સોમવાર, 28 મે, 2018

ઉજ્જ્વલા યોજના દ્વારા ગરીબ મહિલાઓને તેમનો હક અપાવ્યો છે: PM મોદી



ઉજ્જ્વલા યોજના દ્વારા ગરીબ મહિલાઓને તેમનો હક અપાવ્યો છે: PM મોદી

- વડાપ્રધાન મોદીએ નમો એપ મારફતે ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને સંબોધિત કર્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નમો એપ મારફતે ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે દેશવાસીઓને હક અપાવવાનો અમારું લક્ષ્ય છે, અમે ગરીબ મહિલાઓને તેમનો હક આપ્યો છે. આ સાથે જ અમે આ યોજનામાં દલિતો અને શોષિતોને પ્રાથમિકતા આપી છે.

તેમણે કહ્યું કે આજે 100માંથી 81 ઘરોમાં એલપીજી કનેક્શન છે. અમે લાભાર્થીઓ માટે એલપીજી પંચાયત શરૂ કરાવી છે.

ગામડાઓમાં એક લાખ એલપીજી પંચાયત બનાવવાનું લક્ષ્ય છે. પહેલા મોટા-મોટા લોકોને એલપીજી કનેક્શન મળતા હતા.

પીએમ મોદીએ કહ્યુ, વર્ષ 2014 સુધી 13 કરોડ પરિવારોના એલપીજી કનેક્શન મળ્યું. એનો અર્થ છે કે છેલ્લા 60 વર્ષોમાં આ આંકડાકીય માહિતી 13 કરોડ પર જ અટકી રહી છે.
મોટાભાગે અમીર લોકોને જ એલપીજી કનેક્શન મળ્યા હતા. પરંતુ છેલ્લા ચાર વર્ષોમાં 10 કરોડ નવા કનેક્શન આપવામાં આવ્યા છે અને તેનાથી ગરીબોને વધારે લાભ પહોંચ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો