બુધવાર, 20 માર્ચ, 2019


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના સાહસિક-વીર જવાનોને કર્યાં સન્માનિત

દેશની સુરક્ષા માટે દિવસ રાત પોતાનો જીવ જોખમમાં મૂકનારા જવાનોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કર્યા હતા. 
આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.  આ સન્માન સમારોહમાં અનેક વીર જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. 
શહિદ જવાનોની બહાદુરીના સન્માન મેડલ તેમની પત્નીઓને આપવામાં આવ્યા હતા.  જેમાં જમ્મુ કાશ્મીરના 14 વર્ષના ઈરફાન રમઝાન શેખને પણ સન્માનિત કરાયો હતો. 
જમ્મુ-કાશ્મીરના શોપિયાન જિલ્લામાં ઘર પર હુમલો કરનાર આતંકવાદીઓ સાથે બાથ ભીડનાર ૧૬ વર્ષના તરૃણ ઇરફાન રમઝાન શેખને આજે રાષ્ટ્રપતિએ શોર્ય ચક્ર એનાયત કર્યો હતો.
સામાન્ય રીતે શોર્ય ચક્ર કોઇ યુધ્ધમાં દુશ્મનો સામે બહાદૂરી બતાવનાર અર્ધ લશ્કરી દળના જવાનને જ અપાય છે. પરંતુ ભાગ્યે જ એવું બને કે કોઇ નાગરિકને આ એવોર્ડ અપાય. ભણીને આઇપીએસ બનવા ઇચ્છતા ઇરફાન રમઝાન શેખને નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના હસ્તે એવોર્ડ અપાયો હતો.
૧૬-૧૭ ઓકટોબર, ૨૦૧૭ની રાત્રે આતંકીઓએ શેખના ઘરને ઘેરી લીધો હતો. તેના પિતા મોહમ્મદ રમઝાન શેખે તેમનો પ્રતિકાર કરતાં આતંકીઓએ તેમની પર ગોળીઓ છોડી હતી. ધરમાં ત્રાટકેલા ત્રણ આતંકીઓએ તેના પિતાને ધક્કો મારતા ઇરફાન વચ્ચે પડયો હતો અને  આતંકીઓ સાથે ભીડી ગયો હતો.
અંતે આતંકીઓ ભાગી ગયા હતા, પરંતુ ફાયરિંગ કરી તેના પિતાને ઘાયલ કરી ગયા હતા જે અંતે હોસ્પિટલમાં ગુજરી ગયેલા. ઇરફાને બહાદૂરથી એક આતંકીને પકડી લીધો હતો અને ગોળીઓ લાગી હોવા છતાં એને છોડયો નહતો. દરમિયાન ફાયરિંગમાં આતંકીને પણ ગોળીઓ વાગી હતી અને ઇરફાન પણ ઘાયલ થયો હતો.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો