રવિવાર, 9 જૂન, 2019


સુરતમાં 'ફેમિલી ફાર્મર અભિયાન'નો મુખ્યમંત્રી વિજય રૂપાણીના 

હસ્તે કરવામાં આવ્યો શુભારંભ

સુરતના ગોપીન ગામ ખાતે 'ફેમિલી ફાર્મર અભિયાન'નો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મુખ્યમંત્રી એ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારનુ કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપશે.
સુરતના ગોપીન ગામ ખાતે 'ફેમિલી ફાર્મર અભિયાન'નો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મુખ્યમંત્રી એ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારનુ કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપશે. મુખ્યમંત્રીએ સુરત અગ્નિકાંડ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બેજવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન દરેક સંસ્થાએ કરવું પડશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ફેમિલી ફાર્મર અભિયાન દેશના લોકોને રસાયણમુકત ખોરાક આપીને અનેક પ્રકારની બિમારીમાંથી મુક્તિ અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગ્લોબલ વોર્મિંગ આજે વૈશ્વિક પ્રશ્ન બની ગયો છે ત્યારે પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે હેતુથી રાસાયણિક ખાતર વિનાની, ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતીનો વિચાર અમલમાં મુકવામાં આવ્યો છે. આ અવસરે સુરત અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો