સોમવાર, 9 સપ્ટેમ્બર, 2019


PM નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સંયુક્ત રાષ્ટ્રના 14માં વૈશ્વિક સંમેલનને સંબોધશે

ભારત વિશ્વ પટલ પર પર્યાવરણ બચાવવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવતું આવ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્રના 14માં વૈશ્વિક સંમેલનમાં રણને આગળ વધતું અટકાવવાના વિષય પર સત્રને આજે સંબોધન કરશે. ભૂમિની ફળદ્રુપતાને વધારીને વધી રહેલા ક્ષારના પ્રમાણને રોકવાના વિષય પર કોપ-14નું આજે વિશેષ સત્ર મળી રહ્યું છે. ભારત વિશ્વ પટલ પર પર્યાવરણ બચાવવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવતું આવ્યું છે. તે અનુસંધાનમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા આ વિશ્વ સંમેલનને થનારૂં સંબોધન ખૂબ જ મહત્વનું છે. સંમેલનમાં 196 દેશના પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યા છે


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો