બુધવાર, 7 ઑગસ્ટ, 2019


પેલેસ્ટિનીયન શરણાર્થીઓ માટે ભારતે આપ્યા 50 લાખ ડૉલર્સ

 


- અન્ય દેશોને પણ સહાય કરવાની ભારતે અપીલ કરી

- 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનનો પ્રવાસ કર્યો હતો

પેલેસ્ટિનીયન શરણાર્થીઓ માટે ભારતે પચાસ લાખ ડૉલર્સની સહાય કરી હતી અને દુનિયાભરના દેશોને પણ આ શરણાર્થીઓને મદદ કરવાની અપીલ કરી હતી.
2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનની મુલાકાત લીધી હતી. તેમણે હજ્જારો શરણાર્થીઓને સહાય માટે સબડતા જોયા હતા. એ સમયે તેમણે પેલેસ્ટિનીયન  શરણાર્થીઓને મદદ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. 
યુનોની યુએનરિલિફ એન્ડ વર્ક એજન્સીના વડા મથકે પેલેસ્ટાઇન ખાતેના ભારતીય પ્રતિનિધિ સુનીલ કુમારે ભારત તરફથી 50 લાખ ડૉલર્સ અર્પણ કર્યા હતા. ભારતે બીજા દેશોને પણ આ શરણાર્થીઓને મદદ કરવાની અપીલ કરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો