બુધવાર, 20 માર્ચ, 2019

આજે પીએમ મોદી દેશના 25 લાખ ચોકીદારોસાથે કરશે ચર્ચા, ઓડિયો બ્રિજથી કરશે સંબોધન



વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોળીના પર્વની ઉજવણીના ભાગરૂપે દેશના ૨૫ લાખ ચોકીદારો અને આમ આદમીને ઓડિયો બ્રિજના માધ્યમથી એકસાથે સંબોધવાના છે. બુધવારે સાંજે તેઓ મૈં ભી ચોકીદાર કેમ્પેન હેઠળ હોળી પર્વ નિમિત્તે દેશના તમામ વર્ગના લોકોને સંબોધશે. 

ભાજપ મીડિયા ઈન્ચાર્જ અનિલ બાલુનીએ મંગળવારે સાંજે આ સત્તાવાર માહિતી આપી હતી. બાલુનીએ કહ્યું કે ભલે એ સિક્યોરિટી ગાર્ડ હોય કે એટીએમ ગાર્ડ કે પછી મોલનો સિક્યુરિટી ગાર્ડ, વડા પ્રધાન ઇચ્છે છે કે દરેક આમ આદમી ન્યૂ ઈન્ડિાની રક્ષા માટે સજ્જ બને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો