શનિવાર, 9 ઑક્ટોબર, 2021

વર્લ્ડ પોસ્ટ ઓફિસ ડે - 9 ઓક્ટોબર

Ø  








   1874 માં બર્ન, સ્વિટ્ઝર્લન્ડમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU) ની સ્થાપનાની યાદમાં વિશ્વ પોસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. 151 દેશોમાં ઉજવવામાં આવે છે. તેને સૌપ્રથમ 1969 માં જાપાનના ટોક્યોમાં યોજાયેલી UPU કોંગ્રેસ દ્વારા વિશ્વ પોસ્ટ દિવસ તરીકે જાહેર કરાયો હતો. ભારતમાં પણ, દિવસ 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ઉજવાયેલા રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજ્વણી થાય છે.

Ø  2021 ની થિમ - “Innovate to Recover” છે.

Ø  આજના આધુનિક યુગમાં પણ ઇ-કોમર્સની દુનિયામાં પીનકોડ નો ઉપયોગ થાય છે.

Ø  પીનકોડનો ઉપયોગ પાર્સલ, રજિસ્ટર્ડ એડી, સ્પીડ પોસ્ટ, સ્ટેટમેન્ટ, નોટીસ, બલ્ક રિમાઇન્ડર માટે મોકલાવાના થતા પત્રો,ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા થતું માર્કેટિંગ, બેંક વગેરેમાં થાય છે.

Ø  ઇ-કોમર્સ વ્યહારોનો મુખ્ય પાયો પીનકોડ છે.

 

ભારતીય પોસ્ટ ઓફિસ ડે- ૧૦ ઓક્ટોબર

Ø  ભારતમાં આ દિવસ ૧૦ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ભારતમાં પોસ્ટ સેવા ૧૬૭ વર્ષ જુની છે,જેની સ્થાપના ૧૮૫૪માં લોર્ડ ડેલહાઉસી એ કરેલ હતી.

Ø  શું આપ જાણો છો કે આપ ઘર બેઠા ગંગા જળ મંગાવી શકો છો?

ભારતીય પોસ્ટ આપને ગંગોત્રિ અને હ્રિષીકેશ નું પવિત્ર ગંગા જળ ઘર બેઠા ઓનલાઇન પહોંચાડે છે.

 

પિનકોડ શું છે?

કેન્દ્રીય સંચાર મંત્રાલયના અધિક સચિવ શ્રીરામ ભીખાજી વેલણકર દ્વારા 15 ઓગસ્ટ 1972 ના રોજ પિન સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી.

ભારતમાં પિનકોડ ૬ આંકડાનો હોય છે.

પિનનો પ્રથમ અંક ઝોન સૂચવે છે, બીજો અંક પેટા-ઝોન સૂચવે છે, અને ત્રીજો, પ્રથમ બે સાથે મળીને  તે ઝોનમાં સોર્ટિંગ જિલ્લો સૂચવે છે. અંતિમ ત્રણ અંકો સોર્ટિંગ જિલ્લામાં વ્યક્તિગત પોસ્ટ ઓફિસોને સોંપવામાં આવે છે.

ભારતમાં નવ પોસ્ટલ ઝોન છે, જેમાં આઠ પ્રાદેશિક ઝોન અને એક કાર્યકારી ઝોન (ભારતીય સેના માટે) નો સમાવેશ થાય છે.

1st digit of PIN

Zone

States or Union Territories

1

North

Delhi, Haryana, Punjab, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Chandigarh

2

North

Uttar Pradesh, Uttarakhand

3

West

Rajasthan, Gujarat, Daman and Diu, Dadra and Nagar Haveli

4

West

Maharashtra, Goa, Madhya Pradesh, Chhattisgarh

5

South

Telangana, Andhra Pradesh, Karnataka

6

South

Tamil Nadu, Kerala, Puducherry, Lakshadweep

7

East

WestBengal, Odisha, ArunachalPradesh, Nagaland, Manipur, Mizoram, Tripura, Meghalaya, Andaman and Nicobar Islands, Assam, Sikkim

8

East

Bihar, Jharkhand

9

APS

Army Postal Service (APS), Field Post Office (FPO)

 

 

 

 તાતા સન્સ એર ઇન્ડિયાના ફરી “મહારાજ’”







સોલ્ટ ટુ સોફ્ટવેર ટુ એર

૧૯૩૨માં JRD એ સ્થાપેલી એર ઇન્ડિયા ૧૯૫માં રાષ્ટ્રીયકરણના ૬૮ વર્ષ બાદ તાતા સન્સની ઝોળીમાં.

સરકારની રિઝર્વ પ્રાઇસ ૧૨,૯૦૬ કરોડ હતી, જ્યારે તાતાની રૂ.૧૮,૦૦૦ કરોડની બીડ મંજૂર થઈ હતી.

તાતા એર ઇન્ડિયા રૂ.૧૫,૩૦૦ કરોડનું ભારતનું દેવું ચૂકવશે.

ડિસેમ્બર મહિના સુધિમાં તાતા સન્સને એર ઇન્ડિયાનો સંપુર્ણ કબજો સોંપી દેવામાં આવશે.કેંદ્રીય ગૃહમંત્રી અમિતશાહ, નાણમંત્રી નિર્મલા સીતારમન, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની બનેલી મંત્રીઓની સમિતિએ તાતા સન્સને મંજૂરી આપી હતી.

Ø  તાતા એરલાઇન્સની સ્થાપના:-

તાતા એરલાઇન્સની સ્થાપના જેઆરડી તાતાએ કરી હતી.૧૯૪૬માં એર ઇન્ડિયા તરીકે તેનું લિસ્ટિંગ થયું.૧૯૫૩માં એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરાયુ હતું. તેમણે કંપનીના વડાપદે ચાલુ રહ્યા હતા.૧૯૭૭માં જનતા સરકાર આવી ત્યારે મોરાર્જી દેસાઇ ની સરકાર બની ત્યારે જેઆરડી તાતાને આ પદેથી હટાવી દેવામાં આવ્યા.

 

 

શુક્રવાર, 8 ઑક્ટોબર, 2021

89th Indian Airforce Day Celebration


 

ઇન્ડિયન એર ફોરસ, જેને 'ભારતીય વાયુ સેના' તરીકે પણ ઓળખવામાં આવે છે.દર વર્ષે 8 ઓક્ટોબરે, દેશ ભારતીય વાયુસેના દિવસની ઉજવણી કરે છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન 1932 માં થયું હતું. આ વર્ષે ભારતીય વાયુસેના ની 89 મી વર્ષગાંઠની ઉજવણી કરી. ઓપરેશન મેઘદૂત, ઓપરેશન વિજય અને ઓપરેશન પૂમલાઇ જેવાં ઓપરેશન્સ તમામ ભારતીય વાયુસેના પર આધાર રાખે છે.

Ø શા માટે IAF દિવસ ઉજવવામાં આવે છે?

IAFની સ્થાપના 8 ઓક્ટોબર, 1932 ના રોજ કરવામાં આવી હતી, અને ત્યારથી તેણે ઘણા મહત્વપૂર્ણ મિશનમાં ભાગ લીધો છે. જો કે, પ્રથમ ઓપરેશનલ સ્ક્વોડ્રનની સ્થાપના એપ્રિલ 1933 માં કરવામાં આવી હતી.

Ø ભારતીય એર ફોર્સ ડે કેવી રીતે ઉજવવામાં આવે છે?

આ દિવસ દેશના તમામ એરફોર્સ બેઝ પર ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવે છે. વિવિધ રાજ્યોમાં વાયુસેનાના તમામ એકમો પોતપોતાના પ્રદેશમાં પરેડ યોજે છે.

 

આ વખતની 89મી ઉજવણી ગાઝિયાબાદ ના, હિંડોન એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવી હતી.

મંગળવાર, 5 ઑક્ટોબર, 2021

 વિશ્વ શિક્ષક દિવસ










·         વિશ્વ શિક્ષક દિવસ દર વર્ષે 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.

·         આ દિવસનો મુખ્ય હેતુ શિક્ષકોના મહત્વ અને તેમના યોગદાનનું સન્માન કરવાનો છે.

·      સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ શિક્ષક દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવા માટે વર્ષ 1994માં 100 દેશોના સમરથન સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

·        ત્યારબાદ 5 ઓક્ટોબર, 1994થી વિશ્વ શિક્ષક દિવસ ઉજવવાની શરુઆત થઈ હતી.

·   1966માં યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની એક બેઠક યોજાઇ હતી.જેમાં શિક્ષકોના આધિકાર, જવાબદરીઓ, રોજ્ગાર અને વધુ શિક્ષણ સાથે માર્ગદર્શિકા બનાવવાનું કહેવામાં આવ્યુ હતું.

Ø  ભારતના પ્રસિધ્ધ પ્રોફેસર,શિક્ષણશાસ્ત્રી, તત્વચિંતક અને રાજપુરુષ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદીન 5 સપ્ટેમ્બર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.

 

શનિવાર, 2 ઑક્ટોબર, 2021

 વન્યજીવ સપ્તાહ

 


વન્યજીવ સપ્તાહ તા.2 થી 8 ઓક્ટોબર, 2021 મનાવવામાં આવશે.

·         સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એક માત્ર રહેણાંક અટલે ગીર. ગુજરાતમાં સતત વધતી સિંહોની વસ્તી 2015 માં-523, 20202માં – 674 વસ્તીમાં 29% વધારો થયો.


·         સમગ્ર ગુજરાતમાં દેખાતા દીપડાની વસ્તી 2011માં -1160,

                                             2016માં – 1395 નોંધાઇ હતી.








·         સમગ્ર ભારતમાં ઘુડખર ફક્ત ધાંગધ્રા ધુડખર આભ્યારણ્ય છે, જેની વસ્તી

2014માં – 4451,

2020માં –6082 નોંધાઇ.







·         ગુજરાતમાં કાળિયારની વસ્તી વેળાવદર નેશનલ પાર્ક ખાતે 2020માં – 7097 નોંધાઇ.









·         ગુજરાતમાં ગીર નેશનલ પાર્કમાં સાંભરનીવસ્તી, 2011માં – 4497,

                                                   2015માં – 7176 નોંધાઇ.









·         જેસોર શુલપાણેશ્વર, બાલારામ અંબાજી અને રતનમહાલ આભ્યારણ્યમાં રીંછની સતત વધતી વસ્તી, 

      2011માં – 293,

2020માં – 343 નોંધાઇ.








·         દર વર્ષે લાખોની સંખ્યામાં વેટલેન્ડમાં આવતા ફ્લેમિંગો ગુજરાતનું વધારે છે ગૌરવ.


આપણું ગૌરવ,આપણા અમુલ્ય વારસો છે

     આવો...આપણા વન્યજીવોનું રક્ષણ કરીએ.

 

બુધવાર, 29 સપ્ટેમ્બર, 2021

World HEART Day

                           29th September - World Heart Day


વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા બનાવેલ, વર્લ્ડ હાર્ટ ડે વિશ્વભરના લોકોને જાણ કરે છે કે હૃદયરોગ અને સ્ટ્રોક(CVD -  Cardiovascular diseases ) ના કારણે દર વર્ષે 18.6 મિલિયન લોકોના જીવ લેવાય છે.તમાકુનો ઉપયોગ, બિનઆરોગ્યપ્રદ આહાર અને શારીરિક નિષ્ક્રિયતા જેવા જોખમી પરિબળોને નિયંત્રિત કરીને, હૃદયરોગ અને સ્ટ્રોકથી ઓછામાં ઓછા 80% અકાળે થતા મૃત્યુને ટાળી શકાય તે માટે લોકોમા જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસ ઉજવવામા આવે છે.

યુવાવર્ગ માં હૃદયરોગ નું પ્રમાણ વધવાનુ કારણ તમાકુ, ખરાબ જીવશૈલી, તણાવ જવાબદાર છે.

હૃદયરોગ ના કારણો:

·         ડાયાબિટીસ

·         પ્રેશર

·         જાડાપણું

·         લોહીમાં ચરબીનું પ્રમાણ વધારે હોવું

·         જંક્ફુડ

·         કસરતનો અભાવ

·         ઉમર

·          વારસાગત

 

 

 

 


બુધવાર, 12 ઑગસ્ટ, 2020

 વિશ્વ હાથી દિવસની ઉજવણી

World Elephant Day (12th August) | Days Of The Year

હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ

12મી ઓગસ્ટને વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ હાથી દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે હાથીની વિશેષતાઓ અંગેની માહિતી આપતું પોર્ટલ શરૂ કરાવ્યું અને હાથીઓના રક્ષણની પદ્ધતિઓ અંગે દસ્તાવેજ જાહેર પણ કર્યો હતો. વર્ષ 2012માં આજના દિવસે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આફ્રિકા અને એશિયાના હાથીઓ પર આચરાતી ક્રુરતા, તેમની સાથે થતો અયોગ્ય વ્યવહાર, હાથીઓના નિવાસ સ્થાનને પહોંચેલુ નુકસાન તથા હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ કેળવવી અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે.

દેશમાં હાથીઓની સ્થિતિ વિશે વાત કરીએ તો, હાથીઓ માટે સૌથી પહેલા રિઝર્વ સિંહભૂમ હાથી રિઝર્વ ઝારખંડમાં જાહેર કરાયો હતો. દેશના 14 રાજ્યમાં અંદાજે 65000 વર્ગ કિલોમીટર હાથીઓ માટે રિઝર્વ છે.

જંગલમાં રહેતા હાથીઓના સંરક્ષણ માટે વન્યજીવ કોરિડૉર જરૂરી છે, આજે દેશભરમાં હાથીઓ માટે 101 કોરિડૉર છે. આ સાથે દેશમાં અંદાજે 2700 બંધક હાથીઓનો ડીએનએ પ્રોફાઈલિંગ અને ડેટાબેસ તૈયાર થાય છે. જેના પગલે ગેરકાયદેસર બંધક બનાવાયેલા હાથીઓમાં જંગલી હાથીઓ સામેલ નહીં થઈ શકે..