સોમવાર, 12 ફેબ્રુઆરી, 2018

હર હર મહાદેવ...ઓમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા 300 વર્ષ જૂના શિવમંદિરમાં..

- મસ્જિદની મુલાકાત પણ લેશે


હર હર મહાદેવ...ઓમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા 300 વર્ષ જૂના શિવમંદિરમાં.. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસીય પ્રવાસમાં આજે ઓમાનના મસ્કતમાં ભગવાન ભોળાનાથની શરણે પહોંચ્યા હતા. તેઓએ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.

આજે શિવમંદિર અને અહીંની સુલતાન કબૂસ મસ્જિદ જશે. તેઓ દેશના અન્ય દિગ્ગજ CEOને પણ મળશે. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી. રવિવારે જ મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું શિલાન્યાસ કર્યું હતું.

ત્રણ દેશની મુલાકાતના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લગભગ 300 વર્ષ જૂનાં શિવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શિવ પૂજા-અર્ચના કરી હતી. મોદી અહીંની સુલતાન કબૂસ મસ્જિદ પણ જશે.
આ પહેલાં પીએમએ ઓમાનના ડેપ્યુટી પીએમ સૈયદ અસદ બિન અલ-સૈદ સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને નેતાઓ વચ્ચે ઈન્ટરનેશનલ રિલેશન અને કોપેરશન મુદ્દે ચર્ચા થઈ હતી. તેમજ ઇન્ડિયા-ઓમાન બિઝનેસ મીટિંગમાં ભાગ લીધો. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી. રવિવારે જ મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું શિલાન્યાસ કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો