શનિવાર, 2 જૂન, 2018

વડાપ્રધાન મોદી સિંગાપુરના પ્રવાસેઃ 14 વ્યાપારી કરાર કર્યા



વડાપ્રધાન મોદી સિંગાપુરના પ્રવાસેઃ 14 વ્યાપારી કરાર કર્યા

- ત્રણ દેશોની મુલાકાતનો અંતિમ તબક્કો

- સિંગાપુર સાથેના સંબંધો ગાઢ અને આત્મીયઃ વડાપ્રધાન મોદી


વડાપ્રધાન મોદી ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન આજે સિંગાપોર પહોંચ્યા હતા અને ભારત સિંગાપુરના સંબંધોને ગાઢ અને આત્મીય ગણાવી જણાવ્યું હતું કે ભવિષ્યમાં બંને દેશોને નવી તકો પ્રાપ્ત થશે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનશે. ભારતે પૂર્વ તરફ દ્રષ્ટિ નાખી છે ત્યારે સિંગાપોર સાથેના સંબંધો એશિયન દેશો વચ્ચે સેતુ પુરવાર થશે. તેમ તેમણે ભારતીય સમાજને સંબોધન કરતાં જણાવ્યું હતું.

સિંગાપોરના મરીના બે સેન્ડસ કોન્વેન્શન સેન્ટરમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે સિંગાપુર સાથેના દોસ્તી કુદરતી છે અને દ્રષ્ટિની આપલે છે. સંરક્ષણ સંબંધો મજબૂત છે. ભારતની સેના સિંગાપોરની સેના સાતે સન્માનની નજરથી જૂએ છે. ભારતે સિંગાપોર સાથે સૌથી લાંબી કવાયત પણ કરી છે.

વડાપ્રધાનના સિંગાપોર પ્રવાસ દરમિયાન સિંગાપોર સાથે બિઝનેસ ટુ બિઝનેસના ૧૪ કરાર થયા હતા. તેમાં ભારતના ઉદ્યોગોને ટેકો અને સિંગાપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સ્કીલ્સ ઓન વેસ્ટ વોટર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો