સોમવાર, 20 ઑગસ્ટ, 2018


1251 કિલો પારામાંથી બનેલું દુર્લભ પારદેશ્વર મહાદેવનું મંદિર

 
https://www.gujaratsamachar.com/content_image/content_image_91f89782-1f80-47e1-a277-420445f7d716.jpeg


- ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ ધરાવતું 


મોટાભાગના શિવ મંદિરોમાં શિવલિંગ પથ્થર સ્વરૂપે જ જોવા મળતું હોય છે. પણ દહેગામ નજીક આવેલ પારદેશ્વર મહાદેવ મંદિર એક માત્ર એવું મંદિર છે જેનું શિવલિંગ પારો અર્થાત મેરક્યુરીમાંથી બનેલું છે.


આ પારાનું શિવલિંગ કેમ બન્યું ? વર્ષોની તપશ્ચર્યા જડીબુટ્ટીઓના મિશ્રણ અને અપાર શ્રધ્ધાના સમન્વયથી બન્યું છે. આ પારદ શિવલિંગ. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં આ મંદિર સ્થાપવામાં આવ્યું હતું.

દહેગામથી ૧૬ કિલોમીટરના અંતરે આવેલા વહેલાલ ગામની સીમમાં આવેલું આ પ્રણવ પારદેશ્વર મહાદેવનું મંદિર કદાચ આખા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં એક માત્ર હશે. અદભૂત અને અલૌકિક એવા આ પારદેશ્વર મહાદેવનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ છે. અહીંના સંસ્થાપક શ્રી શ્રી માં અનંતાનંદજી અહીંયા શિવપૂજા સહિત દિવ્ય જયોત આયુર્વેદક રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે.
જ્યાં જીવલેણ રોગ જેવા કે કેન્સરની પણ સફળ સારવાર થાય છે. આ શિવલિંગ બનાવવામાં ઉપયોગ થયેલ દુર્લભ જડીબુટ્ટીઓ અને પારાના લીધે આ શિવલિંગ પર અભિષેક કરાયેલું પાણી આયુર્વેદિક દવા બનાવવામાં અને વનસ્પતિઓ ઉગાડવામાં કરાય છે.

કહેવાય છે કે પૃથ્વી, પાતાળ અને આકાશ ત્રણે લોકોના શિવલિંગનું પૂજા કર્યાનું ફળ માત્ર આ પારદ શિવલિંગના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. પારદ શિવલિંગનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. ભારત દેશની આજ તો ખૂબી છે કે જે કાર્ય વિજ્ઞાાન ન કરી શકે એ આપણાં સંતો વર્ષો અગાઉ કરી ચૂક્યા છે.

હાલ પણ પારો બાંધવાની ક્રિયા વિજ્ઞાન પાસે નથી અને આપણા યોગીઓ પોતાના તપોબળ અને આયુર્વેદિક ઔષધિઓ સાથે અપાર શ્રધ્ધા અને વિશ્વાસના બળે આ કાર્ય સિધ્ધ કરીને બતાવ્યું છે. શ્રાવણ મહિનામાં જ નહિ પણ આખા વર્ષ દરમિયાન આ શિવલિંગના દર્શન કરવા લોકો વિદેશથી પણ આવે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો