ટ્સના કલાકારો તેમજ વિદ્વાનોના દેખાવ પર આપવામાં આવેલા સૌથી વધુ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનની વચ્ચે માનવામાં આવે છે. તે સંગીત નાટક અકાદમી, ભારતની નેશનલ એકેડેમી ઓફ સંગીત, ડાન્સ અને ડ્રામા દ્વારા આપવામાં આવે છે.


સંગીત નાટક અકાદમી એવોર્ડ્સ સંગીત, નૃત્ય, થિયેટર, અન્ય પરંપરાગત કલા અને કઠપૂતળીની શ્રેણીઓમાં આપવામાં આવે છે, તેમજ પર્ફોર્મિંગ આર્ટસમાં યોગદાન અને શિષ્યવૃત્તિ માટે આપવામાં આવે છે. 2003 થી આ પુરસ્કાર રૂ. 1 લાખ, એક પ્રશસ્તિ, એક અંગવસ્તરામ (શાલ), અને તમ્રાત્ર (પિત્તળની તકતી). 

'અગ્નિ-૫'નું પાંચમું સફળ પરીક્ષણ, ૧૯ મિનિટમાં ૪૯૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું

- અગ્નિ-૫ પરમાણુ શસ્ત્ર લઈ જવા સક્ષમ મિસાઈલ , જગતનું સૌથી ઘાતક શસ્ત્ર

- પાંચ પરીક્ષણમાં સફળતા પછી મિસાઈલ સ્ટ્રેટેજીક કમાન્ડ ફોર્સમાં સામેલ કરવાનો માર્ગ મોકળો

મિસાઈલ સર્જનમાં તમિલનાડુનું વિશેષ પ્રદાન,

ભારતે આજે પાંચમી વખત પરમાણુ સક્ષમ મિસાઈલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કર્યું હતું. ઓડિસ્સાના બાલાસોર ખાતે આવેલા અબ્દુલ કલામ ટાપુના મિસાઈલ ટેસ્ટ મથકેથી આ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. સવારે ૯:૫૪ મિનિટે મોબાઈલ લોન્ચિંગ પ્લેટફોર્મ પરથી અગ્નિ-૫ને ફાયર કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન ૧૯ મિનિટમાં જ મિસાઈલે ૪૯૦૦ કિલોમીટરનું અંતર કાપી બતાવ્યું હતું. અગ્નિ-૫ની રેન્જ ૫ હજાર કિલોમીટર છે અને તે પરમાણુ શસ્ત્ર વહન કરી શકે છે. જગતના સૌથી ઘાતક શસ્ત્રોમાં અગ્નિ-૫નો સમાવેશ કરવામાં આવે છે. અગ્નિ-૫ કલાકના ૨૮ હજાર કિલોમીટરની ઝડપે પ્રહાર કરી શકે છે.


ICC એવોર્ડ્ઝમાં કોહલી છવાયો: વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર અને વન ડે પ્લેયર જાહેર


- કોહલી ICCની વન ડે અને ટેસ્ટ ટીમોનો કેપ્ટન: ચહલને ટી-૨૦ના બેસ્ટ પર્ફોમન્સનો એવોર્ડ: સ્મિથ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર: પાકિસ્તાનનો હસન અલી બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા એક વર્ષમાં રનના ઢગલા ખડકનારો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આઇસીસીએ જાહેર કરેલા વર્ષ ૨૦૧૬-૧૭ના એવોર્ડમાં છવાઈ ગયો હતો. કોહલીને વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટરને એનાયત કરવામાં આવતી સર ગારફિલ્ડ ટ્રોફી (ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ) અને વન ડે ક્રિકેટર ઓફ ધ યરની ટ્રોફીના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઇસીસીની ટેસ્ટ અને વન ડે ટીમ ઓફ ધ યરનું સુકાન કોહલીને જ સોંપવામાં આવ્યું હતુ, જે ભારતીય ક્રિકેટ માટે અને કેપ્ટન કોહલી માટે વિશેષ ગૌરવરૃપ બની રહ્યું હતુ. નોંધપાત્ર છે કે, કોહલી વર્ષ ૨૦૧૨માં પણ વન ડે પ્લેયર ઓફ ધ યર જાહેર થયો હતો. કોહલી ઉપરાંત ભારતના યઝવેન્દ્ર ચહલને બેસ્ટ ટી-૨૦ પર્ફોમન્સ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવશે.  જ્યારે આઇસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં કેપ્ટન તરીકે કોહલીની સાથે ભારતના આધારભૂત મીડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને  સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું હતુ. જ્યારે વન ડે ટીમમાં પણ કેપ્ટન કોહલી ઉપરાંત મુંબઈના ઈનફોર્મ બેટ્સમેન રોહિત શર્મા અને ગુજરાતના મીડિયમ પેસર જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  આઇસીસીએ ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૧૬ થી લઈને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ સુધીના રેકોર્ડને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ્ઝની જાહેરાત કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે પાકિસ્તાનનો હસન અલી ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર અને અફઘાનિસ્તાનનો રશિદ ખાન એસોસિએટ્ ક્રિકેટર ઓફ ધ યર બન્યો હતો. સાઉથ આફ્રિકાના મારાઈસ ઇરાસ્મુસને બેસ્ટ અમ્પાયર જાહેર કરવામાં આવ્યા હતા.