બુધવાર, 20 માર્ચ, 2019

નિવૃત્ત જસ્ટિસ પીનાકી ચંદ્ર ઘોષ ભારતના પ્રથમ લોકપાલ નિમાયા


 
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષને આજે ભારતના પ્રથમ લોકપાલ તરીકે નિમવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા માટે લોકપાલની નિમણુંક કરાય છે.
 આમ તેઓ પ્રથમ લોકપાલ તરીકે પસંદ કરાયા હતા. સશ્ત્ર લીમા બલના પૂર્વ વડા અર્ચના રામાસુંદરમ, પૂર્વ ચીફ સેક્રેટરી દિનેશ જૈન, મહેન્દ્ર સિંહ અને ઇદ્રજીત પ્રસાદ ગૌતમને લોકપાલના નોનજ્યુશિયલ સભ્યો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
 ભ્રષ્ટાચાર વિરોધી આ સંસ્થામાં જસ્ટિસ દિલીપ ભોંસલે, પ્રદીપ મોહંતી, અભિલાશ કુમારી અને અજય કુમાર ત્રિપાઠીને જ્યુડિશિયલ મેમબર્સ તરીકે નિમવામાં આવ્યા હતા.
આ નિમણુંકો વડા પ્રધાન મોદીના અધ્યક્ષતા હેઠળની સમિતિ એ કરી હતી જેને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મંજૂરી આપી હતી. વિરોધ પક્ષોએ મોદી સરકાર પર લોકપાલની નિમણુંકમાં વિલંબ કરવાનો આક્ષેપ કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો