મંગળવાર, 6 ફેબ્રુઆરી, 2018


ગુજરાતના એકમાત્ર પારસી થિયેટરનો એક સુરતી સિતારો આથમી ગયો


- જાણીતા નાટયકાર યઝદી કરંજીયાના ભાઈ મહેરનોશ કરંજીયાનું હાર્ટ એટેકથી અવસાન

કુતરાની પૂંછડી વાંકી, બહેરામની સાસુ, દિનશાના ડબ્બા ગુલ, બીચારો બરજોર જેવા હળવાફૂલ કોમેડી નાટકોના દિગ્દર્શક અને અભિનેતા મહેરનોશ કરંજીયાનું સોમવારે અવસાન થયું હતું.

ગુજરાતનું એકમાત્ર પારસી થિયેટરનાં જાણીતા નાટયકાર યઝદી કરંજીયાના તેઓ ભાઇ હતા. 

લગભગ દરેક નાટકોમાં બંને ભાઇઓની અભિનયની જુગલબંદી ચાલતી. એકાએક જુગલબંદીમાંથી એક સથવારો છુટી જતા કરંજીયા પરિવારમાં ગમનો માહોલ સર્જાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો