ગુરુવાર, 6 જુલાઈ, 2017

૨૬-૧૧ના હુમલામાં બચી ગયેલા યહુદી બાળકમોશે ને મોદી મળ્યા



૨૬-૧૧ના મુંબઈ આતંકી હુમલા વખતે બચી ગયેલા યહુદી બાળક મોશે હોલ્ત્ઝબર્ગને આજે વડા પ્રધાન મોદી મળ્યા હતા. એ વખતે મોશેએ વડા પ્રધાનને કહ્યું હતુ, ડીઅર મિસ્ટર મોદી, આઈ લવ યુ. ૨૬-૧૧ના હુમલા વખતે મોશે અને તેના માતા-પિતા ભારતમાં હતા. મોશે ત્યારે હજુ ૨ વર્ષનો પણ થયો ન હતો. એ વખતે હુમલામાં તેના માતા-પિતાનું મોત થયુ હતુ. એ પછી મોશેને ઈઝરાયેલ લઈ જવાયો હતો.


વડા પ્રધાને મોશેને મળીને તેના ખબર અંતર પૂછ્યા હતા. સાથે સાથે મોશેને વારંવાર ભારત આવવામાં સરળતા રહે એટલા માટે લાંબા ગાળાના વિઝા આપવાનું વચન આપ્યુ હતુ. હવે ૧૧ વર્ષના થયેલા મોશેએ કહ્યુુ હતુ કે મને પણ હવે ભારત આવવાની ઈચ્છા છે. ૨૦૦૮ના આતંકી હુમલા વખતે મોશે સહિત અનેક યહુદીઓ મુંબઈના નરીમાન પોઈન્ટ પાસે આવેલા છાબાડ હાઉસમાં હતા. ત્યાં આતંકીઓએ હુમલો કરીને અનેક યહુદીઓના જીવ લીધા હતા. મોશે હાલ તેના દાદા સાથે રહીને મોટો થઈ રહ્યો છે.


ડો. દોલતસિંહ કોઠારી : સૂર્ય-ચંદ્ર અને તારામંડળની ગતિ અંગે સંશોધન કરનારા વિજ્ઞાની...





અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વમાં ભારતની નોંધ કરાવનારા વિજ્ઞાની એટલે ડો. દોલતસિંહ કોઠારી. તેઓએ તારામંડળ, સૂર્ય-ચંદ્રની ગતિ અને પરમાણુઓના સંદર્ભમાં સંશોધન કર્યું હતું. ડો. દોલતસિંહ કોઠારીનો આજે જન્મદિવસ છે ત્યારે ભારતના આ અગ્રણી વિજ્ઞાની વિશેની થોડી માહિતી.

 * ડો. દોલતસિંહ કોઠારીનો જન્મ રાજસ્થાનના ઉદયપુરમાં ૭ જુલાઈ, ૧૯૦૬માં થયો હતો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અલાહાબાદમાં મેળવ્યું હતું.

* તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. ડોક્ટરેટ કર્યા પછી તેઓ સંશોધનકાર્યમાં જોડાઈ ગયા હતા.

* તેમણે 'દબાણ આયનીકરણ'નો સિદ્ધાંત આપ્યો હતો. આ સિદ્ધાંત મુજબ તેમણે એવુ સાબિત કર્યું હતું કે કોઈ પણ તત્ત્વને દબાણ કે ગરમી આપ્યા વગર પણ એના પરમાણુનું વિભાજન કરી શકાય છે.  ભારત સરકારે ૧૯૪૮માં તેમને પ્રતિરક્ષા વિજ્ઞાન સંગઠનના ડિરેક્ટર તરીકે નિમ્યા હતા. તેમણે આશરે દોઢેક દશકા સુધી આ પદ શોભાવ્યું હતું.

* તેઓ પ્રાદેશિક ભાષાના પુરસ્કર્તા હતા. તેઓ માનતા કે ભારતે સંશોધનને લગતાં પુસ્તકો સરળ હિન્દી ભાષામાં ઉપલબ્ધ બનાવવાં જોઈએ. જેથી વધુમાં વધુ લોકો એને સમજી શકે અને વિચારી શકે.

* તેઓએ દિલ્હી યુનિવર્સિટીમાં આશરે ૨૨ વર્ષ સુધી કામગીરી કરી હતી. તે દરમિયાન ભૌતિક વિજ્ઞાનનાં સંશોધનો પાછળ તેમણે મહામૂલું યોગદાન આપ્યું હતું. આ સિવાય તેઓ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના ચેરમેન પણ રહ્યા હતા.

* તેઓ ૧૯૭૩માં ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના પ્રમુખ બન્યા હતા. આ ઉપરાંત તેઓ દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ પણ રહ્યા હતા.


* ૪ ફેબ્રુઆરી, ૧૯૯૩ના રોજ તેમનું નિધન થયું ત્યાં સુધી તેઓ સંશોધનક્ષેત્રે કાર્યરત રહ્યા હતા. ભારત સરકારે ૧૯૭૩માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.  


બુધવાર, 5 જુલાઈ, 2017


ઇઝરાયેલ વિશેની માહિતી....



  • ઇઝરાયેલ ખ્રિસ્તીઓ, યહૂદીઓ, અને મુસ્લિમો માટે પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે.
  • ઇઝરાયલની સત્તાવાર ભાષા હીબ્રુ છે ઇંગ્લીશનો વ્યાપકપણે બીજી ભાષા તરીકે ઉપયોગ થાય છે, અને તાજેતરમાં રશિયન સામાન્ય બની ગયું છે.
  • ઇઝરાયેલનો કુલ વિસ્તાર - 20,770 km²
  • ઈઝરાયલની રાજધાની - યરૂશાલેમ



મોદીની ઇઝરાયેલ મુલાકાત….




ઈઝરાયેલની ત્રિદિવસીય મુલાકાત અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેલ અવીલ પહોંચ્યા હતા. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાનયાહૂ પ્રોટોકોલનો ભંગ કરીને વડાપ્રધાન મોદીને બેન ગુરિયન એરપોર્ટ પર સ્વાગત કરવા પહોંચ્યા હતા. ત્યાં નેતાનયાહૂએ મોદીને જોઈને કહ્યું હતું કે, 'આપકા સ્વાગત હૈ, મેરે દોસ્ત'. એ પછી મોદીએ પણ હિબુ્ર ભાષામાં નેતાનયાહૂને કહ્યું હતું કે, શાલોમ (હેલ્લો), આઈ એમ હેપ્પી ટુ બી હિયર.

મોદીની મુલાકાત વખતે ઈઝરાયેલ મિલિટરી બેન્ડે રાષ્ટ્રીય ગીત વગાડયું હતું. બાદમાં સેનાએ વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું.

મોદીની ઈઝરાયેલ મુલાકાતની સાથે સાથે...

* મોદીની મુલાકાતની યાદમાં ઈઝરાયેલે વિકસાવેલા 

'ક્રાયસનથુમુન' ફૂલને 'મોદી' નામ અપાશે

* નેતાનયાહૂએ મોદીને દાંઝિગર ફ્લાવર પાર્કની મુલાકાત કરાવી એ પછી ટ્વિટ કરીને આ માહિતી આપતા વિશ્વ આશ્ચર્યમાં

* નાઝીઓએ મોતને ઘાટ ઉતારેલા યહૂદીઓની યાદમાં બનાવાયેલા મેમોરિયલ 'યાદ વાશેમ'ની પણ મોદીએ મુલાકાત લીધી

* ઈઝરાયેલે ૧૯૫૩માં જેરુસલેમ નજીકના માઉન્ટ ઓફ રિમેમ્બ્રન્સ પર યાદ વાશેમ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતી

* આશરે ૪,૨૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આ મેમોરિયલ અન્ડરગ્રાઉન્ડ છે, જ્યાં નાઝીયુગની યાદ અપાવતી ઐતિહાસિક ચીજવસ્તુઓ સચવાઈ છે. 

6 જુલાઈના રોજ વડાપ્રધાન નેતન્યાહૂ સાથે હાઈફા કબ્રસ્તાન જશે. અહીંયા પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ ભારતીય સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા. જે બાદ બંને નેતા ગેલ મોબાઈલ-ઈન્ટીગ્રેટેડ વોટર પ્યોરિફિકેશન જોવા જશે. જેને હાઈક્લોવિટી પીવાનું પાણી તૈયાર કરવા બનાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ સંકટ સમયે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા થાય છે.
=======================================================================


નેતાનયાહૂએ વડાપ્રધાન મોદીને દાંઝિગરના વિખ્યાત ફ્લાવર ફાર્મની મુલાકાત કરાવી હતી. 

દાંઝિગરના વિખ્યાત ફ્લાવર ફાર્મની મુલાકાત

ઈઝરાયેલની ફ્લોરીકલ્ચર કંપની છે, જે આશરે ૮૦ હજાર સ્ક્વેર મીટરમાં અત્યાધુનિક ગ્રીનહાઉસ પદ્ધતિથી અનેક પ્રકારના ફૂલોની ખેતી કરે છે. વર્ષ ૧૯૫૩માં સ્થપાયેલો આ ફ્લાવર ગાર્ડન જેરુસલેમથી ૫૬ કિ.મી. દૂર મોરાવ મિશામાર હાશિવામાં આવેલો છે. આ બાગમાં ઉગતા ફૂલો ઈઝરાયેલ સહિત ૬૦ દેશોમાં વેચાય છે.

પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન ઇસ ૧૯૧૮માં હૈફા સીટીને તુર્કીના કબ્જામાંથી છોડાવવા ૮ ભારતીય સૈનિકો શહિદ અને ૩૪ ઘાયલ થયા હતા.ઇઝરાયલમાં આવેલું આ સ્થળ આજે ભારતીય સૈનિકોના સ્મારક તરીકે ઓળખાય છે.ભારતના ઘોડેસવાર બ્રિગેડનું હૈફા સીટીની લડાઇમાં મહત્વનું યોગદાન રહયું હતું.

હાઈફા કબ્રસ્તાન 


આ હૈફામાં સૈનિકોની સહાદતની યાદમાં દર વર્ષે ભારતીય સેના હૈફા ડેને અચૂક યાદ કરે છે.

આ લડાઇમાં જોધપુર,હૈદરાબાદ અને મૈસૂર રજવાડાના ઘોડેસવાર સૈનિકોએ ભાગ લીધો હતો.જો કે એ સમયે ઇઝરાયલ નામનો દેશ બન્યો ન હતો પરંતુ  હૈફા આજે ઇઝરાયેલનું ત્રીજા નંબરનું મોટું શહેર છે.
૨૩ સપ્ટેમ્બર ૧૯૧૮ના રોજ બ્રિટીશ ભારતના ઘોડેસવારોએ હૈફા શહેર પર કબ્જો મેળવી ઓટોમન તૂર્કો પર હુમલો કર્યો હતો.આ લડાઇમાં તુર્કી સેના મશીનગનો અને આર્ટિલરી જેવા શસ્ત્રોથી સજજ હતી.જયારે ભારતીય જવાનો પાસે ભાલા અને તલવાર જેવા પરંપરાગત હથિયારો હતા.તેમ છતાં જવાનોએ પરાક્રમ દાખવી તુર્કી સૈનિકોને હરાવ્યા હતા.
=======================================================================


પીએમ મોદી જે હોટેલમાં રોકાયા છે તે કિંગ ડેવિડ હોટેલના ડિરેક્ટર ઓફ ઓપરેશન્સ શેલ્ડન રિટ્ઝ કહે છે કે, ભારતના પીએમ અત્યારે ચિંતામુક્ત થઈને અહીં સુઈ શકે છે. કારણકે આ ધરતીની સૌથી સુરક્ષિત સ્વીટ છે. તેમના રુમ પર કોઈ પણ પ્રકારના બોમ્બ અથવા કેમિકલ અટેકની કોઈ અસર નહીં થાય. 

મોદી અને ટીમ માટે 110 રુમ તેમણે આગળ કહ્યું કે, જો હોટલને બોમ્બથી ઉડાવી દેવામાં આવે તો પણ તેમના રુમનો વાળ પણ વાંકો નહીં થઈ શકે. નરેન્દ્ર મોદી અને ભારતના પ્રતિનિધિમંડળને રોકાવા માટે હોટલના 110 રુમ ખાલી કરાવવામાં આવ્યા છે. અમે આ સદીના દરેક અમેરિકન પ્રેસિડન્ટની આગેવાની કરી છે. ક્લિન્ટન, ઓબામાથી લઈને ટ્રંપ સુધી દરેકની અને હવે મિસ્ટર મોદીના યજમાન બન્યા છીએ. 





મંગળવાર, 4 જુલાઈ, 2017


SC અને ST સમાજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો દંડનીય ગુનો : High Court…




દિલ્હી હાઈ કોર્ટે સોમવારે(3rd july) એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે SC અને ST સમાજની કોઈ વ્યક્તિ વિરુદ્ધ સોશિયલ મીડિયા અને ગ્રુપ ચેટમાં પણ અપમાનજનક વાત થશે તો તે દંડનીય ગુનો છે.

સોશિયલ મીડિયા પર અનુસૂચિત જાતિ(SC) અથવા અનુસૂચિત જનજાતિ(ST) સમાજની કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરનાર વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

હાઈકોર્ટે કહ્યું કે Sc અને ST એક્ટ, 1989 આ સમાજના લોકો પર સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી રેસિસ્ટ કમેન્ટ પર પણ લાગુ થશે. કોર્ટે આ વાત એક ફેસબુક પોસ્ટ પર દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કહી. કોર્ટે કહ્યું કે આ અધિનિયમ વૉટ્સએપ ચેટ પર પણ લાગુ પડી શકે છે.

જસ્ટિન વિપિન સાંઘીએ કહ્યું કે, ફેસબુક યુઝર પોતાની સેટિંગને પ્રાઈવેટથી પબ્લિક કરે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેની વૉલ પર લખેલી પોસ્ટ માત્ર તેના ફ્રેન્ડ્સ જ નહીં, અન્ય યુઝર્સ પણ જોઈ શકે છે. પણ જો આવી અપમાનજનક ટિપ્પણી પોસ્ટ કર્યા પછી પ્રાઈવસી સેટિંગને પ્રાઈવેટ કરવામાં આવે તો પણ તેને એસસી/એસટી એક્ટની ધારા 3(1)(X) અંતર્ગત દંડનીય માનવામાં આવશે.


કોર્ટમાં આ સુનાવણી એક SC મહિલાની અરજી પર થઈ રહી હતી, જેણે પોતાની દેરાણી પર આરોપ મુક્યો હતો કે તેણે સોશિયલ નેટવર્ક પર ધોબી માટે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેની દેરાણી જે રાજપૂત સમાજથી છે, તેણે બચાવમાં કહ્યું કે, તે તેની પ્રાઈવેટ સ્પેસ છે. જો કે કોર્ટે આ વાત ફગાવી હતી.


વડાપ્રધાન એ ટેક્સટાઇલ્સ ઇન્ડિયા 2017 ઉદઘાટન કર્યું હતું...






વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ગાંધીનગર ખાતે ટેક્સટાઈલ્સ ઇન્ડિયા 2017 નું ઉદઘાટન કર્યું હતું.

ત્રણ દિવસીનો આ મેળો વિશ્વવ્યાપક ઉત્પાદકો માટે વૈશ્વિક સોર્સિંગ હબ અને રોકાણ માટેનું સ્થળ, તરીકે રાષ્ટ્રનું પ્રદર્શન કરશે.

ભારતનુ કાપડ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં સૌથી જૂના ઉદ્યોગો પૈકીનું એક છે. આજે પણ, ભારતની નિકાસમાં  સૌથી મોટો ફાળો છે, જે કુલ નિકાસના આશરે 11% (નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન નિકાસ 40 અબજ યુએસ ડોલર હતી) સાથે છે. તે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માટે આશરે 5 ટકા અને ઔદ્યોગિક ઉત્પાદનના કુલ ઈન્ડેક્સમાં 14 ટકા ફાળો આપે છે. કૃષિ પછી તે બીજું સૌથી મોટું રોજગારદાતા છે. સરકારે ઓટોમેટિક રૂટ હેઠળ ભારતીય કાપડ ક્ષેત્રમાં 100% એફડીઆઇ મંજૂરી આપી છે.
બ્રિટીશ ચિત્રકારે દોરેલા ગાંધીજીના ઐતિહાસિક પેન્સિલ સ્કેચની લંડનમાં હરાજી



બ્રિટનમાં ૧૧મી જુલાઈએ એક હરાજી યોજાશે. જેમાં ગાંધીજીનું પેન્સિલથી બનેલું ઐતિહાસિક ચિત્ર અને શરદ ચંદ્ર બોઝને ગાંધીજીએ લખેલા પત્રોનો સમાવેશ થાય છે. આ બંને બાબતો હરાજીમાં મુખ્ય આકર્ષણ રહેશે એમ મનાય છે.

બ્રિટનની આર્ટ ડિલર કંપની સોથેબીએ એક હરાજીનું આયોજન કર્યું છે. લંડનમાં ૧૧મી જુલાઈએ યોજાનારી આ હરાજીમાં ગાંધીજીનું પેન્સિલથી બનેલું ચિત્ર મુખ્ય આકર્ષણ બનશે. ૧૯૩૧માં મહાત્મા ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયા હતા એ વખતે વિખ્યાત બ્રિટિશ આર્ટિસ્ટ જ્હોન હેનરી એમ્શેવિટ્સે બાપુ લખતા હોય એવું એક પેન્સિલ ચિત્ર તૈયાર કર્યું હતું.

પેન્સિલથી બનેલું હોય એવું આ ચિત્ર રેર પેન્સિલ પોટ્રેટ છે. એ પોટ્રેટમાં ગાંધીજીએ હસ્તાક્ષર કરી આપ્યા હતા અને લખ્યું હતું : ટ્રુથ ઈઝ ગોડ.

સોથેબીએ અંદાજ લગાવ્યો છે કે આ ચિત્રના ૧૦ લાખ રૃપિયા ઉપજશે. હરાજીમાં બીજી આકર્ષણની બાબત સુભાષબાબુના મોટાભાઈ અને દેશના આઝાદીના લડવૈયા શરદ ચંદ્ર બોઝને ગાંધીજીએ બંગાળના ભાગલા બાબતે લખેલા પત્રોનો સમાવેશ થાય છે. શરદ ચંદ્ર બોઝને બાપુએ ૧૯૪૦ના દશકામાં પત્રો લખ્યા હતા.


બંગાળની એકતા જાળવી રાખવા માટેના તેમના સંઘર્ષની વાત એમાં ગાંધીજીએ કરી હતી. એ સિવાય ગાંધીજીએ બોઝ પરિવાર તરફ સ્નેહાદર વ્યક્ત કર્યો હોય એવા પત્રોનો પણ આ હરાજીમાં સમાવેશ કરાયો છે. બધા પત્રો અને ચિત્ર મળીને ૨૭ લાખ રૃપિયામાં હરાજી થશે એવો અંદાજ છે.