સોમવાર, 4 માર્ચ, 2019


અમદાવાદીઓની આતુરતાનો અંત, આજે મેટ્રો ટ્રેનની ગિફ્ટ આપશે PM

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેઓ અમદાવાદીઓ જે મેટ્રો ટ્રેનની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યાં છે તેનો અંત આવશે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. પ્રાથમિક તબક્કે મેટ્રો ટ્રેન વસ્ત્રાલ થી એપરેલ પાર્ક સુધી દોડાવવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર મેટ્રો રેલની રેન્જ વધારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મેટ્રો શરૂ થતા શહેર ટ્રાફિકનો ભારણ ઘટશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ સક્ષમ બનશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો