શુક્રવાર, 17 ઑગસ્ટ, 2018


વિદેશમાં ભારતના ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી વિજયના કર્ણધાર વાડેકરનું નિધન

 

- ૧૯૭૧માં વિન્ડિઝ અને ઈંગ્લેન્ડની ભૂમિ પર વાડેકરની આગેવાનીમાં ભારતે સૌપ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો

 

- ક્રિકેટર અને કેપ્ટન તરીકેની સફળતા મેળવ્યા બાદ વાડેકરે કોચ તેમજ સિલેક્ટર તરીકે પણ અસરકારક ભૂમિકા ભજવી હતી : ૭૭ વર્ષના વાડેકર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા : આવતીકાલે અંતિમક્રિયા યોજાશે


https://www.gujaratsamachar.com/content_image/content_image_872ee5f2-71c1-447f-8773-0c3bca79ce21.jpeg

 


ઈ.સ.૧૯૭૧માં ભારતને વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની ભૂમિ પર ઐતિહાસિક ટેસ્ટ સિરિઝ વિજય અપાવનારા કેપ્ટન અજિત વાડેકરને ૧૫મી ઓગસ્ટે હાલત વધુ ગંભીર બનતાં  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ૭૭ વર્ષની વયે અવસાન થયું હતુ.વાડેકર લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યાં હતા.


ભારતીય ક્રિકેટ જગતને કેપ્ટન તરીકે દુનિયાભરમાં ગૌરવ અપાવનારા ક્લાસિકલ ડાબોડી બેટ્સમેન અજીત વાડેકરે ખેલાડી તરીકેની નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાના કોચ તરીકે તેમજ સિલેક્ટર તરીકે પણ ક્રિકેટની સેવા કરી હતી. 
 
વાડેકરના નિધનને કારણે ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ હતી. વાડેકર તેમની પાછળ તેમની પત્ની રેખા અને બે પુત્રો તેમજ એક પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા છે.

આક્રમક બેટ્સમેન તરીકે જાણીતા વાડેકરે ૩૭ ટેસ્ટ મેચ રમી હતી. તેમણે ટેસ્ટ ક્રિકેટર તરીકે ૨,૧૧૩ રન ફટકાર્યા હતા અને ભારતની સૌપ્રથમ વન ડેમાં કેપ્ટન તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.
 

દેશમાં GST ના અમલનો સૌ પ્રથમ વિચાર વાજપેયીએ રજૂ કર્યો હતો

 

- દેશના અર્થતંત્રને સ્પર્શતા પાંચ મહત્ત્વના આર્થિક નિર્ણયો વાજપેયીએ લીધા હતા

 

https://www.gujaratsamachar.com/content_image/content_image_636afb4c-0d30-449d-91c5-3d48f8eef594.jpeg

 

દેશભરમાં સર્વસ્વીકૃત એક માત્ર રાજકીય નેતા અને ભૂતપૂર્વ વડાપ્રાન અટલબિહારી વાજપેયી આજે આપણી વચ્ચે નથી રહ્યા.

તેઓ જ્યારે વડાપ્રાનપદે હતા ત્યારે તેમણે લીધેલા પાંચ મહત્ત્વના આર્થિક નિર્ણયની દેશના અર્થતંત્ર પર સાનુકૂળ અસર જોવાઈ હતી :

 
  • ભારતમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનો (GST) અમલ ગત તા. ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ થયો હતો પરંતુ દેશમાં જીએસટીના અમલનો સૌ પ્રથમ વિચાર વાજપેયીએ ૨૦૦૦માં રજૂ કર્યો હતો અને તેનો અમલ માટે એક કમિટીની પણ રચના કરી હતી પરંતુ વિવિ પ્રતિકૂળતાના કારણે આ વિચાર પરિપૂર્ણ થયો ન હતો.
  • ૨૦૦૩માં વાજપેયી જ્યારે વડાપ્રાન હતા ત્યારે ફીસ્કલ રીસ્પોન્સીલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (FRBM) એક્ટની રજૂઆત કરી હતી. આ કાયદાનો મુખ્ય આશય નાણાંકીય ખા ઘટાડવાનો અને જાહેર ક્ષેત્રમાં બચત વારવાનો હતો.
  • દેશમાં ટેલિકોમ ક્રાન્તિ લાવવાનો પાયો વાજપેયી સરકારે તે વેળાએ બીએસએનએલની મોનોપોલી પર પૂર્ણવિરામ મૂકી નવી ટેલિકોમ પોલીસી રજૂ કરી હતી.
  • ૧૯૯૯માં જ તેમણે સરકારી સાહસોમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે અલગ ડિપાર્ટમેન્ટની રચના કરી હતી. તેઓ સત્તા પર હતા ત્યારે ભારત એલ્યુમિનિયમ (બાલ્કો), હિંદુસ્તાન ઝીંક અને વિદેશ સંચાર નિગમમાં ડિસઇન્વેસ્ટમેન્ટ હાથ રાયું હતું.
  • પાંચમો મહત્ત્વનો નિર્ણય વીમા ક્ષેત્ર માટેનો હતો ૧૯૯૯ સુી વીમા ક્ષેત્ર પર સરકારી કંપનીઓનું આપિત્ય હતું. તેમણે ખાનગી કંપનીઓને આ ક્ષેત્રમાં પ્રવેશવા મંજૂરી આપી હતી. તેમજ વીમા ક્ષેત્રે ૨૬ ટકા એફડીઆઇને મંજૂરી આપતા વિદેશી વીમા કંપનીઓએ ભારતમાં પ્રવેશ કર્યો હતો.