મંગળવાર, 3 ઑક્ટોબર, 2017

ઉપરાષ્ટ્રપતિ નાયડુએ રાજઘાટમાં ગાંધીજીની 1.8 મીટર ઊંચી કાંસ્ય પ્રતિમા ખુલ્લી મૂકી


ઉપરાષ્ટ્રપતિ એમ. વૈક્યા નાયડુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૪૮મી જન્મ જયંતિ નિમીતે પાટનગરમાં મહાત્માજીની સમાધી રાજઘાટમાં તેમની ૧.૮ મિટર ઉંચી કાસ્ય પ્રતિમા ખુલ્લી મુકી હતી. આ મૂર્તિ જાણીતા મૂર્તિકાર રામ સૂતારે બનાવી છે.

રાજઘાટમાં રાષ્ટ્રપતિના સમાધિસ્થળે પ્રથમ વખત એવું શિલ્પ મુકાયું છે જે અનેક પ્રવાસીઓમાટે તૈયાર થઈ છે. જે બે ફિટ ઉંચા ગ્રેનાઈટના પ્લેટફોર્મ પર ગોઠવવામાં આવી છે. તે પ્લેટફોર્મ પર 'તમે નિહાળવા આતુર હતા તે પરિવર્તન થશે.'(બીધ ચેઈન્જ યુવીશટુસી) તેવું લખાણ કરવામાં આવેલું છે.

રાજઘાટની રોજ ૧૦,૦૦૦ દેશ-વિદેશના લોકો મુલાકાત લે છે, અને મહામાનવ એવા રાષ્ટ્રપિતા ગાંધીજીને પોતાની શ્રધ્ધાંજલી પાઠવે છે.

જેમણે અહિંસા અને સત્યાગ્રહને વિશ્વ સમક્ષ પરમ શાંત પણ શક્તિશાળી આંદોલન તરીકે રજૂ કરીને ત્યારની વૈશ્વિક સર્વોચ્ચ સત્તા, બ્રિટિશરોને હંફાવી દીધા હતા અને ભારતમે આઝાદી આપવા મજબૂર કરી દીધા હતા. તેઓ જ્યાં પહોંચે ત્યાં લાખો- કરોડો લોકોનો માનવ મહેરામણ તેમની સાથે આંદોલિત થતો હતો.


બ્રિટીશરોના તમામ હથિયારો ' આ મુઠ્ઠી હાડકાના માનવિ સામે' બુઠ્ઠા સાબિત થયા હતા. તેમની મૂર્તિ ઉપરાંત નાયડુએ રાજઘાટના પાર્કિંગ સ્થળ નજીક 'બાપૂના જીવનની દસ્તાવેજી ફિલ્મ અને તેમના અવાજમાંજ ભાષણો રજૂ કરતા ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું પણ ઉદ્દઘાટન કર્યું હતું.'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો