બુધવાર, 1 મે, 2019

આજનો દિન વિશેષ


*૧, મેં ગુજરાતના સ્થાપના દિને જોઈએ ગુજરાત વેશે થોડી માહિતી.*

અક્ષાંશ-રેખાંશ 24°32′N 73°25′E / 24.53°N 73.41°E
દેશ  ભારત
જિલ્લા(ઓ)૩૩
સ્થાપના મે ૧, ૧૯૬૦
રાજધાની ગાંધીનગર
સૌથી મોટું શહેર અમદાવાદ
સૌથી મોટું મહાનગર અમદાવાદ
રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી
મુખ્ય મંત્રી વિજયભાઈ રુપાણી
વિધાનમંડળ(બેઠકો) ગુજરાત સરકાર (૧૮૨)
વસ્તી
• ગીચતા

૬,૦૪,૩૯,૬૯૨ (૧૦) (૨૦૧૧)
• ૩૦૮ /km2 (૭૯૮ /sq mi)

લિંગ પ્રમાણ ૧,૦૮૬ ♂/♀
માનવ વિકાસ દર (૨૦૧૧)  ૦.૫૨૭ (મધ્યમ) (૧૧)
સાક્ષરતા
• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા

૮૦.૧૮% (૧૨)
• ૮૭.૨૩%
• ૭૦.૭૩%

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર
• દરિયાકિનારો

૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર (૭૫,૬૮૫ ચો માઈલ) (૭)
• ૧,૬૦૦ કિલોમીટર (૯૯૦ માઈલ)

આબોહવા
• વરસાદ

•      ૯૩૨ મિ.મી (૩૬.૭ ઇં)

ISO 3166-2 IN-GJ
વેબસાઇટ ગુજરાત સરકારનું અધિકૃત વેબસાઇટ

ગુજરાત સરકારની મહોર
ગુજરાતના રાજ્યચિન્હો
ભાષા ગુજરાતી
ગીત જય જય ગરવી ગુજરાત
નૃત્ય ગરબા
પ્રાણી સિંહ
પક્ષી રાજહંસ
ફૂલ ગલગોટો
ફળ કેરી
વૃક્ષ વડ
રમત ક્રિકેટ, કબડ્ડી
ગુજરાત()(અંગ્રેજી ભાષા:Gujarat) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે[૧][૨][૩][૪] . ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્રરાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે[૫]. ગુજરાત રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતાઓ ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ[૬]. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈજેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.[૭]આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રીને ઉપવડાપ્રધાન હતા  કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓ ને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી

આવા આપણા ગુજરાત ની ગાથા ગાતુ ગીત કેમ ભુલાય

જય સોમનાથ, જય દ્વારકેશ...
આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની…

ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો