શનિવાર, 1 સપ્ટેમ્બર, 2018

રાજકોટમાં 'ગોરસ' લોકમેળાનો આજથી આનંદ-ઉલ્લાસભેર પ્રારંભ


શ્રાવણિયા સરવડાઓથી સર્જાયેલા ખૂશનુમા માહોલમાં જન્માષ્ટમી પર્વે રાજકોટનો જગમશહૂર લોકમેળો ગોરસ કાલથી શરૂ થઈ રહ્યો છે. 

રેસકોર્સ મેદાનમાં સવારે ૧૦ કલાકે રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનાં હસ્તે લોકમેળો ખૂલ્લો મૂકવામાં આવશે. લોકહૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવતો લોકમેળો લાગલગાટ પાંચ દિવસ સુધી લાખો લોકોને મોજમસ્તીનાં મહાસાગરમાં ડૂબાડશે. લોકમેળા દરમ્યાન તસ્વીર સ્પર્ધા પણ યોજવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો