મંગળવાર, 29 મે, 2018

ભારતીય ચલણી નોટો પરથી ગાંધીજીનો ફોટો હટાવવાની હિંદુ મહાસભાની માંગ

- ગાંધીજીની જગ્યાએ સમાજ સુધારક વીર સાવરકરની તસવીર લગાવવાની માંગ કરી

અખિલ ભારતીય હિંદુ મહાસભા(ABHM)એ પોતાનું એક નિવેદન જાહેર કરી નવા વિવાદને જન્મ આપ્યો છે.

ABHM પ્રમુખ સ્વામી ચક્રપાણિએ કેન્દ્ર સરકાર પાસે ભારતીય ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જગ્યાએ સમાજ સુધારક વીર સાવરકરની તસવીર લગાવવાની માંગ કરી છે સાથે જ તેમણે સાવરકરને ભારતરત્ન આપવાની પણ માંગ કરી છે.


ઉલ્લેખનીય છે કે, વિનાયક દામોદર સાવરકરને હિંદુત્વ શબ્દના જનક માનવામાં આવે છે. અખિલ ભારતીય હિંદુ મહાસભા તરફથી કહેવામાં આવ્યુ કે, વીર સાવરકરે ભારતીય સ્વાધીનતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો