શુક્રવાર, 13 જુલાઈ, 2018

વડોદરા: એક એવી ઘડિયાળ જે વિરુદ્ધ દિશામાં ચાલે છે પરંતુ સમય સાચો બતાવે છે


વડોદરા: એક એવી ઘડિયાળ જે વિરુદ્ધ દિશામાં ચાલે છે પરંતુ સમય સાચો બતાવે છે


- આપણે તમામ ઘડિયાળને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ચાલતા જોઈ છે


વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે. આપણે તમામ ઘડિયાળને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ચાલતા જોઈ છે પરંતુ એક એવી ઘડિયાળ છે.
જે ઘડિયાળ ઉંધી દિશામાં ચાલે છે અને સમય પણ સાચો બતાવે છે.
આદિવાસી સમાજ આજે પણ પોતાની પરંપરા ભૂલ્યા નથી અને પોતાની પરંપરાગત રીતે તમામ કાર્યો જમણીથી ડાબી તરફ કરી રહ્યા છે.
એવી જ રીતે પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકોના ઘરોમાં પ્રવેશ કરીએ ત્યારે દીવાલ પર અલગ જ પ્રકારની ઘડિયાળો જોવા મળે છે.
સમય જોવા માટે બનાવવામાં આવેલી તમામ ઘડિયાળો ડાબેથી જમણી તરફ ફરે છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આદિવાસી સમાજે બનાવેલી ઘડિયાળ એવી છે. જે જમણીથી ડાબી તરફ ફરે છે અને સમય પ્રમાણે સાચો સમય જ બતાવે છે.
બ્રહ્માંડ વિજ્ઞાન ધર્મ અને પ્રકૃતિ સાથે તાલ મિલાવતી આ આદિવાસી ઘડિયાળ હાલ આદિવાસી પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આદિવાસી સમુદાયના લોકોમાં પોતાની વર્ષો જૂની માન્યતા મુજબ જમણીથી ડાબી તરફ ફરતી ઘડિયાળ બનાવવામાં આવી છે.
બિરસા મુંડાના ફોટાવાળી આ ઘડિયાળ દુનિયાની અન્ય ઘડિયાળ કરતા અલગ જ છે. બિરસા મુંડા આદિવાસી સમાજમાં આદરણીય મનાય છે. જેથી આ ઘડિયાળમાં બિરસા મુંડાનો ફોટો રાખવામાં આવ્યો છે. આજે આ ઘડિયાળ આદિવાસી સમાજના મોટા ભાગના ઘરોમાં જોવા મળે છે.
આદીવાસી સમાજના લોકોનું માનવું છે કે આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે અને વર્ષોથી પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છે. તેમના મતે બ્રહ્માંડમાં સૂર્યની આસપાસ ફરતા પૃથ્વી સહિતના અન્ય ગ્રહો જમણાથી ડાબા તરફ ફરે છે, ફૂલ ઝાડની વેલ જમણાથી ડાબા તરફ વધે છે. પૃથ્વી પણ પોતાની ધરી પર જમણા ડાબા પડખે ફરે છે.
વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન પણ અણુની ચારે તરફ જમણાથી ડાબા તરફ ખેંચાય છે આ તમામ માન્યતાને ધ્યાનમાં રાખી આદિવાસી સમાજમાં જમીન ખેડવા માટે જમણી તરફથી હળ ચલાવી ખેતી કરતા હોય છે તેમજ હાથે ફેરવામાં આવતી અનાજ દળવાની ઘંટી પણ જમણી તરફથી ફેરવીને અનાજ દળતાં હોય છે.
લગ્નના ફેરા પણ જમણી તરફથી ફેરવતા હોય છે અને લગ્નમાં ઢોલ શરણાઇ દ્વારા આદિવાસી નૃત્ય રમાય છે તે પણ જમણી તરફથી રમતા હોય છે. જ્યારે હોળીના તહેવારમાં પણ હોળી જમણી તરફથી ફરતા હોય છે અને હોળીના સમયે મહિલાઓ તેમજ પુરૂષો જેરૈયા રમતા હોય છે તે સમયે પણ જમણી દિશામાં ફરીને પોતાના નૃત્ય કરતા હોય છે.
આદિવાસી સમુદાયનું માનવું છેકે આ દિશા જ સાચી દિશા છે એટલે સમય જાણવા માટે આદિવાસી સમુદાયે બનાવેલી જમણીથી ડાબી તરફથી ફરતી ઘડિયાળને પણ શુકન માનવામાં આવે છે તેમજ આદિવાસી સમુદાયની ઓળખ પણ માનવામાં આવે છે. જો કે અન્ય લોકો કરતા આદિવાસી સમુદાયના લોકો સમગ્ર કાર્ય જમણી દિશાથી કરતા હોય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો