ગુરુવાર, 15 ફેબ્રુઆરી, 2018


ગાંધીજીએ ૧૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ એક માત્ર રેડિયો સંબોધન કર્યુ હતું


- પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ઉદ્દેશીને

- સંબોધને ભાગલાના ઘા સહન કરનારા લોકો માટે મલમનું કામ કર્યું હતું

દેશને આઝાદી મળી તેની સાથે વિભાજનનું દુખ પણ સહન કરવું પડયું હતું.ગાંધીજીએ ભાગલા પછી પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ૧૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ પ્રથમ વાર ઓલ ઇન્ડિયા રેડિયો પર સંબોધન કર્યુ હતું. ખાસ તો કુરુક્ષેત્રમાં એક નિરાશ્રિતોની શિબિરના ૨ લાખથી વધુ લોકોને સંબોધન માટે ગાંધીજીએ આ લોક માધ્યમનો ઉપયોગ કર્યો હતો.આ માટે ગાંધીજી ખૂદ દિલ્હીના આકાશવાણી ભવન પહોંચ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેમનું આ પહેલું અને છેલ્લું સંબોધન હતું.

ગાંધીજીએ મેરે દૂખી ભાઇઓ ઔર બહેનો મૂઝે પતા નહી થા કિ સિવાય આપ કે મૂઝે કોઇ સુનતા ભી હૈ યા નહી એમ કહીને શરુઆત કરી હતી. ૨૦ મીનિટના ભાષણમાં તેમણે જણાવ્યું કે મને તો ખબર જ ન હતી કે મારે આ રીતે કશુંક બોલવાનું છે. જયારે હું ગોળમેજી પરિષદ માટે ઇંગ્લેન્ડ ગયો હતો ત્યાર પછી મને આ બીજો અનુભવ છે. હું તો એક અજનબી પુરુષ છું. હું કોઇ પણ પ્રકારનો રસ લઇ રહયો નથી.કારણે જીવનભર મારો પ્રયાસ દુખને સ્વીકારી લેવાનો રહયો છે.

જયારે મેં જાણ્યું કે હાલમાં ૨.૫૦ લાખ શરણાર્થીઓ છે, હજુ તો શરણાર્થીઓના આવવાનો પ્રવાહ ચાલું જ છે તે જાણીને ખૂબ દૂખ થયું છે.હું તમારી પાસે પહોંચી જાઉં એવી મને તિવ્ર લાગણી થયા કરે છે. કુરુક્ષેત્રની આ વિશાળ શરણાર્થી શિબિરના લોકોએ ગાંધીજીના આ રેડિયો ઉદ્દબોધનને સાંભળ્યું હતું. શીબિરની વચ્ચે એક વિશાળ રેડિયો સેટ ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીજીના રેડિયો પ્રસારણને લાઉડ સ્પીકર સાથે જોડીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો.

ગાંધીજીએ તેમના રેડિયો ઉદ્દબોધનમાં પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિતોને આવી પડેલી પરીસ્થિતિનો ધીરજ રાખીને સામનો કરવાની વિનંતી કરી હતી. તેમના રેડિયો અવાજે ભાગલાના ઉંડા ઘા સહન કરી રહેલા શરણાર્થી માટે મલમનું કામ કર્યુ હતું. આ દિવસને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા લોકસેવા પ્રસારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


અયોધ્યામાં ભગવાન રામનું અને કલકત્તા-દિલ્હીમાં બનશે નેતાજીનું મ્યુઝિયમ


- રવિન્દ્રનાથ ટાગોર, બંકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીના દસ્તાવેજોને પ્રદર્શિત કરાશ

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ડૉ. મહેશ શર્માએ જાણકારી આપી કે સરકાર દિલ્હી અને કોલકત્તામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું સંગ્રહાલય બનાવશે.
નેતાજી સાથે જોડાયેલ યાદગાર સામગ્રીઓનું પ્રદર્શન કરવામાં આવશે. જેની જાણકારી આપતા તેમણે કહ્યું કે બંગાળની ધરતીના આ મહાન સ્વતંત્રતા સેનાની વિશે લોકોને જાણકારી આપવા માટે સરકારે મ્યૂઝિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે.

નેતાજી દ્વારા ગઠિત ઈન્ડિયન નેશનલ આર્મીનું એક શાનદાર સંગ્રહાલય દિલ્હીમાં બનાવવામાં આવશે. જે માટે ડીડીએ સાથે જમીન વિશેની વાત કરવામાં આવી છે. આ સિવાય કલકત્તાના પ્રાચીન રાષ્ટ્રીય પુસ્તકાલયમાં સંગ્રહાલય બનાવવાની યોજના કરવામાં આવી રહી છે. કલકત્તાના સંગ્રહાલયમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સિવાય રવિન્દ્રનાથ ટાગોર, બંકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જી સાથે જોડાયેલ ઐતિહાસિક દસ્તાવેજોને પ્રદર્શિત કરવામાં આવશે.

કેન્દ્રીય સંસ્કૃતિના ઉત્તર પ્રદેશ ત્રણ મ્યુઝિયમ બનાવવાની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે યુપીમાં 3 સંગ્રહાલયોનું નિર્માણ કરવામાં આવશે. મહેશ શર્મા અનુસાર અયોધ્યામાં પ્રભુ રામનું સંગ્રહાલય, અલાહાબાદમાં કુંભ મ્યુઝિયમ અને ગોરખપુરમાં ગુરુ ગોરખનાથનું એક સંગ્રહાલય બનાવવામાં આવશે. તેમણે જણાવ્યુ કે આ સંગ્રહાલયને બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


સોમવાર, 12 ફેબ્રુઆરી, 2018

ભારતે અબુ ધાબીમાં 4000 કરોડમાં ઓઈલ ફિલ્ડની ખરીદી કરી

- સાઉદીની એડનોક કંપની સાથે ડીલ કરી છે
- આ ડીલના કારણે દેશની ઉર્જાની માંગ પૂરી કરી શકાશે

ભારતે અબુ ધાબીમાં 4000 કરોડમાં ઓઈલ ફિલ્ડની ખરીદી કરી 


ભારતે અબુ ધાબીમાં 4000 કરોડમાં ઓઈલ ફિલ્ડ કંપનીની ખરીદી કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાઉદીના પ્રવાસ બાબતે ભારતે કાચા તેલના ઉત્પાદનને લઈને સાઉદી સાથે મોટા કરાર કર્યા છે.
ભારતીય તેલ કંપનીઓએ સાઉદીની તેલ કંપની એડનોકની સાથે 60 કરોડ ડૉલરમાં આ ડીલ કરી છે. આ કંપનીઓને લોયર જકુમ ફિલ્ડમાં 10 ટકાનો ભાગ આપવામાં આવ્યો છે.
આ ભાગથી ના માત્ર દેશની વધતી ઉર્જાની માંગ પૂરી કરી શકાશે, પરંતુ આ સામાન્ય માણસ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શું છે ડીલ?

સરકાર સંચાલિત ONGCની સબસિડી ઓએનજીસી વિદેશ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનની સબસિડી ભારત પેટ્રોરિસોર્સે આ ડીલ કરી છે. આ ડીલ અનુસાર આ કંપનીઓએ 60 કરોડ ડૉલર આપીને એડનોકના અબુ ધાબીમાં આવેલ ઓઈલ ફિલ્ડમાં 10 ટકા ભાગ ખરીદ્યો છે.
આ પહેલી વાર છે, જ્યારે ભારતીય કંપનીઓએ સાઉદીમાં આટલી મોટી ડીલ કરી છે. અબુ ધાબીના તેલ ભંડારમાં ભાગ ખરીદનાર કંપનીઓને કાચુ તેલ આપવામાં આવે છે. આ તેલ તેમને પોતાના ભાગના બદલે આપવામાં આવેલ ટેક્સ અને રોયલ્ટી પેમેન્ટસને મળે છે.

નેશનલ એનર્જી પૉલિસી ડોક્યુમેન્ટ અનુસાર 2040 સુધી ભારતની કુલ એનર્જી ઈમ્પોર્ટ 36-55 ટકા થઈ જશે. 2012માં આ માત્ર 31 ટકા હતો. આ માંગ દેશની જનસંખ્યા વધારવા અને શહેરીકરણ થવાથી વધશે. એવામાં આ ડીલ આ જરૂરિયાતને પૂર્ણ કરવામાં ઘણી મદદગાર સાબિત થશે.

જે તેલ ભંડારમાં ભારતીય કંપનીઓએ ભાગીદારી ખરીદી છે. તેની ક્ષમતા 4 લાખ બેરલ પ્રતિ દિન ઉત્પાદનની છે. વાર્ષિક 2 કરોડ ટન તેલ તૈયાર કરે છે.
વર્ષે આ પ્રોડક્શનમાં ભારતીય કંપનીઓની ભાગીદારી 20 લાખ ટનની હશે. આ ફિલ્ડનો ટારગેટ 2025 સુધી પ્રોડક્શન 4 લાખથી વધીને 450000 બેરલ પ્રતિદિન કરવાનો છે. આવુ થવા પર ભારતીય કંપનીઓના શેર પણ વધશે.

ગત દિવસોમાં તેલની કિંમતોમાં સતત વધારો થવાના કારણે ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો પર અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. જેના કારણે દેશમાં પેટ્રોલની કિંમતો 80 રૂપિયાને પાર પહોંચી છે. ડીઝલ પણ આ વખતે 67ને પાર પહોંચ્યુ છે.

આ ડીલના કારણે કંપનીઓને ક્રૂડ ઓઈલ ડિમાન્ડને સરળતાથી પૂર્ણ કરવામાં મદદ મળશે. આ ડીલ આવનાર સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પણ નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે. હાજર સમયમાં ભારત કાચા તેલની પોતાની જરૂરિયાત માટે આયાત પર નિર્ભર છે.
એપ્રિલ-નવેમ્બર 2017ની વચ્ચે 13.46 કરોડ મેટ્રિક ટનની સમગ્ર ડિમાન્ડમાં ઘરેલુ પ્રોડક્શનની ભાગીદારી માત્ર 17.4 ટકા હતી. ભારત પોતાના તેલની જરૂરિયાત માટે 83 ટકાથી વધારે આયાત પર જ ટક્યુ છે. આ ડીલ નિર્ભરતાને ઓછી કરવામાં મદદ કરી શકે છે.

મહાત્મા ગાંધીની સમાધિ દિલ્હી અને માત્ર કચ્છના આદિપુરમાં આવેલી છે

-૧૨ ફેબુ્રઆરી ૧૯૪૮નાજ આદિપુર ખાતે મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવીને ત્યાં સમાધિ મંદિરનું નિર્માણ કરાયું


મહાત્મા ગાંધીની સમાધિ  દિલ્હી અને માત્ર કચ્છના આદિપુરમાં આવેલી છે  
૧૨ ફેબુ્રઆરી ૧૯૪૮. ભારતીય ઈતિહાસની તવારીખમાં આ તારીખ પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. બરાબર ૭૦ વર્ષ અગાઉ આ દિવસે 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવા મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધીની સમાધિ દિલ્હીના રાજઘાટ ઉપરાંત કચ્છના આદિપુરમાં પણ આવેલી છે. અલબત્ત, સરકારના ઉદાસીન વલણને કારણે આદિપુરમાં આવેલી મહાત્મા ગાંધીની સમાધિ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. 
૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આ પછી યોજાયેલી મહાત્મા ગાંધીની અંતિમ યાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મહાત્મા ગાંધીનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયા બાદ તેમની અમુક અસ્થિનું અલ્હાબાદ ખાતે ત્રિવેણી સંગમમાં ૧૨ ફેબુ્રઆરી ૧૯૪૮ના વિસર્જન કરવામાં આવ્યું હતું. 
આ સિવાય અસ્થિના અમુક ભાગને દેશમાં વિવિધ સ્થાને તેમના મિત્રો-પરિવારના સભ્યોને મોકલવામાં આવી હતી. આ પૈકી ગાંધીધામના સ્થાપક ભાઇપ્રતાપ અને અન્ય કેટલાક મહાનુભાવો દ્વારા ગાંધીજીના અસ્થિને ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા.
આદિપુર ખાતે મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવીને ત્યાં સમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આમ, નવી દિલ્હીમાં રાજઘાટ બાદ મહાત્મા ગાંધીની અન્ય એક સમાધિ માત્ર ગુજરાતના આદિપુરમાં આવેલી છે. ૧૨ ફેબુ્રઆરીના આદિપુરમાં મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવાઇ અને તે જ દિવસે ગાંધીધામની સ્થાપના કરવામાં આવી હતી.
ગાંધીધામ આઝાદી બાદ થયેલા ભાગલાને કારણે વસેલું શહેર છે. આ શહેરનું નામકરણ ગાંધીજીની સમાધિને કારણે ગાંધીધામ કરવામાં આવ્યું છે. આ શહેરને વસાવવા માટે મહાત્મા ગાંધીની પણ ભૂમિકા રહી હતી. ભાગલા બાદ ભારતનો સિન્ધ પ્રાંત પાકિસ્તાનમાં જતા રહેતા સિંધીઓ ઘરબાર છોડીને ભારતમાં રહેવા માટે આવ્યા હતા. આ નિર્વાસિતોના પુનઃવસન માટે મહાત્મા ગાંધીના કહેવાથી કચ્છના મહારાવે ૧૮ હજાર એકર જમીન ફાળવી હતી.
મહાત્મા ગાંધીની વિચારધારા સર્વોદયને આધારે જ આદિપુરની રચના થયેલી છે. કેમકે, ત્યાં વિવિધ જાતિના લોકો એક જ વિસ્તારમાં સાથે રહે છે. મહાત્મા ગાંધીની આ સમાધિના દર્શનાર્થે દેશના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, મોરારજી દેસાઇ, લાલકૃષ્ણ અડવાણી સહિતના મહાનુભાવો આવી ચૂક્યા છે.
મહાત્મા ગાંધીની આદિપુર ખાતેની સમાધિ ઉપેક્ષાનો ભોગ
આદિપુર ખાતે આવેલી મહાત્મા ગાંધીની સમાધિના દર્શન માટે દેશ-વિદેશથી ખૂબ જ વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવી શકે તેમ છે. પરંતુ સરકાર દ્વારા ક્યારેય ગાંધીજીની આ સમાધિનો પ્રચાર-પ્રસાર કરવાનો પ્રયાસ સુદ્ધા થયો નથી. આશ્ચર્યની વાત એ છે કે ગાંધી જયંતિ, ગાંધી નિર્વાણ દિન કે સ્વતંત્રતા દિવસે આ સમાધિમાં ફૂલ અર્પણ કરવા પણ કોઇ નેતા ફરક્તા નથી.

હર હર મહાદેવ...ઓમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા 300 વર્ષ જૂના શિવમંદિરમાં..

- મસ્જિદની મુલાકાત પણ લેશે


હર હર મહાદેવ...ઓમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા 300 વર્ષ જૂના શિવમંદિરમાં.. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસીય પ્રવાસમાં આજે ઓમાનના મસ્કતમાં ભગવાન ભોળાનાથની શરણે પહોંચ્યા હતા. તેઓએ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.

આજે શિવમંદિર અને અહીંની સુલતાન કબૂસ મસ્જિદ જશે. તેઓ દેશના અન્ય દિગ્ગજ CEOને પણ મળશે. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી. રવિવારે જ મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું શિલાન્યાસ કર્યું હતું.

ત્રણ દેશની મુલાકાતના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લગભગ 300 વર્ષ જૂનાં શિવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શિવ પૂજા-અર્ચના કરી હતી. મોદી અહીંની સુલતાન કબૂસ મસ્જિદ પણ જશે.
આ પહેલાં પીએમએ ઓમાનના ડેપ્યુટી પીએમ સૈયદ અસદ બિન અલ-સૈદ સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને નેતાઓ વચ્ચે ઈન્ટરનેશનલ રિલેશન અને કોપેરશન મુદ્દે ચર્ચા થઈ હતી. તેમજ ઇન્ડિયા-ઓમાન બિઝનેસ મીટિંગમાં ભાગ લીધો. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી. રવિવારે જ મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું શિલાન્યાસ કર્યો હતો.

શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2018


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી UAE, પેલેસ્ટાઈન અને ઓમાનનના પ્રવાસે


- ભારત-UAE વચ્ચે 12 કરાર થશે
- પેલેસ્ટાઈન પ્રવાસ કરનાર નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે જે પેલેસ્ટાઈનના પ્રવાસે જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પશ્ચિમી એશિયાઈ દેશો પેલેસ્ટાઈન, ઓમાનની અને UAEના પ્રવાસે ઉપડયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પેલેસ્ટાઈન, સયુંક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાનના પ્રવાસે રવાના થશે. પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત અને આ દેશો વચ્ચે વ્યાપાર, રોકાણ, સુરક્ષા, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, ઉર્જા સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવશે.

પ્રવાસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત માટે ખાડી અને પશ્ચિમ એશિયા પ્રમુખ પ્રાથમિકતાવાળા ક્ષેત્ર છે અને તેમના આ પ્રવાસનો હેતુ ક્ષેત્રના સંબંધોને મજબુત બનાવવાનો છે. વડાપ્રધાને પેલેસ્ટાઈન અને ઓમાનના પ્રવાસની પૂર્વ સંધ્યાએ આ વાત કરી. વર્ષ 2015 બાદ ખાડી અને પશ્ચિમ એશિયા વિસ્તારનો આ તેમનો પાંચમો પ્રવાસ છે.

9
થી 12 ફેબ્રુઆરી સુધી આ દેશોના પ્રવાસે જનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી વૈશ્વિક ગતિવિધિઓમાં આ ક્ષેત્રને ખુબ પ્રાથમિકતા આપવામાં આવી છે. અમારા અહીંના દેશો સાથે મલ્ટી ડાઈમેન્શનલ સંબંધ છે.

કોઈ પણ ભારતીય વડાપ્રધાનનો આ પહેલો પેલેસ્ટાઈન પ્રવાસ છે. 

ભારત-UAE વચ્ચે 12 કરાર થશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુઈએ યાત્રા દરમિયાન બંને પક્ષો વચ્ચે 12 કરાર પર હસ્તાક્ષર થશે.
-
તેલ સંપન્ન યુએઈ અને ભારત પરસ્પર આર્થિક સહયોગને વધુ ઊંડો કરવા માટે ઈચ્છુક છે.
-
બંને પક્ષો વચ્ચે નાણા અને કૌશલ વિકાસ જેવા ક્ષેત્રોમાં કરાર થવાની સંભાવના છે.


આજથી ભવનાથના મેળાનો પ્રારંભ, સાધુ-સંતોની નીકળશે રવાડી


શિવની આરાધનાના પર્વનો આજથી ગિરનારની તળેટીમાં પ્રારંભ થશે. મહાદેવના મંદિર ખાતે ધ્વજારોહમ સાથે મહાશિવરાત્રિના ધાર્મિક મેળાનો પ્રારંભ થશે. સાથે જ સંતો ધૂણ ધખાવી શિવજીની આરાધનામાં લીન બની જશે.

ભવનાથ મંદિરે ધ્વજારોહણ થયા બાદ પરંપરાગત રીતે રવાડીમાં ભાગ લેતા મુખ્ય ત્રણ અખાડામાં ધ્વજારોહણ કરવામાં આવશે અને ત્યાર બાદ વિવિધ ધાર્મિક સ્થળો, આશ્રમોમાં ધ્વજા ચઢશે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભવનાથ સ્થિત મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ યોજાનાર નાગા સાધુઓની રવાડીના દર્શન કરશે.

ગીરનારની-વિશેષતા

ગીરનાર અગાઉ રેવતાચલ પર્વત તરીકે ઓળખાતો હતો. એ ગુજરાતમાં સૌથી મોટામાં મોટો પર્વત છે. 
નવ નાથ, ૮૪ સિદ્ધ, ૬૪ યોગિની, ૫૨ વીર, તેમજ ૩૩ કરોડ દેવતાના અને ગુરૃદત્તાત્રેયના બેસણા છે. ગીરનારની વિશેષતા એ પણ છે કે એમાં સાત શિખર આવેલા છે. જેમાં ગોરખનાથનું શિખર સૌથી ઉંચુ છે. 
ગીરનાર પર્વતમાં ૧૮ મંદીરો આવેલા છે. વળી ગુરૃદત્તાત્રેય ભીમકુંડ, ભૈરવજપ, ગૌ મુખી ગંગા, રા માંડલિકનો શિલાલેખ, જૈન દેરાસરો, અંબાજી મંદિર, ઓઘડ શીખર, દત શિખર, મહાકાળી માતાજી મંદિર, નગારિયો પથ્થર એ એમની ખાસ પહેચાન છે. આમ જોઈએ તો એની આકૃતિ સુતેલા ઋષિ સમાન લાગે છે.

ભવનાથમાં 57 એકરમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી 5 દિવસીવ શિવરાત્રી મેળો તળેટીમાં યોજાશે. શિવરાત્રીના દિવસે ભવનાથમાં સાધુ સંતોની રવાડી નીકળશે. રવેડી બાદ સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. દેશભરમાંથી 2200થી વધારે દિગમ્બર સાધુઓ આ ધાર્મિક પર્વમાં જોડાશે.