સોમવાર, 9 સપ્ટેમ્બર, 2019


જાણો, ઈસરોએ લેન્ડરને 'વિક્રમ' અને રોવરને 'પ્રજ્ઞાન' નામ કેમ આપ્યુ?
 
ભારતના કરોડો લોકો ચંદ્રયાન-2ના લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન'ના નામથી પરિચિત થઈ ચુક્યા છે. ભારતના ચંદ્રયાન-2માંથી છુટા પડેલા લેન્ડર 'વિક્રમ'ની ચંદ્ર પર ઉતરાણ માટેની તૈયારીઓ પુરી થઈ ચુકી છે.લેન્ડરને 'વિક્રમ' નામ કેમ અપાયુ તેવો સવાલ થવો સ્વાભાવિક છે.જવાબ એ છે કે, ઈસરોએ આ લેન્ડરને ભારતના અવકાશ પ્રોગ્રામના જન્મદાતા ગણાતા વિક્રમ સારાભાઈના નામ પરથી 'વિક્રમ' નામ આપ્યુ છે.

લેન્ડરમાંથી ચંદ્રની સપાટી પર ફરનારા રોવરને 'પ્રજ્ઞાન' નામ આપવામાં આવ્યુ છે.'પ્રજ્ઞાન' એક સંસ્કૃત શબ્દ છે.જેનો અર્થ થાય છે 'બુધ્ધિમતા' 'પ્રજ્ઞાન'નુ જે કામ છે તેમાં સૌથી વધારે જરુર જ બુધ્ધિમત્તાની પડવાની છે.'પ્રજ્ઞાને' ચંદ્રની સપાટી પર રહેલી ઘણી વસ્તુઓની માહિતી મોકલવાની છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો