બુધવાર, 28 જૂન, 2017

લોધા સુધારણાના અમલીકરણ માટે બીસીસીઆઈ દ્વારા સાત-સભ્ય સમિતિની રચના કરાઇ...



બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ (BCCI) એ રાજ્યના એકમો દ્વારા વિરોધ કરવામાં આવેલા થોડા વિવાદિત લોધા(Lodha) પેનલ સુધારાઓનું વિશ્લેષણ કરવા માટે સાત સભ્યોની વિશેષ સમિતિની રચના કરી છે.


વડા રાજીવ શુક્લાના હેઠળ સાત સભ્યોની, લોધા સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના અન્ય સભ્યોમાં ભૂતપૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલી, ટી.સી. મેથ્યુ (કેરળ ક્રિકેટ), નાબા ભટ્ટાચારજી (ઉત્તર પૂર્વ પ્રતિનિધિ), જય શાહ (ગુજરાત ક્રિકેટ એસોસિયેશન), બીસીસીઆઈ ખજાનચી અનિરુદ્ધ ચૌધરી અને બીસીસીઆઈના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો