સોમવાર, 4 માર્ચ, 2019


આજે મહા શિવરાત્રીનું પાવન પર્વ, સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર

સોમનાથ મહાદેવ મંદિરે પ્રાતઃશૃંગાર દર્શન અને આરતીમાં માનવમહેરામણ ઉમટ્યુ
આજે મહા શિવરાત્રીનું પાવન પર્વ છે.
તે નિમિત્તે ગુજરાત સ્થિત પ્રથમ જયોતિર્લીગ ગણાતા સોમનાથ મંદિર ખાતે મોડી રાત્રીથી જ મોટી સંખ્યામાં શિવ ભકતો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. દર્શનાર્થીઓને ભોળાનાથના દર્શન થાય તે આશયથી આગામી બે દિવસ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સળંગ 42 કલાક સુધી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત શિવરાત્રીના દિવસે ભોળાનાથની ભવ્ય શોભા યાત્રા સાથે , પાલખી યાત્રા યોજાશે. મહાપૂજા સાથે ચાર પ્રહરની આરતી- શૃંગાર દર્શન, ઘ્વજ પુજા, મહા મૃત્યુજય યજ્ઞ, હોમાત્મક લઘુરૂદ્ર સહિત , ધાર્મિક કાર્યક્રમોનું , આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિષરમાં તંત્ર દ્વારા વિશેષ અને સઘન સુરક્ષા કરવામા આવી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો