બુધવાર, 7 ઑગસ્ટ, 2019

મોદી-શાહે ઇતિહાસ સર્જ્યો : બંધારણના બજારમાં 370 નંબરની દુકાનને ખંભાતી તાળું

 

- કલમ 370ને તલાક: J&Kને દેશનું સૌથી વિકસીત રાજ્ય બનાવાશે: અમિત શાહ

-370ની નાબુદી સાથે જ કાશ્મીરના વિકાસના દ્વાર ખુલ્યા : દેશના બાળકને ફરજિયાત શિક્ષણનો અધિકાર મળ્યો
-કાશ્મીરનું બાળક 370ને કારણે આ અધિકારથી વંચીત રહ્યું : કલમ 370 કાયમી નહીં પણ કામચલાઉ જ હતી
-આ કલમોને કારણે જ કાશ્મીરમાં વકરેલા આતંકવાદે અત્યાર સુધીમાં 41,400 નાગરીકોનો ભોગ લીધો 
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં લાગુ આર્ટિકલ 370ને નાબુદ કરવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ જમ્મુ કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો પણ નાબુદ થઇ ગયો છે. પરીણામે જ્યારે રાજ્યસભામાં આ આર્ટિકલને નાબુદ કરતો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો જેના પર થયેલી ચર્ચાઓનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જવાબ આપ્યો હતો.
શાહે આર્ટિકલ 370 અને 3૫એને નાબુદ કરવાના નિર્ણયથી દેશને અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરને શું ફાયદો થશે તે અંગે પોતાનો અભિપ્રાય રજુ કર્યો હતો. અમિત શાહે રાજ્યસભામાં વિપક્ષને જવાબ આપતા કહ્યું હતું કે આર્ટિકલ 370ને કારણે જ કાશ્મીરમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, ગરીબી વગેરે વકર્યા છે. અને જો આ દુષણોને નાબુદ કરવા હોય તો તેના માટે આર્ટિકલ 370ને નાબુદ કરવી અતી જરૂરી છે. 
શાહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દરેક બાળકને શિક્ષણ મળી રહે માટે શિક્ષણના અધિકારનો કાયદો લાવી પણ આર્ટિકલ 370ને કારણે કાશ્મીરમાં આ કાયદો લાગુ ન થઇ શક્યો પરીણામે આ રાજ્યનું બાળક શિક્ષણના અધિકારોથી વંચીત રહ્યું કેમ કે આર્ટિકલ 370 વચ્ચે આવી રહી હતી.
કાશ્મીરમાં પર્યટન, ઉધ્યોગોનો વિકાસ ન થઇ શક્યો કેમ કે બહારનું કોઇ પણ નાગરીક રાજ્યમાં જમીન ખરીદી નહોતુ શકતું. પણ હવે સરકાર જમ્મુ કાશ્મીરને દેશમાં સૌથી વિકસિત રાજ્ય બનાવવા માટે કટિબદ્ધ છે. કાશ્મીર ધરતીનું સ્વર્ગ હતું, છે અને રહેશે અને હવે આર્ટિકલ 370ની નાબુદી સાથે જ ધરતીના સ્વર્ગ કાશ્મીરના વિકાસના દરવાજા પણ ખુલ્યા છે. હવે રાજ્યના વિકાસને કોઇ નહી રોકી શકે. 
અમિત શાહે રાજ્યસભામાં કેટલાક આંકડા રજુ કરતા જણાવ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદે 41,400 નાગરીકોનો ભોગ લીધો છે. જેના માટે કોની નીતીઓ જવાબદાર છે
આર્ટિકલ 370 પણ આતંકવાદ માટે જવાબદાર છે, જેને રદ કરતા જ હવે કાશ્મીર ખરા અર્થમાં ભારતનો અભિન્ન અંગ બની ગયું છે. 3૫એને કારણે જ જમ્મુ કાશ્મીરના કુશળ યુવાઓને આગળ આવવાની તક ન મળી. આર્ટિકલ 370 કાયમી નહીં પણ કામચલાઉ જ હતી, અને કામચલાઉ હોય તેને કાયમ માટે કેવી રીતે લાગુ કરી શકાય? તેનું રદ થવું કાશ્મીરના વિકાસ માટે અતી જરૂરી હતું. હવે રાજ્યનો વિકાસ કોઇ નહીં અટકાવી શકે. 
કલમ 370 હટાવવામાં જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં વડાપ્રધાન મોદીના એક વિશ્વાસપાત્ર અિધકારીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની યોજના એક વર્ષ પહેલા જ નક્કી કરી લેવામાં આવી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ જ જમ્મુ-કાશ્મીરમાં અિધકારીઓની નિમણૂકથી લઇને સેનાની પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી રહી હતી. આ યોજનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા બીવીઆર સુબ્રમણ્યમની રહેલી છે. 
છત્તીસગઢ કેડરના1987 બેન્ચના આઇએએસ અિધકારી સુબ્રમણ્યમ હાલમાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ છે. યુપીએથી લઇને એનડીએ સરકાર દરમિયાન આઠથી નવ વર્ષ તે વડાપ્રધાન કાર્યાલયમાં કાર્યરત હતાં. તેઓ વર્લ્ડ બેંકમાં પણ કાર્ય કરી ચૂક્યા છે. 
સુબ્રમણ્યમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ, વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સારા સંબધો છે. અજીત દોવલની સલાહ પર જ તેમને 2018માં જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતાં. 
સુબ્રમણ્યમને જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બનાવ્યા પછી કન્દ્ર સરકારે રાજ્યમાં પોતાના વિશ્વાસપાત્ર અિધકારીઓની નિમણૂક કરી છે. સુબ્રમણ્યમની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પોતાના દાયરામાં જ રહીને કામ કરે છે. 
જમ્મુ કાશ્મીર વિધાન સભામાં સાત બઠકો વધીને 114 થશે

જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ તેનું  સિમાંકન થશે અને તે  અન્વયે રાજ્ય વિધાનમાં સાત બેઠકોનો વધારો થશે હાલ રાજ્ય વિધાન સભામાં  કુલ બેઠકો 107 છે  જે વધીને 114 થશે.
જમ્મુ અને કાશ્મીર વિધાન સભામાં પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીરની 24 બેઠકો ખાલી રાખવામાં આવે છે,અત્યાર સુંધી લદ્દાખ વિસ્તારની બેઠકો  સાથે વિધાનસભામાં સભ્યોનું કુલ સંખ્યા બળ 87 જેટલું થાય છે. રાજ્યના  નવા સિમાંકન બાદ લદ્દાખ  અલગ વિધાન સભા વગરનો નવો કેન્દ્ર શાસિત  પ્રદેશ બનશે.જેમા કારગીલ અને લેહ જીલ્લાનો સમાવેસ કરવામાં આવશે.
70 વર્ષથી ન થયું તે અમિત શાહે 70 દિવસમાં કરી બતાવ્યું
70 વર્ષમાં દેશે 1૫ વડાપ્રધાનોનું શાસન જોયું. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના શાસનમાં 370એ કલમ લાગુ થઈ હતી. તે પછી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બીજી ટર્મ સુધીમાં દેશે વડાપ્રધાન પાસે ગૃહ મંત્રાલયનો ચાર્જ હોય એને ગણતરીમાં લઈએ તો 31 ગૃહ મંત્રીઓ જોયા છે, પરંતુ કોઈએ 370 હટાવવાની હિંમત કરી ન હતી.
નહેરૂની પોલિસી અંતર્ગત લેવાયેલો નિર્ણય હોવાથી કોંગ્રેસની સરકારોમાં તો સ્વાભાવિક રીતે જ આ ન થાય, પરંતુ બિનકોંગ્રેસી વડાપ્રધાનોએ કે ગૃહ મંત્રીઓએ પણ 370 હટાવવાનું હિંમતભર્યું પગલું ન ભર્યું. કટોકટી પછી મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બન્યા. એ વખતે તેમણે પણ આ દિશામાં કોઈ નવો નિર્ણય ન લીધો.
ચૌધરી ચરણસિંહ, આઈ.કે. ગુજરાલ, દેવેગૌડા, વી.પી. સિંહ, ચંદ્રશેખર સુધીના બિનકોંગ્રેસી વડાપ્રધાનોના કાર્યકાળમાં આ મુદ્દો ઉછળ્યો હોવા છતાં કોઈ જ કામગીરી થઈ ન હતી. તે એટલે સુધી કે ભાજપના જ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનમાં કાશ્મીરની પોલિસી થોડી બદલાઈ હતી, પરંતુ 370 હટાવવાની પહેલ ન થઈ.
વડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળમાં પણ એ ન થયું. 2014માં ભાજપના મેનિફેસ્ટોમાં આ મુદ્દો સામેલ હોવા છતાં ભાજપ સરકાર પ્રથમટર્મમાં એ મુદ્દાને છેડવાથી દૂર રહી. એ કામ અમિત શાહે ગણતરીના દિવસોમાં કરી દેખાડયું. અમિત શાહ ગૃહ મંત્રી બન્યા એના 70 દિવસ માંડ થયા છે. જે કામ દેશમાં 70 વર્ષથી ન થયું એ પ્રથમ વખત દેશના ગૃહ પ્રધાન બનનારા, પ્રથમ વખત લોકસભાના સાંસદ બનનારા અમિત શાહે વટભેર કરીને નવો ચીલો પાડયો છે.
ભારતે કાશ્મીર અંગેના નિર્ણયની UNના પાંચ કાયમી સભ્યોને જાણ કરી
જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતા અને રાજયને બે ભાગમાં વહંચી દેવાના બંધારણની કલમ
370ને રદ કરવાના નિર્ણયની ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પાંચ કાયમી સભ્યોના પ્રતિનીધીઓને તેમજ અન્ય દેશોને  જાણ કરાઇ હતી. વિદેશી રાજદૂતોને ભારતે ક્હયું હતું કે આ અમારો આંતરિક નિર્ણય હતો.
કેન્દ્રનો ઇરાદો જમ્મુ અને કાશ્મીર રાજ્યને સુશાસન, સામાજીક ન્યાય અને આર્થિક ખુશહાલ બનાવવાનો છે. એવું જાણવા મળ્યું હતું કે વિદેશ સચિવ વિજય ગોખલેએ સંયુક્ત રાષ્ટ્રસંઘના કાયમી સભ્ય દેશો અમેરિકા,બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયાના પ્રતિનીધીઓને આ અંગેની માહિતી આપી હતી. તો અન્ય વરિષ્ઠ અધિકારીઓએ બીજા દેશોના પ્રતિનીધીઓને આ નિર્ણયની જાણ કરાઇ હતી.

12મી શતાબ્દિ સુધી જ્મ્મુ - કાશ્મીર એક પૂર્ણ હિંદુ રાજ્ય રહ્યુ હતુ

 

-૧૯૪૭ સુધી જમ્મુ પર ડોગરા શાસકોનું આધિપત્ય રહયું હતું

-૧૩ મી અને ૧૪ મી શતાબ્દિ દરમિયાન ઇસ્લામનું આગમન થયું હતુ.

જમ્મુ કાશ્મીર છેલ્લા ૪૦ વર્ષથી જેહાદી આતંકવાદની પીડા ભોગવી  છે પરંતુ પ્રાચીન સમયમાં તે હિંદુ રાષ્ટ્ર હતું. જયાં હિંદુ અને બૌધ્ધધર્મીઓ મોટી સંખ્યામાં રહેતા હતા. ઇસ પૂર્વે ૩ જી શતાબ્દિમાં સમ્રાટ અશોકે કાશ્મીરમાં બૌધ્ધ ધર્મ ફેલાવ્યો હતો. ત્યાર બાદ કનિષ્ક રાજાએ પણ બૌધ્ધધર્મના મૂળિયા મજબૂત બનાવ્યા હતા. છઠી સદીમાં કાશ્મીરમાં હુણોનું આગમન થયું હતું.
ઇસ ૫૩૦માં કાશ્મીર ઘાટી સ્વતંત્ર બની પરંતુ ત્યાર પછી તે ઉજજૈન સમ્રાજયનો ભાગ બન્યું હતું. વિક્રમાદિત્ય રાજવંશના પતન પછી કાશ્મીરમાં સ્થાનીક શાસકો રાજ કરવા લાગ્યા હતા. હિંદુ અને બૌધ્ધ સંસ્કૃતિનો સમન્વય શરુ થયો હતો. કાશ્મીરના હિંદુ રાજાઓમાં લલિતાદિત્ય (૬૯૭ થી ૭૩૮) સુધી પ્રસિધ્ધ થયા હતા.જેમનું સમ્રાજય પૂર્વમાં બંગાળસ દક્ષિણમાં કોંકણ,ઉત્તર પશ્ચીમમાં તુર્કિસ્તાન અને ઉત્તર પૂર્વમાં તિબેટ સુધી ફેલાયેલું હતું. લલિતાદિત્યએ અનેક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું. 
કાશ્મીરમાં ઇસ્લામનું આગમન ૧૩ મી અને ૧૪ મી શતાબ્દિ દરમિયાન થયું હતું. મુસ્લિમ શાસકોમાં જૈન ઉલ આબદીન (ઇસ ૧૪૨૦-૭૦)માં સૌથી પ્રસિધ્ધ થયો હતો. તાતરોના હુમલા પછી હિંદુ રાજા સિંહદેવ કાશ્મીર છોડી ગયા હતા. ત્યાર પછી ચક શાસકોએ હૈદરશાહની સેનાને ખદેડીને ઇસ ૧૫૨૬ સુધી રાજ કર્યુ હતું. ઇસ ૧૫૮૬માં અકબરે કાશ્મીર જીત્યુ અને ૧૭૫૨માં મોગલ શાસન નબળુ પડતા અફઘાનિસ્તાનના અહમદ શાહ અબ્દાલીએ પડાવી લીધું. ૬૭ વર્ષ સુધી અફઘાનોના પઠાણોનું કાશ્મીરમાં રાજ રહયું હતું. કાશ્મીરના જમ્મુ સ્થળનો ઉલ્લેખ મહાભારતમાં પણ મળે છે.
અખુનર ક્ષેત્રમાંથી હડપ્પા કાલીન અવશેષો તથા મૌર્ય કુશાણ અને ગુપ્તકાળની કલાકૃતિઓ મળે છે. જમ્મુ ૨૨ જેટલા નાના મોટા રજવાડાઓમાં વહેચાયેલું હતું. ઇસ ૧૭૩૩ થી ૧૭૮૨ સુધી રાજા રંજીતદેવે જમ્મુ પર શાસન કર્યુ હતું પરંતુ તેમના ઉતરાધિકારીઓ નબળા પાકયા હતા. આથી મહારાજા રણજીતસિંહે જમ્મુને પંજાબ સાથે ભેળવી દીધું હતું. ત્યાર પછી ઇસ ૧૮૪૬માં ડોગરા શાહી ખાનદાનના વંશજ રાજા ગુલાબસિંહને જ્મ્મુ સોંપી દીધું હતું. ગુલાબસિંહના શાસનમાં સમગ્ર જમ્મુ કાશ્મીર આવી ગયું હતું. ૧૯૪૭ સુધી જમ્મુ પર ડોગરા શાસકોનું આધિપત્ય રહયું હતું. ૨૬ ઓકટોબર ૧૯૪૭ના રોજ ભારતીય સંઘમાં એક સમજૂતી હેઠળ તેનો વિલય થયો હતો.

પેલેસ્ટિનીયન શરણાર્થીઓ માટે ભારતે આપ્યા 50 લાખ ડૉલર્સ

 


- અન્ય દેશોને પણ સહાય કરવાની ભારતે અપીલ કરી

- 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનનો પ્રવાસ કર્યો હતો

પેલેસ્ટિનીયન શરણાર્થીઓ માટે ભારતે પચાસ લાખ ડૉલર્સની સહાય કરી હતી અને દુનિયાભરના દેશોને પણ આ શરણાર્થીઓને મદદ કરવાની અપીલ કરી હતી.
2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનની મુલાકાત લીધી હતી. તેમણે હજ્જારો શરણાર્થીઓને સહાય માટે સબડતા જોયા હતા. એ સમયે તેમણે પેલેસ્ટિનીયન  શરણાર્થીઓને મદદ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. 
યુનોની યુએનરિલિફ એન્ડ વર્ક એજન્સીના વડા મથકે પેલેસ્ટાઇન ખાતેના ભારતીય પ્રતિનિધિ સુનીલ કુમારે ભારત તરફથી 50 લાખ ડૉલર્સ અર્પણ કર્યા હતા. ભારતે બીજા દેશોને પણ આ શરણાર્થીઓને મદદ કરવાની અપીલ કરી હતી.

મંગળવાર, 6 ઑગસ્ટ, 2019


કલમ 370ની નાબુદીને લોકસભાની મહોર

 

- પીઓકે અને અક્સાઈ ચીન ભારતનો જ ભાગ, તેના માટે જીવ આપીશું : અમિત શાહ

- 370 નાબુદીના પ્રસ્તાવના સમર્થનમાં 351 અને વિરોધમાં 72 મત


કાશ્મીર પુનર્ગઠન બિલના સમર્થનમાં 370 અને વિરોધમાં 70 મત પડયા
ફારુક અબ્દુલ્લાને કોઇએ કેદ નથી કર્યા, લમણે બંદુક રાખીને તો તેમને બહાર ન લાવી શકાય : ગહ પ્રધાન 
મને આશા છે કે કલમ 370 નાબુદ કરવાના કેન્દ્રના નિર્ણયથી કાશ્મીરીઓને ફાયદો થશે : માયાવતી
કેન્દ્રની મોદી સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને નાબુદ કરી દીધી છે. આ કલમની નાબુદી માટે કેન્દ્રીય ગહ પ્રાધાન અમિત શાહે રાજ્યસભા બાદ લોકસભામાં પણ પ્રસ્તાવ રજુ કર્યો હતો. લોકસભામાં બહુમત હોવાથી સરકારે આ પ્રસ્તાવને પસાર કરી દીધો છે.
આ ઉપરાંત કાશ્મીર પૂનર્ગઠન બિલને પણ પસાર કરી દેવામાં આવ્યું છે. દરમિયાન જ્યારે આ બિલ પર ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે કેન્દ્રીય ગહ પ્રાધાન અમિત શાહે આક્રામક ભાષણ આપતા કહ્યું હતું કે પીઓકે પણ ભારતના કાશ્મીરનો જ ભાગ છે, કાશ્મીર અને પીઓકે માટે હું મારા પ્રાણ આપવા માટે પણ તૈયાર છું. 
અમિત શાહે લોકસભામાં કાશ્મીર પુનર્ગઠન પર જમ્મૂ તેમજ કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવા, તેમજ 370ને નાબુદ કરવાના પ્રસ્તાવ સંબંધી સંકલ્પને રજુ કર્યો હતો. દરમિયાન પીઓકેનું શું થશે તે અંગે જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે હું જ્યારે પણ કાશ્મીર બોલુ ત્યારે તેમાં પીઓકે પણ આવી જ જાય, આ બન્ને માટે હું પ્રાણ આપવા પણ તૈયાર છું. અક્સાઇ ચીન પણ ભારતનો જ ભાગ છે. 
અમિત શાહે ફારુક અબ્દુલ્લાને નજર કેદ કરાયા હોવાના દાવાને ફગાવ્યા હતા. શાહે કહ્યું હતું કે ફારુક અબ્દુલ્લાને અમે બંદુકની અણીએ બહાર ન લાવી શકીએ, તેઓ જુઠ બોલી રહ્યા છે કે તેમની ધરપકડ કરાઇ છે. તેઓ જાતે જ બહાર નાથી આવતા તો અમે શું કરી શકીએ. બીજી તરફ અન્ય પક્ષોએ આર્ટિકલ 370 અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો હતો.
તણમુલ કોંગ્રેસના નેતા અને પ. બંગાળના મુખ્ય પ્રાધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના ભાગલા પાડવાના સરકારના નિર્ણયનો ટીએમસી આક્રામક રીતે વિરોાધ કરશે. અમિત શાહે લોકસભામાં રજુ કરેલા કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન બિલનો મમતાએ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ કરવાનો નિર્ણય યોગ્ય નાથી તેાથી અમે તેનો વિરોાધ કરીશું. રાજ્યસભામાં આર્ટિકલ 370 મુદ્દે સરકારને સમાર્થન આપનારા બસપાના વડા માયાવતીએ કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે આર્ટિકલ 370 રદ થવાાથી કાશ્મીરની જનતાને તેનો વધુ ફાયદો થશે. 
બીજી તરફ રાજ્યસભામાં પસાર થઇ ચુકેલા બિલોને લોકસભામાં રજુ કરવામા આવ્યા હતા. લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલને પસાર કરી દેવામાં આવ્યું છે જેને હવે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે.મંગળવારે લોકસભામાં કાશ્મીર પુનર્ગઠન બિલના સમાર્થનમાં 370 મત પડયા હતા જ્યારે વિરોાધમાં 70 વોટ પડયા હતા.
દરમિયાન સમાજવાદી પાર્ટીએ પોતાને વિટંગાથી જ દુર કરી લીાધી હતી અને લોકઆઉટ કર્યું હતું. વિપક્ષનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે જો નેહરુએ સૈન્યને પુરી છુટ આપી હોત તો પીઓકે પણ ભારતનો જ ભાગ હોત. દરમિયાન બીજેડીએ પણ લોકસભામાં સરકારના બિલને સમાર્થન આપ્યું હતું. જ્યારે આર્ટિકલ 370ને નાબુદ કરતા પ્રસ્તાવને પણ લોકસભામાંથી પસાર કરી દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવના સમાર્થનમાં 351 જ્યારે વિરોાધમાં 72 મત પડયા હતા. 
જમ્મુ કાશ્મીર અનામત બિલને લોકસભામાંથી પરત ખેંચાયું
કેન્દ્રીય ગહ પ્રધાન અમિત શાહે લોકસભામાં જે બિલ રજુ કર્યા હતા તેમાં જમ્મુ કાશ્મીર અનામત બિલનો પણ સમાવેશ થાય છે. જોકે બાદમાં શાહે આ બિલને પરત લઇ લીધુ હતું. અગાઉ આ જ બિલને રાજ્યસભામાં પણ રજુ કરાયું હતું,
અમિત શાહે કહ્યું હતું લોકસભાની જેમ જ રાજ્યસભામાંથી પણ આ બિલને પરત લઇ લેવામાં આવશે. બાદમા સ્પીકરે અમિત શાહની રજુઆતને માન્ય રાખી હતી. અમિત શાહે બિલ પરત લેવાનું કારણ જણાવતા સ્પષ્ટતા કરી હતી,
તેમણે કહ્યું હતું કે આર્ટિકલ 370 નાબુદ થતા જ અનામત પણ આપોઆપ લાગુ થઇ જશે માટે બિલની જરુર નથી. રાજ્યસભામાંથી પણ આ બિલને પરત લેવાનો પ્રસ્તાવ મુકવામાં આવશે. જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અમિત શાહે કહ્યું હતું કે અમે ઐતિહાસિક ભૂલને સુધારવા જઇ રહ્યા છીએ, આર્ટિકલ 370 હટતા જ કાશ્મીરમાં વિકાસ થવાનું શરુ થઇ જશે.
 સાથે તેમણે કહ્યું કે આ કલમ હટતા જમ્મુ કાશ્મીર અનામત(બીજો સુધારો) 2019 બિલની જે જોગવાઇઓ છે તે 370 નાબુદ થતા લાગુ થઇ જશે. તેથી તેના માટે આ બિલને પસાર કરવું જરુરી છે.
જમ્મુ-કાશ્મીર ખરડો એક યાદગાર બાબત નવી સવાર રાહ જોઇ રહી છે: મોદી
મોદી-શાહે ઇતિહાસમાં સ્થાન મેળવ્યું : જેટલી
વડા પ્રધાન મોદીએ આજે કહ્યું હતું કે  સંસદમાં જમ્મુ-કાશ્મીરનો રજૂ કરાયેલો ખરડો એક ઐતિહાસિક સિધ્ધિ છે અને સંસદીય લોકશાહીમાં યાદગાર દિવસ છે.રાજ્યોના લોકો એક નવી સવારની રાહ જોઇ રહ્યા છે જે હવે સ્થાપિત હિતોની સાંકળોથી મૂક્ત છે. '
આપણે બધા સાથે છીએ. અને ભવિષ્યમાં પણ સાથે જ રહીશું. આપણે 130 કરોડ ભારતવાસીઓના સપનાને પુરો કરીશું. આપણી સંસદિય લોકશાહીમાં આ એક યાદગાર દિવસ છે જેમાં પ્રચંડ બહુમતીથી જમ્મુ અને કાશ્મીરનો ખરડો પસાર કરી દેવાયો હતો'એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન પૂર્વ નાણા મંત્રી અરણ જેટલીએ કહ્યું હતું કે મોદી એ ઇતિહાસમાં સ્થાન મેળવી લીધું છે. મોદીએ કહ્યું હતું કે 'વર્ષો સુધી સ્થાપિત હિતોએ ક્યારે પણ રાજ્યના લોકોની પરવા કરી ન હતી. જમ્મુ અને કાશ્મીર હવે તેમની સાંકળોથી મૂક્ત છે. કાશ્મીરીઓ માટે એક નવી સવાર તેમની રાહ જોઇ રહી છે. આવતી કાલ સૌની સારી હશે'એમ તેમણે કહ્યું હતું.
પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું અવસાન

 

- હું આજે બહુ જ ખુશ છું, આર્ટિકલ 370 નાબુદ થાય તે મારા જીવનનું સપનું હતું

- મોદીજીનો ખુબ આભાર: 7:30 વાગ્યે સુષમાનું છેલ્લું ટ્વિટ


પૂર્વ વિદેશ પ્રાધાન અને ભાજપના વરીષ્ઠ નેતા સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે, તેમને રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો જેને પગલે તેમને તાત્કાલીક દિલ્હીના એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.  
સુષમા સ્વરાજે મંગળવારે સાંજે આર્ટિકલ 370 નાબુદ થવા અંગે ટ્વિટ કર્યું હતું, જે બાદ તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલીક તેમને એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. 
કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પણ રાત્રે જ હોસ્પિટલ પહોંચ્યા હતા. સુષમા સ્વરાજે છેલ્લુ ટ્વિટ મંગળવારે સાંજે 7.23 કલાકે કર્યું હતું, તેમણે લખ્યું હતું કે આર્ટિકલ 370 હટાવવા બદલ પ્રાધાન મંત્રીજીને શૂભકામના, હું મારા જીવનમાં આ દિવસની જ પ્રતિક્ષા કરી રહી હતી.  તેઓ સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ પણ રહી ચુક્યા છે.
14મી ફેબુ્રઆરી 1953ના રોજ સુષમા સ્વરાજનો જન્મ હરિયાણામાં થયો હતો. તેઓ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના પણ સભ્ય રહી ચુક્યા છે. 1973માં સુષમા સ્વરાજે સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શર કરી હતી. 1970માં જ તેમણે રાજકારણમાં પ્રવેશ કરી લીધો હતો. જેપીની ચળવળમાં સુષમા સ્વરાજે સક્રીય રીતે ભાગ લીધો હતો. દેશમાં કટોકટી લાદવામાં આવી તે બાદ સુષમા સ્વરાજ ભાજપ સાથે જોડાયા હતા. 1977ાથી 1982 સુધી તેઓ હરિયાણા વિાધાનસભામાં ધારાસભ્ય પણ રહ્યા.
1998માં કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામુ આપ્યા બાદ સુષમા સ્વરાજ દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમનું સ્વાસ્થ્ય અતી નબળુ હોવાથી તેમણે સામે ચાલીને લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. રાજકારણમાંથી નિવત્તી બાદ સુષમા સ્વરાજ પોતાના નિવાસ સથાને આરામ કરી રહ્યા હતા.
તેમણે અંતીમ ટ્વિટમાં લખ્યું હતું કે વડા પ્રાધાન મોદીજી તમારો ખુબ ખુબ આભાર માનુ છું, હું આજના આ દિવસનો જિવનભર રાહ જોઇ રહી હતી. હું આજે બહુ જ ખુશ છું. તેમના આ ટ્વિટના થોડા જ સમય બાદ સુષમા સ્વરાજને હાર્ટ એટેક આવ્યો હતો, તેમને તાત્કાલીક એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા સારવાર દરમિયાન તેમનું નિાધન થયું હતું.