સોમવાર, 28 મે, 2018

કચ્છમાં  સુજલામ-સુફલામની કામગીરી 


જળસંચયની ગુલબાંગો વચ્ચે કચ્છમાં સુજલામ-સુફલામની કામગીરી માત્ર ૩ર ટકા જ થઈ !

ગુજરાત રાજયના ૧લી મેના સ્થાપના દિવસથી કચ્છમાં માનકુવાના વિચેશ્વર મહાદેવ તળાવને ઉંડા કરવાની કામગીરી સાથે સુજલામ-સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રી રૃપાણી પણ કામોમાં પ્રગતિ લાવવા જિલ્લાની મુલાકાતે આવી બે તળાવના ખાણેત્રા પણ શરૃ કરાવી ગયા હતા. છતાં પણ અત્યાર સુધીમાં માત્ર ૨૧૨ ખાણેત્રાના કામો પૂર્ણ થયા છે. આમ, અત્યાર સુધીના ૨૭ દિવસમાં માત્ર ૩૨.૭૧ ટકા કામગીરી જપૂર્ણ થઈ શકી છે. હજુ પણ ૬૮ ટકા કામગીરી બાકી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો