મંગળવાર, 18 ડિસેમ્બર, 2018


શીખ વિરોધી રમખાણો: 34 વર્ષે સજ્જન કુમારને આજીવન કેદ

 
-પૂર્વ વડા પ્રધાન ઇંદિરાની હત્યા બાદ ફાટી નીકળેલા રમખાણોમાં ત્રણ હજારથી વધુ શીખોનો ભોગ લેવાની ઘટનામાં પાંચ હત્યામાં સજ્જન કુમાર દોષીત
- ચુકાદાથી થોડી રાહત મળી પણ સંતોષ નથી થયો, વહેલા ન્યાય મળ્યો હોત તો વધુ સારુ થાત : પીડિતો
૧૯૮૪માં પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોના ૩૪ વર્ષ બાદ આરોપીઓ પૈકી કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની હાઇકોર્ટે દોષીત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ સજ્જન કુમારને નીચલી કોર્ટમાંની નિર્દોશ જાહેર કરીને છોડી મુકવામાં આવ્યા હતાજે ચુકાદાને બાદમાં સીબીઆઇએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સાથે આ કેસમાં જે અન્ય લોકોને દોષીત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી તેમણે પણ નીચલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો પલટીને સજ્જન કુમારને દોષીત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

૭૩ વર્ષીય સજ્જન કુમાર પર આરોપ હતો કે દિલ્હીના રાજ નગરમાં એક શીખ પરિવારના પાંચ લોકોની હત્યા કરવામાં તેનો હાથ હતો. જ્યારે એક ગુરુદ્વારાને સળગાવી દેવામાં આવ્યું હતું. કોર્ટે સજ્જન કુમારને ૩૧ ડિસેમ્બર સુધીમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. માત્ર દિલ્હી જ નહીં હરિયાણાઉત્તર પ્રદેશમધ્ય પ્રદેશમહારાષ્ટ્રમાં શીખો માર્યા ગયા હતા. કુલ મળી આશરે ત્રણ હજાર જેટલા શીખોની હત્યા કરવામાં આવી હતી. પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા તેમના જ બે શીખ બોડીગાર્ડ દ્વારા કરવામાં આવી હતી જે બાદ આ હિંસા ફાટી નીકળી હતી અને શીખોને નિશાન બનાવવામાં આવ્યા હતાહિંસાખોરોમાં સજ્જન કુમાર પણ સામેલ હતા. દિલ્હી હાઇકોર્ટે સજ્જન કુમારને હિંસા માટે કાવતરુ ઘડવુંહિંસા કરાવવી અને ભડકાવવામાં દોષીત ઠેરવવામાં આવ્યા હતા.

૨૦૧૩માં સજ્જન કુમારને નીચલી કોર્ટે છોડી મુક્યા હતા જ્યારે અન્ય આરોપીઓને દોષીત ઠેરવ્યા હતાજેમાં કોંગ્રેસના પૂર્વ નેતા બલવાન ખોખરકેપ્ટન ભાગમલગિરધારી લાલ અને અન્ય લોકો સામેલ છે. આ આરોપીઓમાંથી ખોખરગિરધારીભાગમલને નીચલી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતીજ્યારે સજ્જન કુમારને છોડી મુકવામાં આવ્યા હતા. જોકે દોષીત ઠરેલા લોકોએ હાઇકોર્ટમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકાર્યો હતોસાથે સીબીઆઇએ પણ સજ્જન કુમારને છોડી મુકવાના ચુકાદાને પડકાર્યો હતો. જોકે સીબીઆઇની અપીલ માન્ય રખાઇ હતી જ્યારે અન્ય આરોપીઓની અરજીને ફગાવી તેમને આપવામાં આવેલી સજાને યોગ્ય ઠેરવી હતી.

જ્યારે આ હિંસાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારે સજ્જન કુમાર સંસદ સભ્ય હતા. જે લોકો આ કેસમાં સાક્ષી હતા તેમાં જગદીશ કૌર તેના સગા જગશેરસિંઘનિરપ્રીત કૌરનો સમાવેશ થાય છે જ્યારે આ કેસમાં જગદીશ કૌરના પતિપુત્ર અને અન્ય ત્રણ સગાની હત્યા કરવામાં આવી હતી. નિરપ્રિત કૌરે જણાવ્યું હતું કે મારી સામે જ આરોપીઓએ ગુરુદ્વારા સળગાવી દીધુ હતું. મારા પિતાને જીવતા સળગાવવામાં આવ્યા હતા. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો