મંગળવાર, 20 ફેબ્રુઆરી, 2018

PM મોદીએ મુંબઇમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં હાજરી આપી

- મુંબઇમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કર્યો

- મુંબઇ યુનિવર્સિટીમાં વાધવાણી ઇન્સ્ટીટ્યૂટ ફોર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદ્ધાટન કર્યુ


મુંબઇ, તા. 18 ફેબ્રુઆરી 2018, રવિવાર
વડાપ્રધાન પહેલા મુંબઇ પહોંચ્યા જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. આ સિવાય મુંબઇમાં ઘણી યોજનાઓનું ઉદ્ધાટન કરી કર્ણાટકમાં રેલીને સંબોધન કર્યુ.

વડાપ્રધાન મોદી મુંબઇ ખાતે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં મેગ્નેટિક મહારાષ્ટ્ર કન્વર્જેંસ-2018ના ઉદ્ધાટન સમારોહમાં સંબોધન કર્યુ. તેમજ મુંબઇ યુનિવર્સિટીમાં વાધવાણી ઇન્સ્ટીટ્યૂટ ફોર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદ્ધાટન કર્યુ. આ સિવાય મુંબઇમાં એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. મુંબઇની જરૂરીયાત પ્રમાણે અન્ય એક એરપોર્ટ બનાવવાની માંગ હતી. પરંતુ રાજકિય અને આર્થિક બાબતો જેવા મુદ્દાને કારણે આ યોજનામાં વિલંબ થયો છે.


આ નવું એરપોર્ટ બની જવાથી મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો ટ્રાફિક હળવો થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો