રવિવાર, 9 જૂન, 2019


માલદીવથી શ્રીલંકા પહોંચ્યા PM મોદી, વડાપ્રધાન વિક્રમસિંઘે એરપોર્ટ પર કર્યું સ્વાગત


 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવથી શ્રીલંકાના પ્રવાસે ગયા છે. કોલંબો એરપોર્ટ પર શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે તેમનું સ્વાગત કર્યું. PM મોદી રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસે સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન PM મોદી પૂર્વ રાષ્ટ્રપતિ અને વિપક્ષ નેતા મહિંદા રાજપક્ષેની પણ મુલાકાત લેશે.
2 મહિના પહેલા ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં આત્મઘાતી હુમલાથી દેશ હચમચી ગયો હતો. એવામા PM મોદીના શ્રીલંકા પ્રવાસમા આતંકવાદ સાથે જોડાયેલ મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.
વડાપ્રધાન મોદી પહેલા કહી ચૂક્યા છે કે, માલદીવ અને શ્રીલંકાની તેમની યાત્રા પરથી ખ્યાલ આવે છે કે, ભારત માટે પાડોશી પહેલાની નીતિ કેટલી મહત્વપૂર્ણ છે. PM મોદીએ કહ્યું હતું કે, આનાથી બંન્ને દેશો સાથે અમારા સંબંધો મજબૂત બનશે. PM મોદીએ આ વખતે તેમના શપથ ગ્રહણ સમારોહમા પણ બિમ્સટેક દેશોના પ્રમુખોને બોલાવ્યા હતા, જેમા શ્રીલંકા અને માલદીવનો પણ સમાવેશ કરવામા આવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો