શુક્રવાર, 7 સપ્ટેમ્બર, 2018


ભારત અને અમેરિકા વચ્ચેની પ્રથમ 2+2 મંત્રણા પછી સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર


- આતંકવાદ, NSG, H-1B વિઝા મુદ્દે ચર્ચા
- બેઠકમાં બંને દેશોના વિદેશ પ્રધાનો અને સંરક્ષણ પ્રધાનો હાજર રહ્યાં
- કરાર હેઠળ ભારતીય સેનાને અમેરિકા પાસેથી મહત્ત્વપૂર્ણ અને એન્ક્રિપ્ટિડ ડિફેન્સ ટેકનોલોજી મળશે

ભારત અને અમેરિકા વચ્ચેની પ્રથમ ૨+૨ મંત્રણા પછી બંને દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં જે હેઠળ ભારતીય સેનાને અમેરિકા પાસેથી મહત્ત્વપૂર્ણ અને એન્ક્રિપ્ટિડ ડિફેન્સ ટેકનોલોજી મળશે. 
૨+૨ મંત્રણામાં બંને દેશોએ સરહદ પાર આતંકવાદ, એનએસજીના સભ્ય પદ માટે ભારતના પ્રયાસો અને વિવાદિત એચ-૧ બી વિઝા મુદ્દે ચર્ચા કરી હતી. 
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણની અમેરિકાના વિદેશ પ્રધાન માઇકલ આર પોમ્પિઓ અને અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેન્સ મેટિસ સાથેની મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચે હોટલાઇનની રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. 
પોમ્પિઓએ COMCASA (Communications Compatibility and Security Agreement ) ને સંબધોમાં સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. આ કરાર ભારતની સંરક્ષણ ક્ષમતા અને તૈયારીઓને વધારશે. 
COMCASA  કરાર થયા પછી ભારત અમેરિકા પાસેથી મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ટેકનોલોજી પ્રાપ્ત કરી શકશે અને અમેરિકા તથા ભારતીય સૈન્ય દળોની વચ્ચે અંતરસક્રિયતા સુનિશ્ચિત કરી શકાશે.
આ કરાર અમેરિકાથી મંગાવવામાં આવતા સંરક્ષણ પ્લેટફોર્મ પર ઉચ્ચ સુરક્ષા ધરાવતા અમેરિકન ટેલિકોમ ઉપકરણો લગાવવાની પણ  મંજૂરી આપશે. 
ભારતને સ્ટ્રેટિજિક ટ્રેડ ઓથોરાઇઝેશન ટાયર-૧નો દરજ્જો મળવો દર્શાવે છે કે ભારતની નિકાસ નીતિ મજબૂત છે. બંને દેશોએ એનએસજીમાં ભારતના સભ્ય બનાવવા માટે મળીને કામ કરવા કરવા સંમતિ દર્શાવી છે. ભારતે એચ-૧બી વિઝા પ્રણાલી અંગે કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર નિર્ણય લેવાની માગ કરી છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો