બુધવાર, 27 ડિસેમ્બર, 2017

બ્લૂ ફ્લેગ પાયલોટ પ્રોજેક્ટ

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય, વન અને હવામાન પરિવર્તનએ દરિયાકિનારાઓ પર સ્વચ્છતાના ધોરણો વિકસાવવા અને વધારવા માટે પાયલોટ પ્રોજેક્ટ 'બ્લૂ ફ્લેગ'નો પ્રારંભ કર્યો છે.

'બ્લુ ફ્લેગ' એ ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન (FEEE) દ્વારા પ્રમાણીત છે કે જે બીચ, મરિના અથવા ટકાઉ બોટિંગ પ્રવાસન ઓપરેટર, તેના કડક ધોરણોને પૂર્ણ કરે છે. તેનો હેતુ બીચ પર સ્વચ્છતા, નિભાવ અને મૂળભૂત સવલતોના ધોરણો વધારવાનો છે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ દરેક દરિયાઇ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશને દરિયાકાંઠાની ઓળખ અને નિમણૂક કરવાની વિનંતી કરવામાં આવી હતી, જે ચાલુ સંકલિત કોસ્ટલ મેનેજમેન્ટ પ્રોગ્રામ (ICMP) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

અત્યાર સુધી, તમામ દરિયાઇ રાજ્યોએ ગોવા સહિતના ગ્રહણ પ્રદેશોમાં પાયલોટના દરિયાકિનારાને નામાંકિત કર્યા છે. જોકે, દરિયાકિનારાના પ્રદેશો, દમણ અને દીવ, પુડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબારથી ઔપચારિક નામાંકનોની રાહ જોવાય છે.

પર્યાવરણીય શિક્ષણ માટે ફાઉન્ડેશન (FEEE - Foundation for Environmental Education)


FEEE એ પર્યાવરણીય શિક્ષણ દ્વારા વિકાસને પ્રોત્સાહન આપતી બિન-સરકારી, બિન-નફાકારક સંસ્થા છે. તેની સ્થાપના 1981 માં કરવામાં આવી હતી. તેનુ મુખ્ય મથક કોપેનહેગન, ડેનમાર્ક ખાતે છે. તે પાંચ કાર્યક્રમો દ્વારા સક્રિય છે; ઈકો-સ્કૂલ્સ, બ્લૂ ફ્લેગ, યંગ રિપોર્ટર ફોર એન્વાયર્નમેન્ટ (Young Reporters for Environment - YRE), ગ્રીન કી અને લર્નિંગ અબાઉટ ફોરેસ્ટ (Green Key and Learning about Forests - LEAF).
યુપી સરકારે દક્ષિણ કોરિયા સાથે કરાર કર્યા



પ્રવાસન, કૌશલ્ય વિકાસ, સંસ્કૃતિ અને ખેતી ક્ષેત્રે સહકાર વધારવા માટે ઉત્તર પ્રદેશ સરકારે દક્ષિણ કોરિયા સાથે સમજૂતીપત્ર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.


દક્ષિણ કોરીયાના ગીમ્હે શહેરના પ્રતિનિધિમંડળ પછી લોકસવાનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા બાદ બંને દેશો વચ્ચેના સહકારને સુધારવાના માર્ગો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
યુપી સરકારે નવી યોજના “પ્રકાશ હૈ તો વિકાસ હૈ” આરંભ કરી



ઉત્તરપ્રદેશ સરકારે પ્રકાશ હૈ તો વિકાસ હૈ યોજના શરૂ કરી છે, જે રાજ્યમાં ગરીબો માટે એક મફત ઘરગથ્થુ વીજ જોડાણ માટેની યોજના છે. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિનને ગુડ ગવર્નન્સ ડે (25 ડિસેમ્બરે) ના રોજ રજૂ કરવામાં આવી હતું. 

પ્રારંભમાં, મથુરા જિલ્લાના બે ગામ લોહબન અને ગોસાનાને 100% વીજળીકરણ માટે આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ, રાજ્ય સરકારે 2018 ના અંત સુધીમાં આશરે 16 મિલિયન આવરી લેવાના મહત્વાકાંક્ષા લક્ષ્યાંક નિર્ધારિત કર્યા છે.

કિસાન ઉદય યોજના


યુપી સરકારે કિસાન ઉદય યોજના પણ શરૂ કરી છે, જે ખેડૂતો માટે હાલની 5 HP (Horse Power)/7.5 HP સબમરસીબલ અને કપ્લીંગ સેટ ખેડૂતોને મફતમાં બદલી આપવામાં આવશે. આ યોજના હેઠળ 2022 સુધીમાં 10 લાખ ખેડૂતોને આવરી લેશે અને વીજ વપરાશ પર 35% બચત થશે.
ગુજરાતમાં તાજપોશી બાદ આજે હિમાચલમાં જયરામ ઠાકુરને માથે તાજ

- વડાપ્રધાનની હાજરીમાં પહેલી વાર હિમાચલમાં યોજાશે શપથ સમારોહ 

આજે હિમાચલ પ્રદેશમાં જયરામ ઠાકુર મુખ્યપ્રધાન તરીકેના શપથ લેશે.


હિમાચલ પ્રદેશના 13માં મુખ્યમંત્રી તરીકે જયરામ ઠાકુર આજે શપથ લેશે. 

તેમના શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ ભાગ લેવાના છે. 


મહાન ઉર્દુ શાયર મિર્ઝા ગાલિબનો 220મો જન્મદિવસ, ગુગલે બનાવ્યુ ડૂડલ

- 11 વર્ષની ઉંમરમાં જ ગાલિબે ઉર્દુ અને ફારસીમાં લખવાની શરૂઆત કરી હતી

આગ્રા, દિલ્હી અને કલકત્તામાં પોતાનું જીવન પસાર કરનાર ગાલિબને ખાસ કરીને તેમની ઉર્દુ ગઝલો માટે યાદ કરવામાં આવે છે.

આ મહાન શાયરનો જન્મ 27 ડિસેમ્બર 1796માં ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં એક સૈનિકના કુટુંબમાં થયો હતો.

આજે શેર-ઓ-શાયરીની દુનિયાના બાદશાહ, ઉર્દુ અને ફારસી ભાષાના મહાન શાયર મિર્ઝા ગાલિબનો 220મો જન્મદિવસ છે. આ અવસરે ગુગલે ખાસ ડૂડલ બનાવીને તેમને સમર્પિત કર્યું છે. મિર્ઝા ગાલિબનું પૂરુ નામ અસદ-ઉલ્લાહ બેગ ખાં ઉર્ફ ગાલિબ હતુ.

તેમનો એક શેર.......

ઈશ્કને 'ગાલિબ' નિકમ્મા કર દિયા
વરના હમ ભી આદમી થે કામ કે


તેમના દાદા મિર્ઝા કોબાન બેગ ખાન અહેમદ શાહના શાસનકાળમાં સમરકંદથી ભારત આવ્યા હતા. તેમણે દિલ્હી, લાહોર અને જયપુરમાં કામ કર્યું. તેમજ આગ્રામાં વસ્યા. ગાલિબના પ્રારંભિક શિક્ષણ વિશે કંઈ પણ સ્પષ્ટ નથી પરંતુ ગાલિબ કહેવા અનુસાર તેમણે 11 વર્ષની ઉંમરમાં જ ઉર્દુ અને ફારસીમાં ગદ્ય તથા પદ્ય લખવાનો આરંભ કરી દીધો હતો. તેમને ઉર્દુ ભાષાના સર્વકાળ મહાન શાયર માનવામાં આવે છે. ફારસી કવિતાના પ્રવાહને હિન્દુસ્તાની રીતમાં લોકપ્રિય કરવાનો શ્રેય પણ તેમને જાય છે.


વસમી વિદાય

   ગિરીજા દેવી  



૮ મે ૧૯૨૯ - ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ પદ્મવિભુષણ એવા બનારસી તેમજ સેન્યિા ઘરાનાના તેઓ ભજન, ક્લાસિકલ અને સેમિક્લાસિકલ ગાયિકા હતા. તેઓને 'ક્વીન ઓફ ઠુમરી'નું બિરૃદ મળ્યું હતું.   
 
  કિશોરી આમોલકર  



૧૦ એપ્રિલ ૧૯૩૯ - ૩ એપ્રિલ ૨૦૧૭ હિન્દુસ્તાની અને જયપુર ઘરાનાના શાસ્ત્રીય સંગીત ગાયિકા ભારતનું ઘરેણું મનાતા હતા. ખયાલ, ઠુમરી અને ભજન ગાયનમાં તેઓનું અદ્વિતીય પ્રદાન રહ્યું.    


  પ્રો.યશપાલ  


૨૬ નવેમ્બર,૧૯૨૬ - ૨૪ જુલાઈ, ૨૦૧૭ વિજ્ઞાની, શિક્ષણ શાસ્ત્રી તરીકે તેમનું પ્રદાન આધુનિક અને દ્રષ્ટાસમાન હતું. પદ્મભૂષણ પ્રો. યશપાલ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પણ રહી ચૂક્યા હતા.    
  શોભા નેહરૃ  



૧૯૦૮- ૨૫ એપ્રિલ, ૨૦૧૭ રાહુલ ગાંધીના દાદી હંગેરીમાં જન્મ અને જ્યુઇસ હતા. બી. કે. નેહરુ જોડે તેમણે લગ્ન કર્યા હતા. ઇન્દિરાના કટોકટીની ટીકા કરતા હોઈ પારિવારિક સંબંધોમાં ઉષ્મા નહોતી.    

  સ્વામી આત્મસ્થાનંદજી  




૧૦ મે, ૧૯૧૯- ૧૮ જૂન, ૨૦૧૭ બેલુર સ્થિત રામક્રીષ્ન મઠના ૧૫મા પ્રમુખ હતા. રામક્રિષ્ન પરમહંસની હયાતીના શિષ્ય વિજનાનંદે તેમની દીક્ષા આપી હતી.      

   કે.પી.એસ. ગીલ  




૧૯૩૪ - ૨૬ મે, ૨૦૧૭ પંજાબમાં ખાલિસ્તાન ઉગ્રવાદની ચરમસીમાના સમયમાં તેઓ પંજાબ રાજ્યના ડીજીપી રહ્યા હતા અને તેઓ નિડર વક્તા, જાંબાઝ અફસર હતા, ભારતીય હોકી ફેડરેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા.    

   યુ.આર. રાવ  




૧૦ માર્ચ, ૧૯૩૨, ૨૪ જુલાઈ, ૨૦૧૭ ઇસરોના અને પીઆરએલના ચેરમેન રહી ચૂકેલા પદ્મવિભૂષણ અવકાશ વિજ્ઞાનીએ ભારતમાં રોકેટ ટેકનોલોજીને આગળ ધપાવી. 'ઇન્સેટ' લોન્ચ તેમના કાર્યકાળ દરમિયાન થયેલો.  




ઈસરોએ ૩૦ મીનિટમાં ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કર્યા



ઈસરોએ હવે પ્રત્યેક વર્ષે અવનવા પડકારજનક સેટેલાઇટ અને રોકેટ લોન્ચિંગ પ્રોજેક્ટ પાર પાડીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમની પ્રતિષ્ઠા ખાસ્સી વધારી છે. એક જમાનામાં અંતરીક્ષ સામગ્રીની સાયકલ કે ગાડા પર હેરફેર કરનાર ઈસરો હવે તો વિકસીત દેશોના સેટેલાઇટ  લોન્ચ કરી કમાણી પણ કરે છે.

ફેબુ્રઆરી મહિનામાં ઈસરોએ દિવાળીની આતશબાજીની ઝડપે ૩૦ મીનિટમાં ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો તે પછી પાંચ દેશો માટે મે મહિનામાં જી-સેટ તે પછી ૩૧ સેટેલાઇટ જૂન મહિનામાં લોન્ચ કર્યા.


હવે હેવી લોડેડ રોકેટ કે જે સેટેલાઇટ લોન્ચ કરીને ફરી પરત આવીને ફરી ઉપયોગમાં લઇ શકાય તે ટેકનોલોજી પણ  હસ્તગસ્ત કરાઇ છે.