ગુરુવાર, 15 ફેબ્રુઆરી, 2018


અયોધ્યામાં ભગવાન રામનું અને કલકત્તા-દિલ્હીમાં બનશે નેતાજીનું મ્યુઝિયમ


- રવિન્દ્રનાથ ટાગોર, બંકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીના દસ્તાવેજોને પ્રદર્શિત કરાશ

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ડૉ. મહેશ શર્માએ જાણકારી આપી કે સરકાર દિલ્હી અને કોલકત્તામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું સંગ્રહાલય બનાવશે.
નેતાજી સાથે જોડાયેલ યાદગાર સામગ્રીઓનું પ્રદર્શન કરવામાં આવશે. જેની જાણકારી આપતા તેમણે કહ્યું કે બંગાળની ધરતીના આ મહાન સ્વતંત્રતા સેનાની વિશે લોકોને જાણકારી આપવા માટે સરકારે મ્યૂઝિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે.

નેતાજી દ્વારા ગઠિત ઈન્ડિયન નેશનલ આર્મીનું એક શાનદાર સંગ્રહાલય દિલ્હીમાં બનાવવામાં આવશે. જે માટે ડીડીએ સાથે જમીન વિશેની વાત કરવામાં આવી છે. આ સિવાય કલકત્તાના પ્રાચીન રાષ્ટ્રીય પુસ્તકાલયમાં સંગ્રહાલય બનાવવાની યોજના કરવામાં આવી રહી છે. કલકત્તાના સંગ્રહાલયમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સિવાય રવિન્દ્રનાથ ટાગોર, બંકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જી સાથે જોડાયેલ ઐતિહાસિક દસ્તાવેજોને પ્રદર્શિત કરવામાં આવશે.

કેન્દ્રીય સંસ્કૃતિના ઉત્તર પ્રદેશ ત્રણ મ્યુઝિયમ બનાવવાની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે યુપીમાં 3 સંગ્રહાલયોનું નિર્માણ કરવામાં આવશે. મહેશ શર્મા અનુસાર અયોધ્યામાં પ્રભુ રામનું સંગ્રહાલય, અલાહાબાદમાં કુંભ મ્યુઝિયમ અને ગોરખપુરમાં ગુરુ ગોરખનાથનું એક સંગ્રહાલય બનાવવામાં આવશે. તેમણે જણાવ્યુ કે આ સંગ્રહાલયને બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો